Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election 2025 Results: દિલ્હી ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ આપના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રથમ પ્રતિક્રિયા આપી છે.

Delhi Election 2025 Results: દિલ્હી ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ આપના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "અમે લોકોના જનાદેશને ખૂબ જ નમ્રતાથી સ્વીકારીએ છીએ. હું ભાજપને આ જીત માટે અભિનંદન આપું છું અને મને આશા છે કે તેઓ તે બધા વચનો પૂરા કરશે જેના માટે લોકોએ તેમને મત આપ્યા છે. અમે છેલ્લા 10 વર્ષમાં આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે. અમે ફક્ત રચનાત્મક વિપક્ષની ભૂમિકા જ નહીં ભજવીશું પણ લોકોની વચ્ચે રહીશું અને તેમની સેવા કરતા રહીશું..."
#WATCH | On #DelhiElection2025, AAP national convener and former Delhi CM, Arvind Kejriwal, "We accept the mandate of the people with great humility. I congratulate the BJP for this victory and I hope they will fulfil all the promises for which people have voted them. We have… pic.twitter.com/VZOwLS8OVH
— ANI (@ANI) February 8, 2025
અરવિંદ કેજરીવાલે કહ્યું, લોકોએ છેલ્લા 10 વર્ષમાં અમને તક આપી. અમે ઘણું કામ કર્યું. અમે શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી અને અન્ય ઘણી રીતે લોકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો. અમે દિલ્હીના માળખાગત સુવિધાઓને સુધારવાનો પ્રયાસ કર્યો. હવે, લોકોએ અમને જે નિર્ણય આપ્યો છે, અમે ફક્ત રચનાત્મક વિપક્ષની ભૂમિકા જ નહીં ભજવીશું પણ અમે સમાજ સેવા પણ કરીશું, લોકોના સુખ-દુઃખમાં મદદ કરીશું, અને વ્યક્તિગત રીતે, જેને પણ અમારી જરૂર હશે, અમે હંમેશા તેમના સુખ-દુઃખમાં મદદ કરીશું. કારણ કે અમે સત્તા માટે રાજકારણમાં આવ્યા નથી.
કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન - કેજરીવાલ
વધુમાં, તેમણે કહ્યું, "અમે રાજકારણને એક એવું માધ્યમ માનીએ છીએ જેના દ્વારા આપણે જનતાની સેવા કરી શકીએ છીએ. જેના દ્વારા આપણે લોકોને તેમના સુખ-દુઃખમાં મદદ કરી શકીએ છીએ. અમે કામ કરતા રહીશું અને ભવિષ્યમાં પણ આપણે એ જ રીતે લોકોને તેમના સુખ-દુઃખમાં મદદ કરવી પડશે. હું આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોને અભિનંદન આપવા માંગુ છું. તમે ખૂબ જ સારું કામ કર્યું. તમે ખૂબ જ મહેનત કરી. તમે એક શાનદાર ચૂંટણી લડ્યા અને હું બધા કાર્યકરોને અભિનંદન આપવા માંગુ છું."
તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી માત્ર સત્તાથી બહાર થઈ ગઈ છે એટલું જ નહીં પરંતુ અરવિંદ કેજરીવાલ પોતે પણ પોતાની બેઠક બચાવી શક્યા નથી. નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી તેમને ભાજપના પ્રવેશ વર્માએ હરાવ્યા હતા. આ બેઠક પર ૧૪ રાઉન્ડની મતગણતરી બાદ, અરવિંદ કેજરીવાલને ૪૨.૧૮ ટકા સાથે ૨૫૯૯૯ મત મળ્યા. વિજેતા પ્રવેશ વર્માને 30088 મત મળ્યા. કોંગ્રેસના સંદીપ દીક્ષિતને ૪૫૬૮ મત મળ્યા.
આ પણ વાંચો....
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
