શોધખોળ કરો

Aditya-L1: આદિત્ય એલ-1 એ સફળતાપૂર્વક ચોથી વખત બદલી કક્ષા, હવે 19 સપ્ટેમ્બરે કરાશે અર્થ-બાઉન્ડ ફાયર

તેમણે કહ્યું કે આ ઓપરેશન દરમિયાન મોરેશિયસ, બેંગ્લોર અને પોર્ટ બ્લેર સ્થિત ઈસરોના ગ્રાઉન્ડ સ્ટેશનો પરથી મિશનની પ્રગતિ પર નજર રાખવામાં આવી હતી

ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ1ની ચોથી ભ્રમણકક્ષા પરિવર્તન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. ભારતીય અવકાશ એજન્સી ઈસરોએ શુક્રવારે (15 સપ્ટેમ્બર) મોડી રાત્રે આ પ્રક્રિયા હાથ ધરી હતી. આ માટે થ્રસ્ટર્સને થોડા સમય માટે ફાયર કરવામાં આવ્યા હતા. ઈસરોએ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ ઓપરેશન દરમિયાન મોરેશિયસ, બેંગ્લોર અને પોર્ટ બ્લેર સ્થિત ઈસરોના ગ્રાઉન્ડ સ્ટેશનો પરથી મિશનની પ્રગતિ પર નજર રાખવામાં આવી હતી. નોંધનીય છે કે હવે 19 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે તેને લેગ્રેન્જ પોઈન્ટ L1ની ભ્રમણકક્ષામાં મુકવા માટે ભ્રમણકક્ષા વધારવામાં આવશે.                           

આ પહેલા પણ ત્રણ વખત અર્થ-બાઉન્ડ ફાયર કરાયુ છે

અગાઉ, ઈસરોએ 10 સપ્ટેમ્બરના રોજ સવારે 2.30 વાગ્યે ત્રીજી વખત આદિત્ય એલ1 અવકાશયાનની ભ્રમણકક્ષા વધારી હતી. ત્યારબાદ તેને પૃથ્વીથી 296 કિમી x 71,767 કિમીની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવ્યું હતું. તે પહેલા 3 સપ્ટેમ્બરના રોજ આદિત્ય એલ1 એ પ્રથમ વખત સફળતાપૂર્વક ભ્રમણકક્ષા બદલી હતી. ઈસરોએ સવારે લગભગ 11.45 વાગ્યે માહિતી આપી હતી કે આદિત્ય એલ-1નું અર્થ બાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું. જેની મદદથી આદિત્ય એલ1એ તેની ભ્રમણકક્ષા બદલી હતી. ઇસરોએ 5 સપ્ટેમ્બરના રોજ બીજી વખત તેની ભ્રમણકક્ષામાં ફેરફાર કર્યો હતો. ઈસરોએ પણ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. ઈસરોના જણાવ્યા અનુસાર, આદિત્ય-એલ1 પૃથ્વીની ભ્રમણકક્ષામાં 16 દિવસ વિતાવશે. આ સમયગાળા દરમિયાન પાંચ વખત આદિત્ય-L1 ની ભ્રમણકક્ષા બદલવા માટે અર્થ બાઉન્ડ ફાયર કરાશે.

આ મહિને લોન્ચ કરવામાં આવ્યુ હતું

ભારતીય અવકાશ એજન્સી ISRO એ 2 સપ્ટેમ્બરે ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય-L1 લોન્ચ કર્યું હતું. ISRO એ PSLV C57 લોન્ચ વ્હીકલથી આદિત્ય L1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થયું હતું. ચંદ્રયાન-3ની જેમ આ મિશન પહેલા પૃથ્વીની આસપાસ ફરશે અને પછી તે ઝડપથી સૂર્ય તરફ ઉડાન ભરશે.

આદિત્ય-એલ1 15 લાખ કિલોમીટરનું અંતર કાપશે

માહિતી અનુસાર, આદિત્ય-L1 અવકાશયાનને સૌર કોરોના (સૂર્યના સૌથી બહારના સ્તરો)ના દૂરસ્થ અવલોકન માટે અને L-1 (સૂર્ય-અર્થ લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવનનું અવલોકન માટે બનાવવામાં આવ્યું છે. L-1 પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટરનું અંતર કાપશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget