શોધખોળ કરો

MAHISAGAR : કડાણા અને સંતરામપુરમાં આદિજાતિના દાખલાનો પ્રશ્ન છેલ્લા ત્રણ વર્ષથી ટલ્લે ચડ્યો, આદિવાસી સમાજમાં રોષ

Mahisagar News : અનેક રજૂઆતો, યુવાનોએ નાના મોટા આંદોલનો કર્યા, હવે કડાણા તાલુકાના તમામ આદિવાસીઓ રોષે ભરાયાં છે જેને લઇને કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે.

MAHISAGAR : મહીસાગર જીલ્લાના કડાણા અને સંતરામપુર તાલુકાના પશ્ચિમ  વિસ્તારમાં આદિવાસીના જાતિના દાખલાઓનો પ્રશ્ન છેલ્લા ત્રણ વર્ષથી ટલ્લે ચડ્યો છે. જેને કારણે કડાણા તાલુકા વિસતારમાં એલઆરડી, એસટી ડ્રાયવર, કન્ડક્ટર, નર્સ માટેની ભરતીમાં જાતિના દાખલની ખરાઈનો મુદ્દો છેલ્લા બે વર્ષથી ઘોચમાં  પડતાં સરકારી ભરતીમાં પસંદગી પામેલ હોવા છતાં પણ આ આદિવાસીઓની નિમણૂંકના હુકમો તેમની જાતિના દાખલની ખરાઈ ચકાસણી નહીં થઈ શકતાં અત્યાર સુધી કાગડોળે રાહ જોઇ બેઠેલા આદિવાસી લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

કડાણા તાલુકાના આદિવાસી સમાજના લોકો એકત્રિત થઇ અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું તેમની માગો વહેલી તકે સ્વીકારવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી અને જો તેમની માગણીને સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભૂખ હડતાળ કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

આ વિસ્તારના આદિવાસી સમાજને આદિવાસી જાતિના દાખલાઓ સહેલાઈથી મળી રહે તેમજ જે દાખલાઓ અત્યાર સુધી ખરાઈ હેઠળ રાખી ચકાસણીની કામગીરી જે આજ સુધી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે,  તે કામગીરીને વેગ આપી જેતે વિભાગ દ્વારા ત્વરીત પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. 

વર્ષોથી વિવાદમાં રહેલ આદિવાસી સમાજના આ પ્રશ્નના સંદર્ભમાં  કડાણા સરપંચ સંઘના પ્રમુખ વેચાતભાઈ વાગડીયા તેમજ વિવિધ સંગઠનો દ્વારા અગાઉ આદિવાસી વિકાસ વિભાગના મંત્રીને લેખીતમાં રજૂઆત  પણ કરવામાં આવી હતી. 

અનેક રજૂઆતો,  યુવાનોએ  નાના મોટા આંદોલનો કર્યા, હવે કડાણા તાલુકાના તમામ આદિવાસીઓ રોષે ભરાયાં છે જેને લઇને કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે અને આવનાર સમયમાં સમસ્યાનો ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી ઉચારી છે. 

ઉલ્લેખનીય છે કે કડાણા તાલુકો સંતરામપુર તાલુકામાંથી છૂટો પડી અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી અહીંના આદિવાસીઓને પ્રમાણપત્ર બાબતે તકલીફો રહે છે. આ વિસ્તારને સ્વતંત્ર ભારતના schedule areaમાં સમાવેશ કરાયેલ છે અને અહીં  વસવાટ કરતા મૂળનિવાસીઓનો આદિવાસીમાં સમાવેશ થયેલ છે.

વર્ષ 2007 સુધી કોઈ પણ અડચણ વગર પ્રમાણપત્ર મળતા હતા અગાઉ 2007માં આજ રીતે પ્રમાણપત્રો બંધ કરી દેવાયા હતા પરંતુ 2011માં 30,000 વિદ્યાર્થીઓએ 21 દિવસ શિક્ષણ બહિષ્કાર કરતા પ્રમાણપત્ર પૂનઃ મળતા શરૂ થયા હતા.

છેલ્લા ત્રણ વર્ષથી પ્રમાણપત્ર બંધ થતા તેમના માટે હાલ કડાણા તાલુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ નિર્માણ થાય તેવા એંધાણ છે કડાણા તાલુકાના તમામ અગ્રણીઓ, ચૂંટાયેલ પ્રતિનિધિઓ નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓ સ્થાનિક  ખુલીને સામે આવી રહ્યાં  છે. 



વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Embed widget