શોધખોળ કરો

Coronaની નવી લહેર વચ્ચે શું લેવી પડશે વેક્સિનની ચોથી ડોઝ? જાણો શું કહે છે નિષ્ણાંતો?

ચીનમાં વધી રહેલા કોરોના કેસને લઈને ભારત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે

ચીનમાં વધી રહેલા કોરોના કેસને લઈને ભારત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. ચીનમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોનાના કેસ પાછળ જવાબદાર ઓમિક્રોનના નવા વેરિઅન્ટ BF.7ના પાંચ કેસ ભારતમા નોંધાતા સરકાર ચિંતિત બની છે. તેમાંથી ગુજરાતમાં 3 અને ઓડિશામાં 2 કેસ નોંધાયા છે. ફરી એકવાર કોરોનાને લઈને વધતી તકેદારી વચ્ચે, હવે ચર્ચા એ પણ શરૂ થઈ ગઈ છે કે શું ભારતના લોકોને કોરોના રસીના ચોથા ડોઝની જરૂર છે?

આ તમામ પ્રશ્નો વચ્ચે બુધવારે ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભારતમાં રસીકરણને સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં દેશની માત્ર 27 ટકા વસ્તીએ જ કોરોના રસીનો પ્રિકોશન ડોઝ (ત્રીજો ડોઝ) લીધો છે. બેઠકમાં આ બાબતે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. મીટીંગમાં હાજર રહેલા નીતિ આયોગની આરોગ્ય સમિતિના સભ્ય ડો. વી.કે. પોલે વરિષ્ઠ નાગરિકોને કોરોના રસીનો પ્રિકોશનનો ડોઝ વહેલી તકે લઇ લેવાની અપીલ કરી હતી.

શું કોરોના રસીનો ચોથો ડોઝ લેવાની જરૂર છે કે નહીં? આ પ્રશ્ન પર વચ્ચે AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા સાથે વાત કરી હતી. તેમણે રસીનો ત્રીજો ડોઝ લેવાનો આગ્રહ કર્યો હતો. ડો. ગુલેરિયાએ કહ્યું કે અત્યાર સુધી એવો કોઈ ડેટા આવ્યો નથી, જે ચોથા ડોઝની જરૂરિયાત પર ભાર મૂકે. એટલે કે અત્યારે ચોથો ડોઝ લેવાની જરૂર નથી. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી ખાસ પ્રકારની બાયવેલેન્ટ રસી આવી ના જાય ત્યાં સુધી તેની જરૂર નથી.

બાયવેલેન્ટ રસી શું છે?

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા બાયવેલેન્ટ રસીની વ્યાખ્યા કરવામાં આવી છે. તેમના મતે, બાયવેલેન્ટ રસી એ એક રસી છે જે મૂળ વાયરસના સ્ટ્રેનના કંમ્પોનન્ટ અને ઓમિક્રોનના વેરિઅન્ટના એક કંમ્પોનન્ટને જોડીને બનાવવામાં આવે છે. આ રોગ સામે વધુ સારી અને વધુ સુરક્ષા આપે છે. આ બે ઘટકોના ઉપયોગને કારણે જ તેને બાયવેલેન્ટ રસી કહેવામાં આવે છે.

બાયવેલેન્ટ રસી કોવિડ-19ના બૂસ્ટર ડોઝના અપડેટેડ વર્ઝન તરીકે પણ જોવામાં આવે છે. મૂળ કોરોના રસી SARS-CoV-2 વાયરસને લક્ષ્ય બનાવે છે જે સૌપ્રથમ 2019 માં દેખાયા હતા, પરંતુ બાયવેલેન્ટ રસી કોરોનાના બે વેરિઅન્ટ (મૂળ અને ઓમિક્રોન બંને) ને લક્ષ્ય બનાવે છે. હાલમાં ભારતમાં ઉપયોગમાં લેવાતી કોઈપણ રસી બાયવેલેન્ટ નથી. ભારતની બહાર ફાઈઝર અને બાયોએન્ટેકની બાયવેલેન્ટ રસી અને મોડર્નાની mRNA રસીનો ઉપયોગ બુસ્ટિગના હેતુથી કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Embed widget