શોધખોળ કરો

AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

AIIMS Covid vaccine study: રસી સંપૂર્ણપણે સુરક્ષિત, અચાનક થતા મૃત્યુ અને રસીકરણ વચ્ચે કોઈ વૈજ્ઞાનિક સંબંધ નથી, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હૃદય સંબંધિત બીમારીઓ મુખ્ય કારણ.

AIIMS Covid vaccine study: શું કોરોનાની રસી લીધા પછી યુવાનોમાં હાર્ટ એટેક કે અચાનક મૃત્યુનું પ્રમાણ વધ્યું છે? આ પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, નવી દિલ્હી સ્થિત દેશની સર્વોચ્ચ તબીબી સંસ્થા AIIMS દ્વારા કરવામાં આવેલા એક વર્ષના લાંબા અને સઘન અભ્યાસે આ તમામ શંકાઓ દૂર કરી દીધી છે. રવિવારે જાહેર થયેલા આ શબપરીક્ષણ-આધારિત રિપોર્ટ મુજબ, યુવાન પુખ્ત વયના લોકોમાં અચાનક થતા મૃત્યુ અને કોવિડ-19 રસીકરણ વચ્ચે કોઈ જ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. અભ્યાસ સ્પષ્ટપણે પુષ્ટિ કરે છે કે ભારતમાં આપવામાં આવેલી રસીઓ સંપૂર્ણપણે સલામત અને અસરકારક છે.

'ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ'માં પ્રકાશિત થયો રિપોર્ટ

AIIMS દ્વારા હાથ ધરવામાં આવેલા આ મહત્વપૂર્ણ સંશોધનને 'Burden of Sudden Death in Young Adults: An Observational Study in India' શીર્ષક હેઠળ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના મુખ્ય જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. સંશોધકોની ટીમે આ નિષ્કર્ષ પર આવવા માટે 18 થી 45 વર્ષની વયજૂથના લોકોના અચાનક મૃત્યુના કેસોની ઝીણવટભરી તપાસ કરી હતી. આ માટે તેમણે મૌખિક શબપરીક્ષણ, પોસ્ટ-મોર્ટમ ઇમેજિંગ, પરંપરાગત ઓટોપ્સી અને વિગતવાર હિસ્ટોપેથોલોજીકલ પરીક્ષણો જેવી અત્યાધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો.

રસી અને મોતના આંકડા વચ્ચે કોઈ કનેક્શન નહીં

અભ્યાસના તારણો મુજબ, યુવા વસ્તીમાં કોવિડ-19 રસીકરણની સ્થિતિ (Vaccination Status) અને અચાનક મૃત્યુ વચ્ચે આંકડાકીય રીતે કોઈ પણ પ્રકારનો નોંધપાત્ર સંબંધ જોવા મળ્યો નથી. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે નાની અને મોટી ઉંમરના જૂથોમાં કોવિડ ચેપનો ઈતિહાસ અને રસીકરણની સ્થિતિ બંને સમાન હતી. એટલે કે, રસી લેવી કે ન લેવી તેની સીધી અસર અચાનક થતા મૃત્યુ પર જોવા મળી નથી. સંશોધકોએ સ્પષ્ટ કર્યું કે તેમના પરિણામો વૈશ્વિક વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે સુસંગત છે, જે કોવિડ રસીની સુરક્ષાને સમર્થન આપે છે.

હૃદયરોગ અને શ્વસન સમસ્યાઓ અસલી કારણ

તો પછી યુવાનોમાં અચાનક મૃત્યુ કેમ થઈ રહ્યા છે? આ પ્રશ્નના જવાબમાં સંશોધકોને જાણવા મળ્યું કે મોટાભાગના મૃત્યુ માટે અગાઉથી અસ્તિત્વમાં હોય તેવી જાણીતી તબીબી પરિસ્થિતિઓ જવાબદાર હતી.

હૃદય રોગ: અચાનક મૃત્યુ પાછળનું સૌથી મોટું અને મુખ્ય કારણ હૃદય સંબંધિત બિમારીઓ (Cardiovascular Diseases) હોવાનું સામે આવ્યું છે.

અન્ય કારણો: ઘણા કિસ્સાઓમાં શ્વસન તંત્રના રોગો અને અન્ય બિન-હૃદય કારણો પણ ઓળખી કાઢવામાં આવ્યા હતા, જે દર્દીના ધ્યાનમાં ન હતા.

ભ્રામક અફવાઓથી દૂર રહેવા નિષ્ણાતોની સલાહ

AIIMS નવી દિલ્હીના પ્રોફેસર ડૉ. સુધીર આરવાએ આ અભ્યાસને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર રસી અને મૃત્યુ વચ્ચેના સંબંધ અંગે અનેક ભ્રામક અને અપ્રમાણિત દાવાઓ થઈ રહ્યા છે. આ અભ્યાસ આવા દાવાઓને ખોટા સાબિત કરે છે.

આરોગ્ય નિષ્ણાતોના મતે, યુવાનોમાં થતા દુઃખદ મૃત્યુ ઘણીવાર શરીરની અંદર છુપાયેલી (Undiagnosed) સ્વાસ્થ્ય સમસ્યાઓનું પરિણામ હોય છે. ડૉક્ટરોએ સલાહ આપી છે કે લોકોએ ખોટી માહિતીથી ગભરાવાને બદલે નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ, જીવનશૈલીમાં સુધારો કરવો જોઈએ અને વૈજ્ઞાનિક તથ્યો પર વિશ્વાસ રાખવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, ઓફિસના અશ્લીલ વીડિયો વાયરલ, જાણો આરોપો પર શું બોલ્યા
કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, ઓફિસના અશ્લીલ વીડિયો વાયરલ, જાણો આરોપો પર શું બોલ્યા
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
Trump Peace Plan: 'ગાઝા બાદ ક્યાંક કાશ્મીર...', એટલે બૉર્ડ ઓફ પીસમાં સામેલ થવાથી ખચકાઇ રહ્યું છે ભારત ? ટ્રમ્પ પર શક
Trump Peace Plan: 'ગાઝા બાદ ક્યાંક કાશ્મીર...', એટલે બૉર્ડ ઓફ પીસમાં સામેલ થવાથી ખચકાઇ રહ્યું છે ભારત ? ટ્રમ્પ પર શક
Astro: શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 3 રાશિઓને રહેવું પડશે સાવધાન, મે 2026 સુધીનો સમય રહેશે પડકારોથી ભરેલો
Astro: શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 3 રાશિઓને રહેવું પડશે સાવધાન, મે 2026 સુધીનો સમય રહેશે પડકારોથી ભરેલો
Embed widget