Ahmedabad Plane Crash Live Update: વિજયભાઇના DNA થયા મેચ, આવતી કાલે થશે અંતિમ વિધિ, જાણો અપેડ્ટસ
Ahmedabad Plane Crash Live Update: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 મૃતદેહ સોંપાયા છે. આખી રાત ર અમદાવાદ સિવિલમાં મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ રહી હતી
LIVE

Background
Ahmedabad Plane Crash Live Update:કેન્દ્ર સરકારે 12 જૂનના રોજ થયેલા 'અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના' અંગે પહેલીવાર માહિતી શેર કરી છે. વિમાન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 278 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે વિમાન 650 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી નીચે પડવાનું શરૂ થયું હતું. શનિવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ સમીર કુમાર સિંહાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વિમાન ટેકઓફ થયાના એક મિનિટ પછી જ મેઘાણીનગરમાં એક મેડિકલ હોસ્ટેલ સાથે અથડાયું હતું.
ઉલ્લેખનિય છે કે, 12 જૂન બપોરના સમયે 1:40 મિનિટે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું. જેમાં 242 લોકો સવાર હતા. આ પ્લેન અમદાવાદથી લંડન જઇ રહ્યું હતું. જેમાં સૌથી વધુ ગુજરાતી હતા. પ્લેન ટેક ઓફની થોડી મિનિટોમાંજ થ્રસ્ટ ન મળતાં ડાઉન થવા લાગ્યું. અને અંતે બીજે હોસ્ટેલ સાથે અથડાતા ક્રેશ થઇ ગયું આ પ્લેનમાં સવાર રમેશ વિશ્વાસ સિવાય કોઇ બચ્યું નથી. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્રવાસ કરી રહ્યાં હતાં. જેનું પણ નિધન થયું છે. પ્લેનમાં સવાર તમામની શરીર બળીને ખાક થઇ ગયા હોવાથી ઓળખ કરવી મુશ્કેલ છે. જેથી ડીએનએ કરીને પરિજનોને મૃતદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે. ડીએનએ પણ મેડિકલ સ્ટાફ માટે એક પડકાર રૂપ બન્યો છે. દાંતઅને હાંડકા પરથી ઓળખ થઇ રહી છે. હજુ સુધી માત્ર 19 મૃતદેહ જ પરિજનને સોંપાયા છે હજુ 19 લોકો લાપતા હોવાની ખબર છે. જાણીએ વધુ અપડેટ્સ...
Ahmedabad Plane Crash: વિજયભાઈના પાર્થિવ દેહની અંતિમક્રિયા આવતીકાલે રાજકોટમાં
Ahmedabad Plane Crash:આવતીકાલે રાજકોટમાં વિજયભાઈના પાર્થિવદેહને રાજકોટમાં નિવાસસ્થાને દર્શનાર્થે રખાશે ત્યારબાદ સવારે 11 વાગ્યે તેમની અંતિમ યાત્રા અને અંતિમ વિધિ થશે તેવી શક્યતા જોવાઇ રહી છે.એક કલાકમાં પરિવારજન તરફથી સત્તાવાર માહિતી અપાશે
Ahmedabad Plane Crash: વિજયભાઇ રૂપાણીની અંતિમ વિધિ આવતી કાલે
Ahmedabad Plane Crash: વિજય રૂપાણીના DNA આજે મેચ થઇ ગયા છે. પાર્થિવ દેહને લેવા માટે પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચશે. ત્યારબાદ ગાંધીનગરમાં આજે દર્શનાર્થે તેમનો પાર્થિવ દેહ રખાશે. ત્યારબાદ રાજકોટ પાર્થિવ દેહને લઇ જવાશે અને રાજકોટમાં જ તેમની અંતિમયાત્રા અને અંતિમ વિધિ થષે. આવતી કાલે સવારે અથવા સાંજે અંતિમ વિધિ થઇ શકે છે.





















