શોધખોળ કરો

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Vav by-election Harsh Sanghvi vs Gulabsinh: હર્ષ સંઘવીએ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પર 'આયાતી ઉમેદવાર' હોવાનો આક્ષેપ કર્યો છે.

Vav by-election 2024: બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ચૂંટણી પ્રચારને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગ જામ્યો છે.

હર્ષ સંઘવીએ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પર 'આયાતી ઉમેદવાર' હોવાનો આક્ષેપ કર્યો છે. સંઘવીના મતે, વાવના મતદારોને સ્થાનિક ઉમેદવારની અપેક્ષા હતી, પરંતુ કોંગ્રેસે બહારના ઉમેદવારને ટિકિટ આપી છે.

આ આક્ષેપનો જવાબ આપતા ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે, "મારું ગામ અને હું ક્યાંનો છું તે વાવની જનતા સારી રીતે જાણે છે." તેમણે ઉમેર્યું કે હર્ષ સંઘવીને બનાસકાંઠાની રાજનીતિનું પૂરતું જ્ઞાન છે અને તેમને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

અગાઉ પાઘડી પોલિટિક્સના મુદ્દે ચર્ચામાં રહેલી વાવની પેટાચૂંટણી હવે આયાતી પોલિટિક્સના મુદ્દે ગરમાઈ છે. ગુલાબસિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વાવની જનતા ભાજપને યોગ્ય જવાબ આપશે. તેમના પ્રચંડ પ્રચાર અભિયાનથી વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો છે.

આ પેટાચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓની સાથે હવે ઉમેદવારની સ્થાનિકતાનો મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે. બંને પક્ષો પોતપોતાની રીતે મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

નોંધનીય છે કે,

વાવ વિધાનસભા ક્ષેત્રના માડકા ગામે યોજાયેલી ચૂંટણી સભામાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે મહત્વનું નિવેદન કર્યું હતું. તેમણે જણાવ્યું કે વર્તમાન ચૂંટણીમાં મુખ્ય હરીફાઈ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જ છે. ભાજપ આ ચૂંટણી જંગમાં કોઈ મહત્વનો ખેલાડી નથી.

તેમણે મતદારોને અપીલ કરી હતી કે તેઓ ભાજપ વિશે વિચારવાનું છોડી દે, કારણ કે તે હરીફાઈમાં નથી. તેમણે મતદારોને સાવધાન કર્યા કે તેમનો કિંમતી મત વેડફાઈ ન જાય તેની કાળજી રાખે. વધુમાં, તેમણે જણાવ્યું કે મતદારો સીધા તેમનો સંપર્ક કરી શકે છે અને કોઈ મધ્યસ્થીની જરૂર નથી.

આ પહેલા વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસના વિધાનસભા ઉપનેતા શૈલેષ પરમારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં હારવાની સ્થિતિમાં હોય ત્યારે હિન્દુ મુસ્લિમ અને પાકિસ્તાનના મુદ્દાઓ ઉઠાવીને ભોળી પ્રજાને ભરમાવવાનો પ્રયાસ કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે નડાબેટ પાસે આવેલા પાકિસ્તાન સરહદના પવનો ભાજપને હરાવવામાં મદદરૂપ થશે. શૈલેષ પરમારે ભાજપ પર આરોપ લગાવ્યો કે તેઓ સતત પાકિસ્તાનના નામનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે આ વખતે સફળ નહીં થાય.

આ પણ વાંચોઃ

આ 5 મસાલા બ્લડ શુગર ઘટાડે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Morbi: વજેપરમાં SOGના દરોડા, વાડામાં છૂપાવેલા 1.45 લાખનો ગાંજા સાથે એકને દબોચ્યો
Morbi: વજેપરમાં SOGના દરોડા, વાડામાં છૂપાવેલા 1.45 લાખનો ગાંજા સાથે એકને દબોચ્યો
Gujarat Rain Update: આભ ફાટશે! ગુજરાતના આ જિલ્લાઓમાં ૩ દિવસ રેડ એલર્ટ, વહીવટી તંત્ર થયું દોડતું
Gujarat Rain Update: આભ ફાટશે! ગુજરાતના આ જિલ્લાઓમાં ૩ દિવસ રેડ એલર્ટ, વહીવટી તંત્ર થયું દોડતું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
Embed widget