શોધખોળ કરો

Aditya-L1: આદિત્ય એલ-1 એ સફળતાપૂર્વક ચોથી વખત બદલી કક્ષા, હવે 19 સપ્ટેમ્બરે કરાશે અર્થ-બાઉન્ડ ફાયર

તેમણે કહ્યું કે આ ઓપરેશન દરમિયાન મોરેશિયસ, બેંગ્લોર અને પોર્ટ બ્લેર સ્થિત ઈસરોના ગ્રાઉન્ડ સ્ટેશનો પરથી મિશનની પ્રગતિ પર નજર રાખવામાં આવી હતી

ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ1ની ચોથી ભ્રમણકક્ષા પરિવર્તન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. ભારતીય અવકાશ એજન્સી ઈસરોએ શુક્રવારે (15 સપ્ટેમ્બર) મોડી રાત્રે આ પ્રક્રિયા હાથ ધરી હતી. આ માટે થ્રસ્ટર્સને થોડા સમય માટે ફાયર કરવામાં આવ્યા હતા. ઈસરોએ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ ઓપરેશન દરમિયાન મોરેશિયસ, બેંગ્લોર અને પોર્ટ બ્લેર સ્થિત ઈસરોના ગ્રાઉન્ડ સ્ટેશનો પરથી મિશનની પ્રગતિ પર નજર રાખવામાં આવી હતી. નોંધનીય છે કે હવે 19 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે તેને લેગ્રેન્જ પોઈન્ટ L1ની ભ્રમણકક્ષામાં મુકવા માટે ભ્રમણકક્ષા વધારવામાં આવશે.                           

આ પહેલા પણ ત્રણ વખત અર્થ-બાઉન્ડ ફાયર કરાયુ છે

અગાઉ, ઈસરોએ 10 સપ્ટેમ્બરના રોજ સવારે 2.30 વાગ્યે ત્રીજી વખત આદિત્ય એલ1 અવકાશયાનની ભ્રમણકક્ષા વધારી હતી. ત્યારબાદ તેને પૃથ્વીથી 296 કિમી x 71,767 કિમીની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવ્યું હતું. તે પહેલા 3 સપ્ટેમ્બરના રોજ આદિત્ય એલ1 એ પ્રથમ વખત સફળતાપૂર્વક ભ્રમણકક્ષા બદલી હતી. ઈસરોએ સવારે લગભગ 11.45 વાગ્યે માહિતી આપી હતી કે આદિત્ય એલ-1નું અર્થ બાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું. જેની મદદથી આદિત્ય એલ1એ તેની ભ્રમણકક્ષા બદલી હતી. ઇસરોએ 5 સપ્ટેમ્બરના રોજ બીજી વખત તેની ભ્રમણકક્ષામાં ફેરફાર કર્યો હતો. ઈસરોએ પણ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. ઈસરોના જણાવ્યા અનુસાર, આદિત્ય-એલ1 પૃથ્વીની ભ્રમણકક્ષામાં 16 દિવસ વિતાવશે. આ સમયગાળા દરમિયાન પાંચ વખત આદિત્ય-L1 ની ભ્રમણકક્ષા બદલવા માટે અર્થ બાઉન્ડ ફાયર કરાશે.

આ મહિને લોન્ચ કરવામાં આવ્યુ હતું

ભારતીય અવકાશ એજન્સી ISRO એ 2 સપ્ટેમ્બરે ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય-L1 લોન્ચ કર્યું હતું. ISRO એ PSLV C57 લોન્ચ વ્હીકલથી આદિત્ય L1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થયું હતું. ચંદ્રયાન-3ની જેમ આ મિશન પહેલા પૃથ્વીની આસપાસ ફરશે અને પછી તે ઝડપથી સૂર્ય તરફ ઉડાન ભરશે.

આદિત્ય-એલ1 15 લાખ કિલોમીટરનું અંતર કાપશે

માહિતી અનુસાર, આદિત્ય-L1 અવકાશયાનને સૌર કોરોના (સૂર્યના સૌથી બહારના સ્તરો)ના દૂરસ્થ અવલોકન માટે અને L-1 (સૂર્ય-અર્થ લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવનનું અવલોકન માટે બનાવવામાં આવ્યું છે. L-1 પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટરનું અંતર કાપશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget