શોધખોળ કરો

241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની માહિતી; 241 લોકોનો ભોગ લેનાર અકસ્માતમાં પાઇલટ્સ પર જ દોષનો ટોપલો ઢોળવા સામે મૃતક પાઇલટના પિતાનો વિરોધ, નિષ્પક્ષ તપાસની ઉઠી માંગ.

ahmedabad plane crash investigation: અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં હવે એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ એ જ ગોઝારો વિમાન અકસ્માત છે જેમાં 241 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હવે આ દુર્ઘટનાનો અંતિમ તપાસ રિપોર્ટ આગામી 15 સપ્ટેમ્બર સુધીમાં આવી જવાની શક્યતા છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે આ માહિતી આપી છે. કોર્ટે આ રિપોર્ટ સીલબંધ કવરમાં જમા કરાવવાનો કડક આદેશ આપ્યો છે અને કેસની આગામી સુનાવણી 13 ઓક્ટોબરના રોજ મુકરર કરી છે. બીજી તરફ, ક્રેશ થયેલા પ્લેનના મુખ્ય પાઇલટના પિતા અને અન્ય અરજદારોએ માત્ર પાઇલટ્સ પર દોષનો ટોપલો ઢોળવાનો વિરોધ કરી એકદમ નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ ઉઠાવી છે. આખી દુર્ઘટનાનું સાચું કારણ 15 સપ્ટેમ્બરે આવનારા રિપોર્ટમાં સ્પષ્ટ થઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ ચાલી રહી છે તપાસ

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે આ સમગ્ર અકસ્માતની તપાસ આંતરરાષ્ટ્રીય નિયમો અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. આટલી મોટી હવાઈ દુર્ઘટનાની તપાસ પ્રક્રિયામાં અન્ય દેશોની એજન્સીઓ પણ જોડાયેલી હોવાથી, ફાઇનલ રિપોર્ટ તૈયાર કરવામાં થોડો વધારે સમય લાગી રહ્યો છે. પરંતુ, સરકાર 15 સપ્ટેમ્બર સુધીમાં આ રિપોર્ટ પૂરો કરીને કોર્ટ સમક્ષ રજૂ કરશે. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તપાસનો આ અંતિમ અહેવાલ એક સીલબંધ પરબિડીયામાં (Sealed Cover) જ કોર્ટમાં રજૂ કરવામાં આવે.

પાઇલટ્સ પર દોષ ઢોળવાના પ્રયાસ સામે વિરોધ

આ દરમિયાન, ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનના મુખ્ય પાઇલટ સુમિત સભરવાલના પિતા અને અન્ય અરજદારોએ કોર્ટ સમક્ષ પોતાની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ દલીલ કરી છે કે આ ગોઝારા અકસ્માતમાં 241 લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે તપાસ દરમિયાન આખા અકસ્માતની જવાબદારી માત્ર પાઇલટ્સ પર જ ઢોળી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે જરાય યોગ્ય નથી.

આ પણ વાંચોઃ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચને લઈ આ વાત માની લીધી હોત તો અમદાવાદ પ્લેન ક્રેશ ન થાત! FAAએ 2018માં ચેતવણી આપી હતી

અરજદારોની માંગ: ન્યાયી અને પારદર્શક તપાસ જરૂરી

અરજદારોએ કોર્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અકસ્માતના સાચા કારણો લોકો સામે આવવા જોઈએ અને પૂરતા પુરાવા વિના માત્ર કોઈ એક જ પક્ષને જવાબદાર ઠેરવતા રોકવા માટે એક નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થવી ખૂબ જ જરૂરી છે. તેમણે એવી પણ માંગ કરી છે કે આ કેસને લગતા તમામ મહત્વપૂર્ણ પુરાવાઓને સુરક્ષિત રાખવામાં આવે અને તેની ઝીણવટભરી તપાસ થાય. તેમણે દલીલ કરી હતી કે આટલી મોટી હવાઈ દુર્ઘટનામાં કોઈપણ પુરાવાનો નાશ થાય કે તેની અવગણના કરવામાં આવે, તો આખી તપાસ જોખમમાં મુકાઈ શકે છે.

હવે આ કેસ સાથે જોડાયેલા તમામ લોકો અને પીડિત પરિવારોની નજર 15 સપ્ટેમ્બરે અપેક્ષિત તપાસ અહેવાલ પર મંડાયેલી છે, જે અકસ્માતના અસલી કારણો અને જવાબદારીઓ અંગે ચિત્ર વધુ સ્પષ્ટ કરશે.

આ પણ વાંચોઃ જાણી જોઈને અમદાવાદ પ્લેન ક્રેશ કરવામાં આવ્યું હતું? એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના મામલે નિષ્ણાતનો ચોંકાવનારો દાવો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Assam Flood: આસામમાં 50 વર્ષનું સૌથી ભયાનક પૂર, 68 લોકોના મોત, 300થી વધુ ગામો જળમગ્ન
Assam Flood: આસામમાં 50 વર્ષનું સૌથી ભયાનક પૂર, 68 લોકોના મોત, 300થી વધુ ગામો જળમગ્ન
Advertisement

વિડિઓઝ

Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Embed widget