શોધખોળ કરો

Coronaની નવી લહેર વચ્ચે શું લેવી પડશે વેક્સિનની ચોથી ડોઝ? જાણો શું કહે છે નિષ્ણાંતો?

ચીનમાં વધી રહેલા કોરોના કેસને લઈને ભારત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે

ચીનમાં વધી રહેલા કોરોના કેસને લઈને ભારત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. ચીનમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોનાના કેસ પાછળ જવાબદાર ઓમિક્રોનના નવા વેરિઅન્ટ BF.7ના પાંચ કેસ ભારતમા નોંધાતા સરકાર ચિંતિત બની છે. તેમાંથી ગુજરાતમાં 3 અને ઓડિશામાં 2 કેસ નોંધાયા છે. ફરી એકવાર કોરોનાને લઈને વધતી તકેદારી વચ્ચે, હવે ચર્ચા એ પણ શરૂ થઈ ગઈ છે કે શું ભારતના લોકોને કોરોના રસીના ચોથા ડોઝની જરૂર છે?

આ તમામ પ્રશ્નો વચ્ચે બુધવારે ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભારતમાં રસીકરણને સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં દેશની માત્ર 27 ટકા વસ્તીએ જ કોરોના રસીનો પ્રિકોશન ડોઝ (ત્રીજો ડોઝ) લીધો છે. બેઠકમાં આ બાબતે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. મીટીંગમાં હાજર રહેલા નીતિ આયોગની આરોગ્ય સમિતિના સભ્ય ડો. વી.કે. પોલે વરિષ્ઠ નાગરિકોને કોરોના રસીનો પ્રિકોશનનો ડોઝ વહેલી તકે લઇ લેવાની અપીલ કરી હતી.

શું કોરોના રસીનો ચોથો ડોઝ લેવાની જરૂર છે કે નહીં? આ પ્રશ્ન પર વચ્ચે AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા સાથે વાત કરી હતી. તેમણે રસીનો ત્રીજો ડોઝ લેવાનો આગ્રહ કર્યો હતો. ડો. ગુલેરિયાએ કહ્યું કે અત્યાર સુધી એવો કોઈ ડેટા આવ્યો નથી, જે ચોથા ડોઝની જરૂરિયાત પર ભાર મૂકે. એટલે કે અત્યારે ચોથો ડોઝ લેવાની જરૂર નથી. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી ખાસ પ્રકારની બાયવેલેન્ટ રસી આવી ના જાય ત્યાં સુધી તેની જરૂર નથી.

બાયવેલેન્ટ રસી શું છે?

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા બાયવેલેન્ટ રસીની વ્યાખ્યા કરવામાં આવી છે. તેમના મતે, બાયવેલેન્ટ રસી એ એક રસી છે જે મૂળ વાયરસના સ્ટ્રેનના કંમ્પોનન્ટ અને ઓમિક્રોનના વેરિઅન્ટના એક કંમ્પોનન્ટને જોડીને બનાવવામાં આવે છે. આ રોગ સામે વધુ સારી અને વધુ સુરક્ષા આપે છે. આ બે ઘટકોના ઉપયોગને કારણે જ તેને બાયવેલેન્ટ રસી કહેવામાં આવે છે.

બાયવેલેન્ટ રસી કોવિડ-19ના બૂસ્ટર ડોઝના અપડેટેડ વર્ઝન તરીકે પણ જોવામાં આવે છે. મૂળ કોરોના રસી SARS-CoV-2 વાયરસને લક્ષ્ય બનાવે છે જે સૌપ્રથમ 2019 માં દેખાયા હતા, પરંતુ બાયવેલેન્ટ રસી કોરોનાના બે વેરિઅન્ટ (મૂળ અને ઓમિક્રોન બંને) ને લક્ષ્ય બનાવે છે. હાલમાં ભારતમાં ઉપયોગમાં લેવાતી કોઈપણ રસી બાયવેલેન્ટ નથી. ભારતની બહાર ફાઈઝર અને બાયોએન્ટેકની બાયવેલેન્ટ રસી અને મોડર્નાની mRNA રસીનો ઉપયોગ બુસ્ટિગના હેતુથી કરવામાં આવી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
Delhi Bomb Threat:  દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Delhi Bomb Threat: દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Parshottam Rupala | ચૂંટણી પૂર્ણ થતાં જ રૂપાલા જયરાજસિંહને મળવા પહોંચ્યા | શું થઈ વાતચીત?Navsari News | નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતાBharat Sutariya Vs Kacnhadiya | થેંક્યું ન બોલી શકે એવાને ભાજપે ટિકિટ આપી, પત્ર લખી કહ્યું થેંક યુHun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ભડકાનું કારણ શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
Delhi Bomb Threat:  દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Delhi Bomb Threat: દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Chips Packets:  એક 20 રુપિયાના ચિપ્સના પેકેટમાં કેટલું તેલ હોય છે? જવાબ સાંભળીને ખાવાનું છોડી દીધું
Chips Packets: એક 20 રુપિયાના ચિપ્સના પેકેટમાં કેટલું તેલ હોય છે? જવાબ સાંભળીને ખાવાનું છોડી દીધું
Watch: દડો સ્ટમ્પને ન લાગ્યો છતા પણ જાડેજાને આપી દેવામાં આવ્યો આઉટ, જાણો અજીબોગરીબ ઘટના
Watch: દડો સ્ટમ્પને ન લાગ્યો છતા પણ જાડેજાને આપી દેવામાં આવ્યો આઉટ, જાણો અજીબોગરીબ ઘટના
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
Embed widget