શોધખોળ કરો

પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ

પાટીદાર અનામત આંદોલન પર કરસનભાઈના નિવેદનથી રાજકારણમાં ખળભળાટ; કોંગ્રેસ અને પાટીદાર નેતાઓનો વળતો પ્રહાર.

પાટણ ખાતે ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે પાટીદાર અનામત આંદોલન અંગે કરેલા નિવેદનને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આ મુદ્દે નિવેદનબાજી કરી રહ્યા છે.

પાટીદાર અગ્રણી અને આંદોલન નેતા મનોજ પનારા અને કોંગ્રેસ નેતા ગીતાબેન પટેલે કરસનભાઈના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કરસનભાઈને ૧૦ વર્ષ પછી આ વાત યાદ આવી છે. તેમણે ઉમેર્યું કે પાટીદાર આંદોલનના કારણે પાટીદાર સમાજને ઘણો ફાયદો થયો છે અને કરસનભાઈએ સમાજ માટે શું કર્યું તે કહેવું જોઈએ. ગીતાબેન પટેલે એમ પણ જણાવ્યું કે આનંદીબેન પટેલને ભાજપના આંતરિક વિવાદના કારણે હટાવવામાં આવ્યા હતા.

વરુણ પટેલે પણ કરસનભાઈના નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કરસનભાઈએ દુઃખદ નિવેદન આપ્યું છે અને તેમને ૧૦ વર્ષે આ નિવેદન આપવાની હિંમત આવી છે. વરુણ પટેલે આક્ષેપ કર્યો કે કરસનભાઈને સમાજની, સમાજના આગેવાનોની અને યુવાનોની ચિંતા હોત તો તેઓ પાટીદાર આંદોલન સમયે ખુલીને બોલ્યા હોત. તેમણે એમ પણ કહ્યું કે તેઓ સહિત ૧૫ થી ૨૦ લોકો રાજકારણમાં જોડાયા છે, પરંતુ આ આંદોલન માત્ર ૧૫ થી ૨૦ લોકોનું ન હતું, પરંતુ લાખો લોકોના આંદોલનના કારણે સમાજને ફાયદો થયો છે. વરુણ પટેલે કરસનભાઈને સવાલ કર્યો કે જ્યારે પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે તેઓ ક્યાં હતા અને શું તેમણે શહીદ પરિવારોની કોઈ ચિંતા કરી છે? તેમણે કરસનભાઈ પર લેઉવા પાટીદાર મહિલા મુખ્યમંત્રીને હટાવવાની વાત કરીને પાટીદાર સમાજને લેઉવા અને કડવા વચ્ચે વહેંચવાનો આરોપ પણ લગાવ્યો અને કહ્યું કે તેમને આવું નિવેદન આપવાની કોઈ જરૂર નહોતી.

નોંધનીય છે કે, પાટણમાં યોજાયેલ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉદ્યોગપતિ કરસન પટેલે પાટીદાર અનામત આંદોલન પર મૌન તોડ્યું હતું. પાટણના ૪૨ લેઉવા પાટીદાર સમાજના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરસન પટેલે આંદોલન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

કરસન પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પાટીદાર આંદોલનથી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી, પરંતુ આંદોલન કરનારાઓએ માત્ર રાજકીય લાભ ઉઠાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આ આંદોલનના કારણે લેઉવા પાટીદારની દીકરીને મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું હતું. કરસન પટેલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું આંદોલન ખરેખર અનામત માટે હતું કે કોઈને પદ પરથી હટાવવા માટે? તેમણે એમ પણ ભારપૂર્વક કહ્યું કે પટેલો પટેલોને કાઢે તે શક્ય નથી. કરસન પટેલના આ નિવેદનોએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો....

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 
હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 
Embed widget