શોધખોળ કરો
અમિત શાહની તબિયત અંગે આવ્યા મોટા સમાચાર, શાહ દાખલ છે તે AIIMSએ શું કહ્યું ?
કોરોનાની સારવાર પછી ફરી તબિયત લથડતાં અમિત શાહને પોસ્ટ કોવિડ કેર માટે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા હતા.

નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તબિયત સારી છે અને તેમને બહુ જલદી ડિસ્ચાર્જ કરાશે એવી જાહેરાત ઓળ ઈડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) દ્વારા કરવામાં આવે છે. કોરોનાની સારવાર પછી ફરી તબિયત લથડતાં અમિત શાહને પોસ્ટ કોવિડ કેર માટે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા હતા. ગૃહમંત્રી અમિત શાહની તબીયત હવે સંપૂર્ણ પણે સારી છે એવી જાહેરાત એઈમ્સે શનિવારે કરી હતી. એઈમ્સ દ્વારા એ પણ કહેવાયું છે કે, તેમને હોસ્પિટલમાંથી ટૂંક સમયમાં રજા અપાશે. શાહને પોસ્ટ કોવિડ કેર માટે 18 ઓગસ્ટના રોજ એઈમ્સમાં દાખલ કરાયા હતા. 55 વર્ષના શાને શરીરમાં દુખાવો, થાક અને ચક્કરની ફરીયાદ હતી. એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાની આગેવાનીમાં સારવાર ચાલી રહી છે. 2 ઓગસ્ટના રોજ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. ગુરગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર થઈ હતી. 14 ઓગસ્ટના રોજ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતાં રજા અપાઈ હતી પણ પછી તરત જ થાકની ફરિયાદના પગલે 18 ઓગસ્ટના રોજ તેઓ એઈમ્સમાં દાખલ થઈ ગયા હતા.
વધુ વાંચો





















