શોધખોળ કરો

Amit Shah Bihar Visit: શું બિહારમાં નીતિશ કુમારની સરકાર પડી જશે? અમિત શાહના એક નિવેદનથી મચ્યો હડકંપ

Amit Shah Bihar Visit: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે (16 સપ્ટેમ્બર) બિહારની મુલાકાતે હતા. અહીં મધુબની જિલ્લાના ઝાંઝરપુર ખાતે પાર્ટીની રેલીને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતાએ બિહારમાં વહેલી ચૂંટણીની આગાહી કરી હતી.

Amit Shah Bihar Visit: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે (16 સપ્ટેમ્બર) બિહારની મુલાકાતે હતા. અહીં મધુબની જિલ્લાના ઝાંઝરપુર ખાતે પાર્ટીની રેલીને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતાએ બિહારમાં વહેલી ચૂંટણીની આગાહી કરી હતી. તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

 

અમિત શાહે કહ્યું, હું બિહારની સરહદ પરની તમામ સમસ્યાઓ (ઘૂસણખોરી, જમીન હડપ કરવી, ગેરકાયદેસર વેપાર)થી પરિચિત છું. હું તમને ખાતરી આપું છું કે બિહારમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે અને પીએમ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બનશે. કેન્દ્રીય ગૃહમંત્રીના આ દાવાથી એ જાણવું જરૂરી છે કે નીતીશ કુમારની સરકાર પર કોઈ ખતરો છે કે કેમ અને હાલમાં બિહાર વિધાનસભાની શું સ્થિતિ છે.

બિહાર વિધાનસભાનું સમીકરણ

243 સભ્યોની બિહાર વિધાનસભામાં સરકાર બનાવવા માટે 122 બેઠકો ફરજિયાત છે. હાલમાં, રાજ્યમાં મહાગઠબંધનની સરકાર છે જેમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD), જનતા દળ યુનાઇટેડ (JDU), કોંગ્રેસ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI), CPI (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) (CPIM) નો સમાવેશ થાય છે. મહાગઠબંધન પાસે કુલ 160 બેઠકો છે જેમાં RJDની 79 બેઠકો, JDUની 45, કોંગ્રેસની 19, CPI માર્ક્સવાદી-લેનિનિસ્ટની 12, CPI અને CPIMની 2-2 બેઠકો અને એક અપક્ષ ધારાસભ્યનો સમાવેશ થાય છે.

શું મહાગઠબંધનની સરકાર જોખમમાં છે?

રાજ્યમાં વિપક્ષી પક્ષોમાં ભાજપ પાસે 78 બેઠકો છે, હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર) પાસે 4 બેઠકો છે. AIMIM પાસે એક સીટ છે. વિધાનસભાના વર્તમાન સમીકરણ પર નજર કરીએ તો નીતિશ સરકારને કોઈ ખતરો દેખાતો નથી. જો કે રાજકારણમાં શું થશે તે કોઈ જાણતું નથી, પરંતુ હાલમાં મહાગઠબંધનની સરકાર સુરક્ષિત છે.

નીતિશ કુમારે NDA છોડી દીધું હતું

બિહારમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી વર્ષ 2020 માં યોજાઈ હતી જેમાં નીતિશ કુમાર ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સાથે હતા. ચૂંટણીમાં જીત બાદ એનડીએ સરકાર બની અને નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. જો કે ગયા વર્ષે ઓગસ્ટમાં નીતીશ કુમારની પાર્ટી એનડીએથી અલગ થઈ ગઈ હતી અને મહાગઠબંધનમાં સામેલ થઈ હતી. જે બાદ બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં મહાગઠબંધનની સરકાર બની હતી. રાજ્યમાં આગામી ચૂંટણી વર્ષ 2025માં યોજાવાની છે.

મુખ્યમંત્રી પર અમિત શાહનો ટોણો

કેન્દ્રીય ગૃહ પ્રધાને શનિવારે રેલીમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પર પણ કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે, બિહારમાં અપહરણ, ફાયરિંગ, લૂંટફાટ, પત્રકારો અને દલિતોની હત્યાની ઘટનાઓ વધી રહી છે. આ સ્વાર્થી ગઠબંધન જે રચાયું છે તે સૌથી ખરાબ છે. તેએ બિહારને ફરીથી જંગલરાજની દિશામાં લઈ જવા જઈ રહ્યું છે. લાલુ યાદવ ફરી સક્રિય થયા છે, નીતીશ કુમાર નિષ્ક્રિય થઈ ગયા છે, તો તમે સમજી શકશો કે બિહાર કેવી રીતે ચાલશે.

નીતિશ કુમારે વળતો પ્રહાર કર્યો

નીતિશ કુમારે પણ અમિત શાહના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, "અમિત શાહ કંઈ પણ બોલે છે. અમે તેમના નિવેદન પર ધ્યાન આપતા નથી. બિહારમાં કેટલો વિકાસ થઈ રહ્યો છે, દેશમાં શું થઈ રહ્યું છે તેનો કોઈ ખ્યાલ તેમને છે? કેટલીક પાર્ટીઓ એક થઈ રહી છે, તેથી તેઓ નર્વસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
Embed widget