શોધખોળ કરો

વિકાસ સપ્તાહ: ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા,  24 વર્ષના સફળ નેતૃત્વની ઉજવણી

ગુજરાતની વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

ગાંધીનગર: ગુજરાતની વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતની સંકલ્પ સિદ્ધિ અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી પહોંચાડવાનો છે. સમગ્ર રાજ્યમાં 10 વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારી સાથે 13 વિષયોના આધાર પર દરેક દિવસની ‘Theme Based’ ઉજવણી કરવામાં આવશે. યુવા, મહિલા, ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોની સહભાગીદારી સુનિશ્ચિત કરવા અને લોકોને વિકાસાત્મક કાર્યોથી લાભાન્વિત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

7 ઓક્ટોબરે  ગુજરાત વિધાનસભા પ્રાંગણમાં મુખ્યમંત્રી, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવાશે. રાજ્યના 34 જિલ્લાઓમાં પણ કલેક્ટર કચેરી અને શાળા-કોલેજોમાં આ પ્રતિજ્ઞા લેવામાં આવશે. My.Gov. પોર્ટલ દ્વારા ઓનલાઈન પણ પ્રતિજ્ઞા લેવામાં આવશે. આ સાથે વિકાસ સપ્તાહનો વિધિવત પ્રારંભ થશે.
      
7 ઓક્ટોબરે યુવા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લેગશીપ યોજનાઓનું પ્રદર્શન, રાજ્યવ્યાપી ક્વિઝ સ્પર્ધા, શાળા અને કોલેજોમાં નિબંધ સ્પર્ધા, વ્યાખ્યાનમાળા અને અગત્યના સ્થળોએ પદયાત્રા યોજાશે. દરરોજ “નમોત્સવ” સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તીલક વર્મા સાથે પોડકાસ્ટ. મુખ્ય કાર્યક્રમ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરા ખાતે યોજાશે જેમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે અને   વિકસીત ભારત-2047 ના સંકલ્પને પૂર્ણ કરવા યુવાનોની સહભાગિતા વિષય પર મનોમંથન , ચિંતન કરાશે અન્ય 50 સ્થળોએ પણ આ પ્રકારના કાર્યક્રમ સપ્તાહ દરમિયાન આયોજન કરાશે. 

આત્મનિર્ભર ભારત 

પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલ GST Reforms અને સહકાર ક્ષેત્રને આપેલ લાભ માટે સહકારી સંસ્થાના સભાસદો દ્વારા  પ્રધાનમંત્રીને 1 કરોડ થી વધુ પોસ્ટકાર્ડ દ્વારા આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમ યોજાશે. 
વડાપ્રધાનના દૂરંદેશી માર્ગદર્શનમાં દેશમાં વિકાસ માટે લેવાયેલ વિવિધ પગલાઓથી છેવાડાના વ્યક્તિ સુધી થયેલ સામાજિક-આર્થિક લાભ અને દેશમાં આવેલ પરિવર્તન માટે વડાપ્રધાનને આભાર વ્યક્ત કરતા સહકાર વિભાગ દ્વારા 1 કરોડ જેટલા પોસ્ટ કાર્ડ તૈયાર કરાયા છે.

વિષયો - આત્મનિર્ભર ભારત, ગર્વ સે કહો સ્વદેશી હૈ, આયુષ્માન ભારત, નાણાંકીય સમાવેષીકરણ અને DBT , સોલાર રૂફટોપ યોજના, તા. 22 સપ્ટેમ્બર થી આવેલ GST સુધારા.
 
દર વર્ષે પોસ્ટ વિભાગ દ્વારા 1.50 કરોડ પોસ્ટ કાર્ડ છાપવામાં આવે છે, જ્યારે માત્ર ગુજરાતમાં સહકાર ક્ષેત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ ટૂંકાગાળામાં 1 કરોડથી વધુ પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા તે અભૂતપૂર્વ સિદ્ધિ છે. 

7 ઓક્ટોબરના રોજ પોસ્ટકાર્ડના પ્રદર્શનનું પણ આયોજન અમદાવાદ સાબરમતી રીવરફ્રંટ ખાતે કરાયું છે જેને લોકો નિહાળી શકશે.
 
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા પોસ્ટકાર્ડ રાજ્યની જુદી જુદી કૉલેજોના વિદ્યાર્થીઓએ વડાપ્રધાનના 
સ્વદેશી અભિયાન, ઓપરેશન સિંદૂર, જી.એસ.ટી. ક્રાન્તિ અને ભારતને અગ્રેસર બનાવવાની પહેલને આવકારી, પોસ્ટકાર્ડ દ્વારા તેમની કૃતજ્ઞતા પ્રગટ કરી .

જેમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા કુલ 4.50 લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા. આ ઉપરાંત 100 કૉલેજ / યુનિવર્સિટીમાં સ્વદેશી અભિયાન અંતર્ગત વ્યાખ્યાનોનું પણ આયોજન કરાયું , જે પૈકી 62  વ્યાખ્યાનો પૂર્ણ થયેલ છે.  

8 ઓક્ટોબરે રોજગાર મેળો

 શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે.  અન્ય કુલ 33 રાજ્યવ્યાપી કાર્યક્રમો પણ થશે.   50 હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે. 25 હજારથી વધુ ITI વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ પ્લેસમેન્ટ ઓફર પત્રનું વિતરણ. ITIના અપગ્રેડેશન માટે ઉદ્યોગગૃહો સાથે 100 થી વધુ MOU. 

09 અને 10 ઓક્ટોબર, 2025 – ઉદ્યોગ સાહસિકતા દિવસ

મહેસાણા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન.   MSME કોન્કલેવ, ઉદ્યમિતા સહાય મેળા, વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજાશે.  રીવર્સ બાયર્સ સેલર મીટ, પ્રાદેશિક પુરસ્કારો.  અગ્રણી ઉદ્યોગપતિઓ, બિઝનેસ લીડર્સ તેમજ યુવાનો તેમની વિકાસ યાત્રાનો અનુભવ તેમજ આ પ્રદેશો વિકસિત ગુજરાત@2047ના વિઝનમાં કેવી રીતે યોગદાન આપી શકે તેના વિશે ચર્ચા, સ્ટાર્ટઅપ હેકાથોન, સ્ટાર્ટઅપ્સ દ્વારા પિચિંગ સેશન વગેરે યોજાશે.  ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનોનું પ્રદર્શન થશે. 

11 ઓક્ટોબર, 2025 રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે.  વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ. પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ વિશે માર્ગદર્શન. વિવિધ યોજનાઓ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોનું સન્માન કરાશે.  ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડને લગતી જાહેરાત. રાજ્યની તમામ ગ્રામ પંચાયત ખાતે પંચાયત ઘરનું સામુહિક ખાતમુહૂર્ત. તા. 15/10/2025ના રોજ રથયાત્રા સમાપન સમયે દરેક જિલ્લામાં 1 કરોડથી ઓછી રકમના કામોના લોકાર્પણ / ખાતમુહૂર્ત.

ગ્રામીણ વિસ્તાર માટે માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી જિલ્લા દીઠ એક વિકાસ રથનું આયોજન.
તમામ સરકારી સંસ્થાઓમાં “ સ્વચ્છતા શપથ”.

12/10/2025 થી 13/10/2025 શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકાઓના વિકાસકાર્યોનું લોકાર્પણ

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકાઓના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે.  સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ)નું આયોજન.  તમામ મહાનગરપાલિકાઓમાં સ્થાનિક કલાકારોના સહયોગથી રીસાઇકલ કરેલી વસ્તુઓનો ઉપયોગ કરી સાર્વજનિક સ્થાપત્યનું સર્જન. તમામ મહાનગરપાલિકાઓના પ્રખ્યાત જાહેર સ્થળોની દિવાલો પર ભીંત ચિત્રો બનાવવા. 

14/10/2025  કૃષિ વિકાસ દિન/ રવિ કૃષિ મહોત્સવ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

રાજ્ય વ્યાપી કાર્યક્રમનો શુભારંભ, રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પાક પરિસંવાદો અને ખેડૂત માર્ગદર્શન, કૃષિ પ્રદર્શનો, પશુ આરોગ્ય મેળા, નવીન ટેકનોલોજી આધારિત પ્રદર્શનો - સ્ટોલ જેવી અનેકવિધ ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરાશે.  

15/10/2025 ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો 

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે (કાર્યક્રમનું આયોજન શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા કરાશે)રૂ. 1 કરોડથી થી રૂ. 25 કરોડ સુધીના રૂ. 3326 કરોડના કામો. 

શિક્ષણ વિભાગ

Hackathon, નિબંધ સ્પર્ધા, ભીંત ચિત્રો, ક્વિઝ સ્પર્ધા, 100 લેક્ચર સિરીઝ, વેબિનાર, વર્કશોપ & રિસર્ચ પેપર, લખપતિ દીદી અને ડ્રોન દીદીના યુનિવર્સિટીમાં સેમીનાર.  દસ “Swami Vivekananda Competitive Examination Study Centre”નાં લોકાર્પણ કાર્યક્રમ  (તા. 15/10/2025, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે)

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

આરોગ્યની વિવિધ યોજનાઓ થકી વિકાસ સપ્તાહ દરમ્યાન લક્ષ્યાંક હાસલ કરવા  ખાસ ઝુંબેશ કરાશે. અતિજોખમી પ્રસૂતિના ચિહ્નો ધરાવતી અંદાજિત 1700 સગર્ભા માતાઓની ઓળખ, કાઉન્સેલિંગ અને બર્થ માઇક્રો પ્લાન અંગેની સમજ અપાશે.   નમોશ્રી યોજના અંતર્ગત અંદાજિત 10,000 થી વધુ  લાભાર્થીઓનું  રજિસ્ટ્રેશન તથા અંદાજીત રૂ. 7 કરોડનું ડી.બી.ટી મારફતે ચુકવણું.  પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ અંદાજિત 6000  થી વધુ લાભાર્થીઓને અંદાજિત રૂ 1.5  કરોડનું ડી.બી.ટી મારફતે ચુકવણું. 32 કિ.ગ્રા.થી ઓછું વજન ધરાવતી અંદાજિત 1000 સગર્ભા માતાઓને  પોષણ કીટનું વિતરણ.  વય વંદના યોજના અંતર્ગત – 70થી વધુ ઉંમરના 14000 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ.  વિકાસ સપ્તાહ દરમ્યાન સ્થાનિક  ધારાસભ્ય તથા પદાધિકારી દ્વારા ટી.બી.ના નિદાન માટેના 180  TrueNAT મશીનોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે.  

રાજ્યનાં 24  શહેરોમાં “સ્વસ્થ હૃદય” વોક નું આયોજન

રાજ્યની 24  મેડીકલ કોલેજ થકી CPR (cardiopulmonary resuscitation) તાલીમ શિબિરોનું આયોજન કરાશે.  કેન્સર સ્ક્રીનીંગની ટ્રેનિંગ માટેનું જીસીઆરઆઇ સાથે એમ.ઓ.યુ. 10 મી ઓક્ટોબર, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પર, માનસિક સ્વાસ્થ્ય પર વિશેષ કાર્યક્રમોનું આયોજન.   જિલ્લા દીઠ એક CHC એમ કુલ 34 મોડેલ CHC બનાવવા સંકલ્પ.  પોડકાસ્ટ મારફતે આરોગ્ય જાગૃતિ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન(SNSPA) અંતર્ગત કરેલ કામગીરીનું E  book મારફતે લોન્ચિંગ.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
T20 વર્લ્ડ કપ 2026: ઓપનિંગ મેચ અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે! જાણો લેટેસ્ટ અપડેટ્સ
T20 વર્લ્ડ કપ 2026: ઓપનિંગ મેચ અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે! જાણો લેટેસ્ટ અપડેટ્સ
હવે ઠંડી ભુક્કા બોલાવશે! માવઠાના વિરામ બાદ ગુજરાતમાં 'શીત લહેર'નો પ્રકોપ શરૂ, આ વિસ્તારોમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા
હવે ઠંડી ભુક્કા બોલાવશે! માવઠાના વિરામ બાદ ગુજરાતમાં 'શીત લહેર'નો પ્રકોપ શરૂ, આ વિસ્તારોમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા
માવઠાના મારથી ખેડૂતે જીવન ટૂંકાવ્યું! રાજકોટના અરડોઈ ગામના ખેડૂતે આર્થિક નુકસાનના તણાવમાં કર્યો આપઘાત
માવઠાના મારથી ખેડૂતે જીવન ટૂંકાવ્યું! રાજકોટના અરડોઈ ગામના ખેડૂતે આર્થિક નુકસાનના તણાવમાં કર્યો આપઘાત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે જાય છે શહેર?
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પોલીસનો અસલી પડકાર!
Dabhoi APMC Election : ડભોઈ APMCની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
Rajkot Ahir Samaj : આહીર સમાજનો મોટો નિર્ણય, લગ્નમાં 2 તોલા જ સોનું ચઢાવાશે, પ્રિ-વેડિંગ બંધ
Kuvarji Halpati : પોતાના નામે ઉઘરાણું કરાયાનો ધારાસભ્ય કુંવરજી હળવતિનો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
T20 વર્લ્ડ કપ 2026: ઓપનિંગ મેચ અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે! જાણો લેટેસ્ટ અપડેટ્સ
T20 વર્લ્ડ કપ 2026: ઓપનિંગ મેચ અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે! જાણો લેટેસ્ટ અપડેટ્સ
હવે ઠંડી ભુક્કા બોલાવશે! માવઠાના વિરામ બાદ ગુજરાતમાં 'શીત લહેર'નો પ્રકોપ શરૂ, આ વિસ્તારોમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા
હવે ઠંડી ભુક્કા બોલાવશે! માવઠાના વિરામ બાદ ગુજરાતમાં 'શીત લહેર'નો પ્રકોપ શરૂ, આ વિસ્તારોમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા
માવઠાના મારથી ખેડૂતે જીવન ટૂંકાવ્યું! રાજકોટના અરડોઈ ગામના ખેડૂતે આર્થિક નુકસાનના તણાવમાં કર્યો આપઘાત
માવઠાના મારથી ખેડૂતે જીવન ટૂંકાવ્યું! રાજકોટના અરડોઈ ગામના ખેડૂતે આર્થિક નુકસાનના તણાવમાં કર્યો આપઘાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
Embed widget