શોધખોળ કરો

Amit Shah Bihar Visit: શું બિહારમાં નીતિશ કુમારની સરકાર પડી જશે? અમિત શાહના એક નિવેદનથી મચ્યો હડકંપ

Amit Shah Bihar Visit: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે (16 સપ્ટેમ્બર) બિહારની મુલાકાતે હતા. અહીં મધુબની જિલ્લાના ઝાંઝરપુર ખાતે પાર્ટીની રેલીને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતાએ બિહારમાં વહેલી ચૂંટણીની આગાહી કરી હતી.

Amit Shah Bihar Visit: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે (16 સપ્ટેમ્બર) બિહારની મુલાકાતે હતા. અહીં મધુબની જિલ્લાના ઝાંઝરપુર ખાતે પાર્ટીની રેલીને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતાએ બિહારમાં વહેલી ચૂંટણીની આગાહી કરી હતી. તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

 

અમિત શાહે કહ્યું, હું બિહારની સરહદ પરની તમામ સમસ્યાઓ (ઘૂસણખોરી, જમીન હડપ કરવી, ગેરકાયદેસર વેપાર)થી પરિચિત છું. હું તમને ખાતરી આપું છું કે બિહારમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે અને પીએમ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બનશે. કેન્દ્રીય ગૃહમંત્રીના આ દાવાથી એ જાણવું જરૂરી છે કે નીતીશ કુમારની સરકાર પર કોઈ ખતરો છે કે કેમ અને હાલમાં બિહાર વિધાનસભાની શું સ્થિતિ છે.

બિહાર વિધાનસભાનું સમીકરણ

243 સભ્યોની બિહાર વિધાનસભામાં સરકાર બનાવવા માટે 122 બેઠકો ફરજિયાત છે. હાલમાં, રાજ્યમાં મહાગઠબંધનની સરકાર છે જેમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD), જનતા દળ યુનાઇટેડ (JDU), કોંગ્રેસ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI), CPI (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) (CPIM) નો સમાવેશ થાય છે. મહાગઠબંધન પાસે કુલ 160 બેઠકો છે જેમાં RJDની 79 બેઠકો, JDUની 45, કોંગ્રેસની 19, CPI માર્ક્સવાદી-લેનિનિસ્ટની 12, CPI અને CPIMની 2-2 બેઠકો અને એક અપક્ષ ધારાસભ્યનો સમાવેશ થાય છે.

શું મહાગઠબંધનની સરકાર જોખમમાં છે?

રાજ્યમાં વિપક્ષી પક્ષોમાં ભાજપ પાસે 78 બેઠકો છે, હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર) પાસે 4 બેઠકો છે. AIMIM પાસે એક સીટ છે. વિધાનસભાના વર્તમાન સમીકરણ પર નજર કરીએ તો નીતિશ સરકારને કોઈ ખતરો દેખાતો નથી. જો કે રાજકારણમાં શું થશે તે કોઈ જાણતું નથી, પરંતુ હાલમાં મહાગઠબંધનની સરકાર સુરક્ષિત છે.

નીતિશ કુમારે NDA છોડી દીધું હતું

બિહારમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી વર્ષ 2020 માં યોજાઈ હતી જેમાં નીતિશ કુમાર ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સાથે હતા. ચૂંટણીમાં જીત બાદ એનડીએ સરકાર બની અને નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. જો કે ગયા વર્ષે ઓગસ્ટમાં નીતીશ કુમારની પાર્ટી એનડીએથી અલગ થઈ ગઈ હતી અને મહાગઠબંધનમાં સામેલ થઈ હતી. જે બાદ બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં મહાગઠબંધનની સરકાર બની હતી. રાજ્યમાં આગામી ચૂંટણી વર્ષ 2025માં યોજાવાની છે.

મુખ્યમંત્રી પર અમિત શાહનો ટોણો

કેન્દ્રીય ગૃહ પ્રધાને શનિવારે રેલીમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પર પણ કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે, બિહારમાં અપહરણ, ફાયરિંગ, લૂંટફાટ, પત્રકારો અને દલિતોની હત્યાની ઘટનાઓ વધી રહી છે. આ સ્વાર્થી ગઠબંધન જે રચાયું છે તે સૌથી ખરાબ છે. તેએ બિહારને ફરીથી જંગલરાજની દિશામાં લઈ જવા જઈ રહ્યું છે. લાલુ યાદવ ફરી સક્રિય થયા છે, નીતીશ કુમાર નિષ્ક્રિય થઈ ગયા છે, તો તમે સમજી શકશો કે બિહાર કેવી રીતે ચાલશે.

નીતિશ કુમારે વળતો પ્રહાર કર્યો

નીતિશ કુમારે પણ અમિત શાહના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, "અમિત શાહ કંઈ પણ બોલે છે. અમે તેમના નિવેદન પર ધ્યાન આપતા નથી. બિહારમાં કેટલો વિકાસ થઈ રહ્યો છે, દેશમાં શું થઈ રહ્યું છે તેનો કોઈ ખ્યાલ તેમને છે? કેટલીક પાર્ટીઓ એક થઈ રહી છે, તેથી તેઓ નર્વસ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dhoraji Rain | ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર | પૂરના પાણીમાં નાંખતા બોલેરો ફસાઈ!Lonavala Bhushi Dam Incident | લોનાવાલા ડેમમાં પૂર આવતાં આખો પરિવાર તણાયો, હાજર લોકો બચાવી ન શક્યાAhmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
PNB Recruitment 2024: ગ્રેજ્યુએટ માટે પંજાબ નેશનલ બેંકમાં 2700 જગ્યાઓ પર ભરતી બહાર પડી, ફટાફટા કરો અરજી
PNB Recruitment 2024: ગ્રેજ્યુએટ માટે પંજાબ નેશનલ બેંકમાં 2700 જગ્યાઓ પર ભરતી બહાર પડી, ફટાફટા કરો અરજી
ICC T20 World Cup 2024: ICCએ જાહેર કરી ટી-20 વર્લ્ડકપની ટીમ, રોહિત શર્મા કેપ્ટન, કોહલી બહાર
ICC T20 World Cup 2024: ICCએ જાહેર કરી ટી-20 વર્લ્ડકપની ટીમ, રોહિત શર્મા કેપ્ટન, કોહલી બહાર
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Embed widget