શોધખોળ કરો

બંગાળમાં TMCએ હાર સ્વીકારી, અભિષેક બેનર્જીની પહેલી પ્રતિક્રિયા - 'જનતાનો ચુકાદો...'

West Bengal election results: 15 વર્ષના શાસનના અંત બાદ TMC નેતાએ હાર સ્વીકારી, પણ કાઉન્ટિંગ ધીમું હોવાનો અને EVM ડેટા મિસમેચનો ગંભીર આરોપ લગાવ્યો; મમતા બેનર્જી જલ્દી જ રાજ્યપાલને મળી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો: મમતા બેનર્જીનું ૧૫ વર્ષનું શાસન પૂરું.
  • ભાજપ સૌથી મોટી પાર્ટી, રાજ્યમાં નવા રાજકીય સમીકરણ.
  • અભિષેક બેનર્જીએ મતગણતરી પ્રક્રિયા પર ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો.
  • EVM ડેટા અને ફોર્મ 17C માં વિસંગતતાના આરોપ.

West Bengal election results: 4 મે 2026 ના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજ્યના રાજકારણમાં મોટો ઉલટફેર કર્યો છે. મમતા બેનર્જીના 15 વર્ષના લાંબા શાસનનો અંત આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) સૌથી મોટા પક્ષ તરીકે ઉભરીને સત્તાનું સુકાન સંભાળવા જઈ રહી છે. આ ઐતિહાસિક હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ પહેલીવાર જાહેરમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે હાર સ્વીકારતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "એક સભ્ય સમાજમાં જનતા જે પણ ચુકાદો આપે, તે દરેક વ્યક્તિએ માન્ય રાખવો જોઈએ." જોકે, હાર સ્વીકારવાની સાથે જ તેમણે મતગણતરીની પ્રક્રિયા પર અનેક ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે.

અભિષેક બેનર્જીએ મતગણતરીની અત્યંત ધીમી ગતિ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે 2021 ની ચૂંટણીને યાદ કરતા કહ્યું કે, તે સમયે માત્ર સાડા આઠ કલાકમાં 90% મતગણતરી પૂરી થઈ ગઈ હતી, જ્યારે આ વખતે આટલા જ સમયમાં માંડ 6 થી 8 રાઉન્ડ જ પૂરા થયા છે. વધુમાં તેમણે એક મોટો આરોપ લગાવતા કહ્યું છે કે, કલ્યાણી વિસ્તારમાં ઓછામાં ઓછા 8 EVM એવા મળ્યા છે જ્યાં કંટ્રોલ યુનિટનો ડેટા 'ફોર્મ 17C' સાથે મેચ થઈ રહ્યો નથી.

આવી ગૂંચવણભરી સ્થિતિમાં તેમણે TMC ના તમામ કાઉન્ટિંગ એજન્ટોને ધીરજ રાખવા અને કોઈપણ સંજોગોમાં કાઉન્ટિંગ સેન્ટર છોડીને ન જવા માટે અપીલ કરી છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે બર્ધમાન દક્ષિણ બેઠક પર TMC નું વિજય નિશ્ચિત થઈ ગયું હોવા છતાં ત્યાં હજુ પણ ગણતરી ચાલુ રખાઈ છે, અને ઘણી જગ્યાએ તો મીડિયાને પણ સાચા પરિણામોની જાણકારી આપવામાં આવી રહી નથી.

શું છે અમિત શાહની 18 કલાકની 'બંગાળ રણનીતિ'? જેનાથી 190+ બેઠકો પર ખીલ્યું 'કમળ'

આ વખતની ચૂંટણીમાં ભાજપે માલદા, મુર્શિદાબાદ અને ઉત્તર બંગાળ જેવા TMC ના મજબૂત ગઢ ગણાતા વિસ્તારોમાં પણ જબરદસ્ત ગાબડાં પાડ્યા છે, જે ટીએમસી માટે મોટો ફટકો છે. પરિણામોના આ ધમધમાટ વચ્ચે અભિષેક બેનર્જી હેસ્ટિંગ્સ કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા હતા, પરંતુ તેઓ પોતે આ ચૂંટણીમાં ઉમેદવાર ન હોવાથી ચૂંટણી પંચે તેમને ત્યાંથી બહાર જવાનું કહી દીધું હતું.

બીજી તરફ, મુખ્યમંત્રી મમતા બેનર્જી હજુ પણ કાઉન્ટિંગ સેન્ટર પર જ હાજર છે. તેમણે ભાજપ પર કાઉન્ટિંગ સેન્ટરો લૂંટવાનો આરોપ લગાવ્યો છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આ પરિણામો સ્પષ્ટ થતાં જ મમતા બેનર્જી ટૂંક સમયમાં રાજ્યપાલની મુલાકાત લઈ શકે છે.

દેશની 70% વસ્તી પર હવે ભાજપનું રાજ? બંગાળની જીત સાથે બદલાયો ભારતનો રાજકીય નકશો

Frequently Asked Questions

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો ક્યારે જાહેર થયા?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મે, 2026 ના રોજ જાહેર થયા હતા.

ચૂંટણીમાં કયો પક્ષ સત્તા પર આવ્યો?

ભારતીય જનતા પાર્ટી (BJP) સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે અને સત્તાનું સુકાન સંભાળવા જઈ રહી છે, જેણે મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત લાવ્યો છે.

TMC એ ચૂંટણી પરિણામો અંગે શું પ્રતિક્રિયા આપી છે?

TMCના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ હાર સ્વીકારી છે પરંતુ મતગણતરી પ્રક્રિયા પર અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે, જેમાં EVM ડેટાની અસંગતતાનો સમાવેશ થાય છે.

મતગણતરી પ્રક્રિયા પર TMC દ્વારા કયા મુખ્ય આરોપો મૂકવામાં આવ્યા છે?

TMC એ મતગણતરીની ધીમી ગતિ અને કલ્યાણી વિસ્તારમાં ઓછામાં ઓછા 8 EVM માં કંટ્રોલ યુનિટના ડેટા 'ફોર્મ 17C' સાથે મેચ ન થવાનો આરોપ મૂક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Weather Update: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો અપડેટ 
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Advertisement

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Embed widget