શોધખોળ કરો

કોરોનાના વધતા કહેર વચ્ચે આ શહેરો અને ગામડાઓ થયા લોકડાઉન, જાણો વિગતો

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દરરોજ રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે હવે શહેરો અને ગામડાઓ સતર્ક બન્યા છે. કોરોના વધતા ગ્રાફને લઈ કેટલાક શહેરો, ગામડાઓ, માર્કેટિંગ યાર્ડ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે.

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દરરોજ રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે હવે શહેરો અને ગામડાઓ સતર્ક બન્યા છે. કોરોના વધતા ગ્રાફને લઈ કેટલાક શહેરો, ગામડાઓ, માર્કેટિંગ યાર્ડ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે.

સુરત જિલ્લાના છેલ્લા ગામ એવા અનાવલમાં પણ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવતા અનાવલ  ગામમાં પણ કર્ફ્યું જેવો માહોલ દેખાયો હતો, લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. સ્વૈચ્છિક લોકડાઉનને લઇ શાકભાજી માર્કેટ તેમજ અનાજની મંડીઓ પણ સ્વયંભૂ બંધ રહી હતી 

પાટણ જિલ્લાનું બાલીસણા ગામમાં બપોર બાદ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે.  પાટણ જિલ્લાનું સૌથી મોટું બાલીસણા ગામની બજારો બપોર પછી બંધ છે.  બાલીસણા ગામ બપોરે 2 વાગ્યા પછી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે.  આગામી 10 દિવસ માટે બજારો બપોર બાદ સજ્જડ બંધ રહેશે.  વેપારી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય  લેવામાં આવ્યો છે.  કોરોનાના  કેસો વધતાં ગ્રામજનો અને વેપારી મંડળે નિર્ણય લીધો છે. 

સુરત ગ્રામ્યમાં વધી રહેલા કોરના સંક્રમણને લઇ મહુવાના કરચેલીયામાં સ્વૈછીક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકોએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખી સ્વૈછીક લોકડાઉનને સફળ બનાવ્યું છે. આજથી 18 તારીખ સુધી બંધ કરચેલીયા ગામ બંધ રહશે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ  બે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે.  બેરાજા અને બેહ ગામમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. સવારે 8 થી 2 વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે.  બપોર બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.  એક બાદ એક ગામો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે.  સ્વૈચ્છિક લોકડાઉનનો આંકડો  17 પર પહોંચ્યો છે. 

અમરેલી જિલ્લામાં કોરોના કેસ વધતા ઈશ્વરીયા ગામના લોકો દ્વારા સાંજના 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે. આગામી 1 મે સુધી નિર્ણયનો અમલ કરાશે. 

કોડીનારમાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. કોડીનારમાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિને ધ્યાને લઇ ચેમ્બર્સ ઓફ કોમર્સ-વહીવટી તંત્ર અને તાલુકાના અગ્રણી આગેવાનો દ્વારા નિર્ણય લેવાયો છે. જે મુજબ ૧૬-૧૭-૧૮ શુક્ર-શનિ-રવિવારે કોડીનારમાં સ્વૈચ્છિક લોકડાઉન રખાશે. જેમાં દૂધની ડેરીઓ માત્ર બે કલાક જ ખુલ્લી રહેશે. જરૂરી કામ સિવાય લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઈ છે.

દાહોદ જિલ્લામાં વધતા જતા સંક્રમણને લઇ કતવારા ગામમાં આજથી 10 દિવસના લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. ગામમાં 15 થી 24 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરાઈ છે.
 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget