શોધખોળ કરો

દેશદ્રોહી કામ કરવા બદલ 25 NGOના લાયસંસ રદ, અદાણી ફાઉંડેશનની રજીસ્ટ્રેશન પણ રદ

નવી દિલ્લીઃ કેંદ્ર સરકારે 25 NGO ની વિદેશી ભંડોળ બાબતે એફસીઆરએના લાયસંસ દેશદ્રોહની ગતિવિધિઓના કારણે રદ કરી દીધો છે. આ NGO ના નામ જાહેર નથી કરવામાં આવ્યા.  ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર NGO ની કામગીરી રાષ્ટ્ર વિરોધી એફસીઆરએની જોગવાઇઓની વિરુદ્ધના છે. જ્યારે 11,319 સંગઠનોના રિન્યૂઅલની અરજી નહીં મળવાને કારણે રદ કરી દવામાં આવી છે. આ સંગઠનોમાં અદાણી ફાઉન્ડેશનનું નામ હોવાની પણ સંભાવના હોવાનું માનવામાં આવી રહ્યું છે. સંગઠનોએ લાયસંસ રિન્યૂ કરવાની છેલ્લી તારીખ 30 મી જૂન સુધી એફસીઆરએ રજીસ્ટ્રેશનના રિન્યૂની અરજી જમા કરાવી નથી. પહેલી નબેમ્બરથી આ સંગઠનોનું રજીસ્ટ્રેશન રદ ગણાવામાં આવશે. એફસીઆરએ રજીસ્ટ્રેશનના રિન્યૂઅલની મળેલી 16,491 અરજીમાંથી 14,730 અરજી મંજૂર કરવામાં આવી છે. 2015માં 10,000 એનજીઓનું એફસીઆરએ રજીસ્ટ્રેશન રદ થયું હતું. વિદેશી ભંડોળ મેળવવા માટે મંજૂરી મેળવેલા સંગઠનોની સંખ્યા હવે 20,500 રહી ગઇ છે. બે વર્ષ પહેલા સંખ્યા 42,500 હતી. દર પાંચ વર્ષે એફસીઆરએ લાઇસન્સ રિન્યૂ કરાવવું પડે છે. ઘણા પ્રતિષ્ઠિત એનજીઓના લાઇસન્સ અટક્યા રિન્યૂ કરવાની અરજી નહીં કરવાને કારણે જેમની માન્યતા રદ થઇ છે એવા સંગઠનોમાં આશરે 50 અનાથાલય, સેંકડો સ્કૂલ અને ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટયુટ જેવી ઘણી સંસ્થાઓ અને નિરાશ્રિત બાળકો માટે કામ કરનારા ઘણા જાણીતા એનજીઓનો સમાવેશ થાય છે. નિર્ધારિત સમય મર્યાદામાં પુરતા દસ્તાવેજ જમા નહીં કરાવાને કારણે 1736 સંસ્થાઓના લાઇસન્સ સામે સમસ્યા સર્જાઇ છે. આવી સંસ્થાઓમાં રામકૃષ્ણ મિશન, માતા અમૃતાનંદમયી મઠ, કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનના એકમોનો સમાવેશ થાય છે. સંસ્થાઓ પાસેથી જરૂરી દસ્તાવેજો 8 નવેમ્બર સુધી ઇમેલથી મોકલવાનું જણાવવામાં આવ્યું છે. તારીખ પછી તેમનું રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget