શોધખોળ કરો

Anju: ભારતીય યુવતી અંજૂના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાએ પોલીસને આપેલી એફિડેવિટમાં શું શું કહ્યુ?

રાજસ્થાનના ભિવાડીથી પાકિસ્તાન પહોંચેલી અંજુનો કિસ્સો ચર્ચામાં છે

રાજસ્થાનના ભિવાડીથી પાકિસ્તાન પહોંચેલી અંજુનો કિસ્સો ચર્ચામાં છે. જ્યારે એક તરફ એવું કહેવામાં આવી રહ્યું હતું કે અંજુ તેના પ્રેમી નસરુલ્લા સાથે સગાઈ કરવા પાકિસ્તાન ગઈ છે. તો બીજી તરફ અંજુ અને નસરુલ્લાએ આ વાતોને નકારી કાઢી હતી અને કહ્યું કે તેઓ માત્ર મિત્રો છે. તેમનો લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. દરમિયાન, પાકિસ્તાન પોલીસ તરફથી જાણવા મળ્યું છે કે નસરુલ્લાએ એફિડેવિટ તેમને જમા કરાવી છે.

નસરુલ્લાએ અંજુ સાથેની તેની મિત્રતામાં કોઈપણ પ્રેમના એંગલને નકારી કાઢ્યો છે. નસરુલ્લાએ આપેલા એફિડેવિટ મુજબ, તેમની (અંજુ અને નસરુલ્લા) મિત્રતામાં કોઈ પ્રેમ સંબંધ નથી અને અંજુ 20 ઓગસ્ટે ભારત પરત ફરશે. એફિડેવિટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે અપર ડીર જિલ્લામાંથી બહાર નહીં જાય.

તેના વિઝા દસ્તાવેજો મુજબ તે ચોક્કસપણે 20 ઓગસ્ટના રોજ પરત જશે એમ જિલ્લા પોલીસ અધિકારી (ડીપીઓ) મુશ્તાક ખાને જણાવ્યું હતું. ખાને રવિવારે તેમની ઓફિસમાં અંજુ સાથે પૂછપરછ કરી હતી અને તેના પ્રવાસ દસ્તાવેજો તપાસ્યા હતા.  જેના આધારે તેને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

પેશાવરથી લગભગ 300 કિમી દૂર જિલ્લાના કુલશો ગામમાંથી નસરુલ્લાએ એક ન્યૂઝ એજન્સીને ફોન પર જણાવ્યું કે, "અંજુ પાકિસ્તાનના પ્રવાસે છે અને અમારી લગ્ન કરવાની કોઈ યોજના નથી." તેણે કહ્યું કે, વિઝા સમાપ્ત થયા બાદ તે 20 ઓગસ્ટે તેના દેશ પરત જશે. અંજુ મારા પરિવારની અન્ય મહિલા સભ્યો સાથે તેમના ઘરમાં અલગ રૂમમાં રહે છે.

નવી દિલ્હીમાં પાકિસ્તાનના હાઈ કમિશન તરફથી મોકલવામાં આવેલા આંતરિક મંત્રાલયના સત્તાવાર દસ્તાવેજ અનુસાર, અંજુને 30 દિવસના વિઝા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે ફક્ત અપર ડીર માટે માન્ય છે.

અંજુ ખોટું બોલીને પાકિસ્તાન ગઈ હતીઃ અરવિંદ

બીજી તરફ અંજુના પતિ અરવિંદનું કહેવું છે કે, મારી પત્ની મારી સાથે ખોટું બોલીને ભીવાડીથી પાકિસ્તાન પહોંચી ગઈ છે. તેણે મને કહ્યું કે તે તેના એક મિત્રને મળવા જયપુર જઈ રહી છે. હું 4 દિવસ સુધી વોટ્સએપ દ્વારા તેની સાથે વાત કરતો રહ્યો. પરંતુ રવિવારે મને ખબર પડી કે તે જયપુરમાં નહીં પરંતુ પાકિસ્તાનના લાહોરમાં છે. પહેલીવાર તેણે મારી સાથે ખોટું બોલ્યું જે તદ્દન ખોટું છે. હવે મારા બાળકો જ નક્કી કરશે કે આપણે અંજુ સાથે રહીશું કે નહીં.

પાકિસ્તાનથી ટૂંક સમયમાં ભારત પરત ફરીશઃ અંજુ

અંજુ કહે છે કે હા, મેં પાકિસ્તાન જવા વિશે કોઈને કહ્યું નથી. પરંતુ હું ટૂંક સમયમાં ભારત પરત ફરીશ. તેણે કહ્યું કે હાલમાં તે પેશાવરથી આગળ અપર ડીર વિસ્તારમાં છે અને સુરક્ષિત છે. અંજુએ કહ્યું, “હું અહીં મુલાકાત લેવા આવી છું. મેં તમામ કાયદાકીય ફોર્મેટનું પાલન કર્યું છે. હું બધું પ્લાનિંગ અને તૈયારી કરીને આવી છું અને અહીં મારે અહી એક લગ્નમાં સામેલ થવાનું હતું. હું વાઘા બોર્ડરથી પાકિસ્તાન પહોંચી છું. સૌ પ્રથમ હું ભીવાડીથી દિલ્હી આવી હતી. દિલ્હીથી અમૃતસર પહોંચી અને ત્યારબાદ હું ફરી વાઘા બોર્ડરથી પાકિસ્તાન પહોંચી છું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Embed widget