શોધખોળ કરો

અયોધ્યા: રામ મંદિર નિર્માણને લઈને VHPની આજે ધર્મસભા, ત્રણ લાખ રામભક્તો જોડાશે

નવી દિલ્હી: અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદની આજે ધર્મસભા યોજાવાશે. રામ મંદિર નિર્માણની માંગને લઈને અયોધ્યામાં સંતો, રાજનેતાઓ, વિહિપ, શિવસેના, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિંદુ સંગઠનોના સમર્થકોની ભીડ એકઠી થઇ રહી છે. મોટી સંખ્યામાં રામ ભકતો અયોધ્યા પહોંચી રહ્યા છે. ધર્મસભાના આયોજકો અનુસાર લગભગ ત્રણ લાખ જેટલા રામ ભક્તો આવવાની શક્યતા છે. આ ધર્મસભામાં સાધુસંત, વીએચપી અને ભાજપના કાર્યકર્તાઓ ભાગ લઈ રહ્યા છે પરંતુ મંચ પર માત્ર સાધુ સંતોને જ સ્થાન આપવામાં આવશે. ધર્મસભા પહેલા વીએચપીએ રામ મંદિરને લઈને મોટું નિવેદન આપ્યું હતું. વીએચપીએ કહ્યું કે, રામ મંદિર પર આ અમારી છેલ્લી સભા છે. આ ધર્મસભા બાદ સંભાઓ કે પ્રદર્શન નહીં થાય, સીધું રામ મંદિરનું નિર્માણ થશે. વીએચપી સંગઠનના સચિવ ભોલેન્દ્રએ કહ્યું કે, “અમે અગાઉ 1950 થી 1985 સુધી 35 વર્ષ કોર્ટના નિર્ણયની રાહ જોઈ, તેના બાદ 1985 થી 2010 સુધીનો સમય હાઇકોર્ટને ચુકાદો આપવામાં લાગ્યો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે તત્કાલિક સુનાવણીની અરજીને બે મિનિટમાં નકારી દીધી, આ દુર્ભાગ્ય છે કે 33 વર્ષથી રામ લલા ટેન્ટમાં છે.” ધર્મસભાને લઈને અયોધ્યામાં સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. મુખ્ય રસ્તાઓ પર મોટી સંખ્યામં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. 700 થી વધુ કોન્સ્ટેબલ, 160 ઇન્સ્પેક્ટર, પાંચ કંપની આરએએફ, એટીએસ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. બે દિવય અયોધ્યા યાત્રા પર પહોંચેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે રામ લલાના દર્શન કરવા જશે. તેના બાદ તેઓ 11 વાગ્યે અયોધ્યા હોટલ પંચવટીમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરશે. આ પહેલા ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું હું અહીં કુંભકરણને જગાડવા આવ્યો છું. બધા મળીને મંદિર બનાવશું તો જલ્દી પૂર્ણ થશે. અમને મંદિર બનાવવાની તારિખ જોઈએ. બીજી અન્ય વાતો બાદમાં થતી રહેશે. ઉદ્ધવ ઠાકરેએ કાલે પરિવાર સાથે સરયૂ આરતીમાં ભાગ લીધો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
IT Rule Social Media: સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, બદલાયા નિયમ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ અને ટેલિગ્રામ બધા પર લેવાશે એક્શન
IT Rule Social Media: સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, બદલાયા નિયમ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ અને ટેલિગ્રામ બધા પર લેવાશે એક્શન
Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે
Hun To Bolish : હું તો બોલીશ : ગેંગના ખાતમાનો આરંભ
Hun To Bolish : હું તો બોલીશ : કોના દબાણથી નથી હટતા દબાણ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit Live: કોબામાં જૈન મ્યુઝિયમનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, 2 હજારથી વધુ પ્રાચીન શિલ્પ-કલા સામગ્રીનું પ્રદર્શન
PM Modi Gujarat Visit Live: કોબામાં જૈન મ્યુઝિયમનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, 2 હજારથી વધુ પ્રાચીન શિલ્પ-કલા સામગ્રીનું પ્રદર્શન
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
PBKS vs GT Playing 11: IPLમાં આજે પંજાબ સામે ટકરાશે ગુજરાત , જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
PBKS vs GT Playing 11: IPLમાં આજે પંજાબ સામે ટકરાશે ગુજરાત , જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
જૂનો ફોન નંબર બંધ થતા નથી થઈ રહ્યો LPG ગેસ સિલિન્ડર બુક, મિનિટોમાં અપડેટ કરો નવો નંબર
જૂનો ફોન નંબર બંધ થતા નથી થઈ રહ્યો LPG ગેસ સિલિન્ડર બુક, મિનિટોમાં અપડેટ કરો નવો નંબર
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ભાઈ-બહેનના મોત, બહેનને બચાવવા જતા ભાઈ પણ ડૂબ્યો
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ભાઈ-બહેનના મોત, બહેનને બચાવવા જતા ભાઈ પણ ડૂબ્યો
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર
Embed widget