શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોરારિ બાપુ પર હુમલાનો પ્રયાસ કરનાર ભાજપના નેતા પબુભા માણેક કોણ છે? જાણો વિગત
પબુભા માણેક ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય છે. તેઓ સતત સાત ટર્મથી ચૂંટાતા આવ્યા છે.
![મોરારિ બાપુ પર હુમલાનો પ્રયાસ કરનાર ભાજપના નેતા પબુભા માણેક કોણ છે? જાણો વિગત Who is Pabubha Manke he attacked on Morari Bapu મોરારિ બાપુ પર હુમલાનો પ્રયાસ કરનાર ભાજપના નેતા પબુભા માણેક કોણ છે? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/19144536/Pabubha-Manek.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દ્વારકાઃ ગઈ કાલે દ્વારકા પહોંચેલા મોરારી બાપુ પર પબુભા માણેકે હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાનો વીડિયો ભારે વાયરલ થયો છે. જેને કારણે આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કરનાર પબુભા માણેક ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય છે. તેઓ સતત સાત ટર્મથી ચૂંટાતા આવ્યા છે. તેઓ ભાજપમાં જોડાયા તે પહેલાં અપક્ષ અને કૉંગ્રેસ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા.
1990થી સતત ત્રણ ટર્મ સુધી તેઓદેવભૂમિ દ્વારકા (અગાઉ જામનગર) જિલ્લાની દ્વારકા બેઠક ઉપરથી અપક્ષ તરીકે ચૂંટાયા હતા. 2002માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. આ પછી 2007, 2012 અને 2017માં તેઓ ભાજપની સીટ પરથી ચૂંટાયા હતા. પબુભા માણેકને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
માણેક સ્થાનિક હિંદુ વાઘેર સમુદાય ઉપર પ્રભુત્વ ધરાવે છે. ઓખામંડળ વિસ્તારમાં સમર્થકોની વચ્ચે તેઓ 'ભા'ના નામથી જાણીતા છે. તેઓ ગત ચૂંટણીમાં 5,700 જેટલા મતોથી વિજયી થયા હતા. પરંપરાગત રીતે તેમને ઓખામંડળ વિસ્તારમાંથી સમર્થન મળતું હતું પરંતુ ગત ચૂંટણી વખતે દ્વારકા શહેરના મતદાને તેમની જીત સુનિશ્ચિત કરી હતી. તેઓ જીતી તો ગયા હતા, પરંતુ તેમણે ઉમેદવારી પત્ર ભૂલ કરી હોવાની કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાની રજૂઆત માન્ય રાખીને કોર્ટે ચૂંટણી રદ્દ કરી દીધી હતી. આ ચુકાદા બાદ કૉંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ આહીરે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે 'અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો અને સત્યનો વિજય થયો છે.'
પબુભા માણેકે દ્વારકા પહોંચેલા મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. મોરારી બાપુ કૃષ્ણ વિવાદને લઇને માફી માંગવા દ્વારકા પહોંચ્યા હતા. તે દરમિયાન મંદિર ખાતે પબુભા માણેકે મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. પબુભા માણેકે હુમલો કરતા સાંસદ પૂનમ બેન માડમે તેમને રોક્યા હતા. એટલું જ નહી તેમણે મોરારી બાપુને ગાળો પણ આપી હોવાની ચર્ચા છે.
મોરારી બાપુ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે સાંસદ પૂનમ માડમ પણ ત્યાં હાજર હતા. કાન્હા મંચ દ્ધારા આ બેઠક રાખવામાં આવી હતી. મહત્વનું છે કે મોરારી બાપુએ પોતાની એક કથામાં કૃષ્ણ ભગવાન અને તેમના ભાઇ બલરામને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)