શોધખોળ કરો

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

પાટણમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉદ્યોગપતિનું નિવેદન; દારૂના દૂષણ પર પણ આકરા પ્રહાર.

Karsan Patel on Patidar Movement: પાટણમાં યોજાયેલ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉદ્યોગપતિ કરસન પટેલે પાટીદાર અનામત આંદોલન પર મૌન તોડ્યું હતું. પાટણના ૪૨ લેઉવા પાટીદાર સમાજના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરસન પટેલે આંદોલન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

કરસન પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પાટીદાર આંદોલનથી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી, પરંતુ આંદોલન કરનારાઓએ માત્ર રાજકીય લાભ ઉઠાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આ આંદોલનના કારણે લેઉવા પાટીદારની દીકરીને મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું હતું. કરસન પટેલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું આંદોલન ખરેખર અનામત માટે હતું કે કોઈને પદ પરથી હટાવવા માટે? તેમણે એમ પણ ભારપૂર્વક કહ્યું કે પટેલો પટેલોને કાઢે તે શક્ય નથી. કરસન પટેલના આ નિવેદનોએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

આ ઉપરાંત, કરસન પટેલે પાટણમાં વ્યાપક દારૂના દૂષણ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાટણમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને આજુબાજુના વિસ્તારોમાં દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. તેમણે પાટણ યુનિવર્સિટીના દારૂ કાંડનો પણ ઉલ્લેખ કર્યો હતો અને દારૂના મામલે સમાજના બેવડા વલણ પર ટકોર કરી હતી. તેમણે કહ્યું કે લોકો સમાજ સુધારવા માટે સંમેલનો કરે છે અને દારૂ છોડાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવે છે, પરંતુ સંમેલન પૂરું થયા પછી એ જ જગ્યા પર દારૂની મહેફિલ થાય છે. કરસન પટેલના આ નિવેદનો સમાજમાં પ્રવર્તતી વાસ્તવિકતાને ઉજાગર કરે છે.

ઉદ્યોગપતિ કરસન પટેલ દ્વારા પાટીદાર અનામત આંદોલન અંગે તાજેતરમાં આપવામાં આવેલા નિવેદનો પર પાટીદાર સમાજના વિવિધ નેતાઓએ પ્રતિક્રિયાઓ આપી છે અને કરસન પટેલના વિચારો સાથે અસહમતી વ્યક્ત કરી છે.

અલ્પેશ કથીરિયા: અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે "સમાજથી જ કોઈપણ વ્યક્તિ હોય છે. કરસનભાઈ પટેલે આ પ્રકારના નિવેદનો ન આપવા જોઈએ. આંદોલન માટે યુવાનોએ ઘણું ભોગવ્યું છે."

ગીતાબેન પટેલ: ગીતાબેન પટેલે કરસન પટેલના નિવેદન પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે "કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર આવીને કરસનભાઈએ આવું નિવેદન આપ્યું છે. આટલા મોટા ઉદ્યોગપતિનું આવું નિવેદન યોગ્ય નથી. આંદોલનથી સમાજને એક મોટો નેતા મળ્યો છે અને પાટીદાર સમાજને ઘણો ફાયદો થયો છે."

કિરીટ પટેલ: કિરીટ પટેલે કરસન પટેલના નિવેદનને વખોડતા જણાવ્યું હતું કે "કરસનભાઈ પટેલને ઉંમરની અસર થઈ રહી છે. જ્યારે આંદોલન ચરમસીમા પર હતું ત્યારે તેઓ ક્યાં હતા? જો તેમને પાટીદારો પ્રત્યે પ્રેમ હતો તો આંદોલન સમયે બોલવું જોઈતું હતું. ૧૦ વર્ષ પછી તેઓ કેમ બોલી રહ્યા છે? કરસનભાઈએ પૂરા કેસની પહેલા જાણકારી મેળવવી જોઈએ અને પોલીસ અધિકારીઓની બદલી પર પણ પહેલા જાણકારી મેળવવી જોઈએ. ઘણી વખત કોઈને પેટમાં દુખતું હોય અને માથું કુટે એવું છે."

વરુણ પટેલ: વરુણ પટેલે કરસન પટેલ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે "કરસનભાઈ મોટા ભાગે ઉદ્યોગોમાં વ્યસ્ત હોય છે અને તેઓ જાણતા નથી કે આંદોલનથી શું ફાયદા થયા છે. આનંદીબેન પટેલને હટાવાયા ત્યારે કરસનભાઈ ક્યાં હતા? ઉદ્યોગમાં નફા-નુકસાનના ભય વિના ત્યારે કરસનભાઈએ બોલવાની જરૂર હતી. કરસનભાઈએ શહીદ યુવાનોના પરિવારને નોકરી આપવાની જરૂર હતી. નોકરી આપ્યા પછી કરસનભાઈ બોલ્યા હોત તો યોગ્ય હતું. તેઓએ અત્યારે બોલવાની શું જરૂર છે? આંદોલન સમયે અમે જેલમાં પણ ગયા હતા. આંદોલન સમયે સ્વામાની ઉદ્યોગપતિ કરસનભાઈ ક્યાં હતા? કરસનભાઈએ માત્ર પોતાનું પ્રદર્શન કર્યું છે."

દિનેશ ભાંભણિયા: દિનેશ ભાંભણિયાએ જણાવ્યું હતું કે "કરસન પટેલ અમારા સમાજના મોટા વડીલ છે, પરંતુ આંદોલનથી ૧૦ ટકા અનામત મળ્યું છે અને ઘણા ફાયદા થયા છે. બિન અનામત વર્ગના તમામ લોકોને પણ ફાયદો થયો છે. કરસનદાદા શહીદ યુવાનોના પરિવાર માટે સરકારમાં રજૂઆત કરે. ભાજપના આંતરિક વિખવાદમાં આનંદીબેને મુખ્યમંત્રી પદ ગુમાવ્યું હતું."

આ પણ વાંચો...

પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
Ration card: તમે ઘરે બેઠા પણ રાશન કાર્ડ KYC ઓનલાઈન કરી શકો, જાણો શું છે સરળ પ્રોસેસ
Ration card: તમે ઘરે બેઠા પણ રાશન કાર્ડ KYC ઓનલાઈન કરી શકો, જાણો શું છે સરળ પ્રોસેસ
Embed widget