શોધખોળ કરો

Ram Mandir Donation List: અંબાણી પાછળ રહી ગયા? રામ મંદિર માટે આ 'ગુજરાતી સંતે' આપ્યું સૌથી મોટું દાન! આંકડો જાણીને ચોંકી જશો

રામ મંદિર માટે આર્થિક સહયોગ આપવામાં ગુજરાત અને ગુજરાતીઓ મોખરે રહ્યા છે. મોરારી બાપુએ રામ મંદિર માટે વ્યક્તિગત રીતે સૌથી મોટું એટલે કે ₹11.3 કરોડનું દાન આપ્યું છે.

Ram temple biggest donor: અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર પર આજે એક ઐતિહાસિક ક્ષણ સર્જાવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવાહ પંચમીના પાવન અવસરે રામ મંદિરના શિખર પર ભગવો ધ્વજ લહેરાવશે. આ ભવ્ય મંદિરના નિર્માણમાં દેશ-વિદેશના લાખો ભક્તોએ યથાશક્તિ યોગદાન આપ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ડેટા મુજબ, જાણીતા કથાકાર અને આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ મંદિર નિર્માણ માટે સૌથી વધુ રોકડ દાન આપ્યું છે. આ ઉપરાંત, સુરતના હીરા ઉદ્યોગકારો અને અંબાણી પરિવારે પણ કરોડો રૂપિયાનું સમર્પણ કર્યું છે. આવો જાણીએ રામ લલાના ચરણોમાં કોણે કેટલી સંપત્તિ અર્પણ કરી છે.

PM મોદીના હસ્તે શિખર પર ધ્વજવંદન

આજે અયોધ્યામાં ભગવાન રામ અને માતા સીતાના વિવાહ પંચમી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત દરમિયાન (સવારે 11:58 થી બપોરે 12:30 વચ્ચે) મંદિરના શિખર પર ધ્વજારોહણ કરશે. આ ધ્વજનું કદ ભવ્ય છે, જે 22 ફૂટ લંબાઈ અને 11 ફૂટ પહોળાઈ ધરાવે છે. આ પ્રસંગે RSS વડા મોહન ભાગવત, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત હજારો લોકો સાક્ષી બનશે. આ ધ્વજવંદન મંદિર નિર્માણ કાર્યની પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે.

સૌથી મોટા દાતા: મોરારી બાપુ

રામ મંદિર માટે આર્થિક સહયોગ આપવામાં ગુજરાત અને ગુજરાતીઓ મોખરે રહ્યા છે. ટ્રસ્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, પૂજ્ય મોરારી બાપુએ રામ મંદિર માટે વ્યક્તિગત રીતે સૌથી મોટું એટલે કે ₹11.3 કરોડનું દાન આપ્યું છે. આ ઉપરાંત, અમેરિકા (US), કેનેડા અને યુકેમાં વસતા તેમના અનુયાયીઓએ વધારાના ₹8 કરોડનું યોગદાન આપ્યું છે. આમ, મોરારી બાપુના માધ્યમથી રામ મંદિરને કુલ ₹18.6 કરોડનું માતબર દાન પ્રાપ્ત થયું છે. અત્યાર સુધીમાં ટ્રસ્ટને કુલ ₹5,500 કરોડથી વધુનું ભંડોળ મળ્યું છે.

101 કિલો સોનું અર્પણ કરનાર સુરતી વેપારી

રોકડ રકમ ઉપરાંત સુવર્ણ દાનમાં સુરતનો દબદબો રહ્યો છે. સુરતના અગ્રણી હીરા ઉદ્યોગપતિ દિલીપ કુમાર વી. લાખી અને તેમના પરિવારે રામ લલા માટે 101 કિલો સોનું દાનમાં આપ્યું હતું. બજાર કિંમત પ્રમાણે આ સોનાની કિંમત આશરે ₹68 કરોડ થાય છે. આ સોનાનો ઉપયોગ મંદિરના મુખ્ય દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરુ અને સ્તંભોને સુવર્ણજડિત કરવા માટે કરવામાં આવ્યો છે.

અંબાણી પરિવાર અને અન્ય દિગ્ગજોનું યોગદાન
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે ટ્રસ્ટને ₹2.51 કરોડનું દાન આપ્યું હતું. તેમના પરિવારે અન્ય સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ મોટું યોગદાન આપ્યું છે.

અન્ય પ્રમુખ દાતાઓ:

ગોવિંદ ધોળકિયા (સુરત): જાણીતા ડાયમંડ ટાયકૂન ગોવિંદભાઈએ ₹11 કરોડનું દાન આપ્યું છે.

મુકેશ પટેલ (ગ્રીન લેબ ડાયમંડ): તેમણે ભગવાન માટે ₹11 કરોડની કિંમતનો અત્યંત કિંમતી હીરાનો મુગટ અર્પણ કર્યો છે.

મહાવીર મંદિર (પટના): પટનાના પ્રસિદ્ધ મહાવીર મંદિર ટ્રસ્ટ દ્વારા ₹10 કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે.

મહેશ કબૂતરવાલા: તેમણે મંદિર નિર્માણ માટે ₹5 કરોડનું યોગદાન આપ્યું છે.

વર્ષ 2022 માં જ્યારે નિધિ સમર્પણ અભિયાન શરૂ થયું હતું, ત્યારે પહેલા જ દિવસે ભક્તોએ ₹3 કરોડથી વધુનું દાન આપીને પોતાની શ્રદ્ધા પ્રગટ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Advertisement

વિડિઓઝ

Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી
Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
Mehsana: મહેસાણામાં સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, ચાર વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યા
Mehsana: મહેસાણામાં સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, ચાર વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યા
Daily Bad Habits: યુવાઓની આ સાત આદતો શરીરને કરી દેશે બીમાર? નિષ્ણાંતોના મતે- તેની અસર કેટલી છે ખતરનાક?
Daily Bad Habits: યુવાઓની આ સાત આદતો શરીરને કરી દેશે બીમાર? નિષ્ણાંતોના મતે- તેની અસર કેટલી છે ખતરનાક?
Embed widget