શોધખોળ કરો

અયોધ્યા: રામ મંદિર નિર્માણને લઈને VHPની આજે ધર્મસભા, ત્રણ લાખ રામભક્તો જોડાશે

નવી દિલ્હી: અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદની આજે ધર્મસભા યોજાવાશે. રામ મંદિર નિર્માણની માંગને લઈને અયોધ્યામાં સંતો, રાજનેતાઓ, વિહિપ, શિવસેના, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિંદુ સંગઠનોના સમર્થકોની ભીડ એકઠી થઇ રહી છે. મોટી સંખ્યામાં રામ ભકતો અયોધ્યા પહોંચી રહ્યા છે. ધર્મસભાના આયોજકો અનુસાર લગભગ ત્રણ લાખ જેટલા રામ ભક્તો આવવાની શક્યતા છે. આ ધર્મસભામાં સાધુસંત, વીએચપી અને ભાજપના કાર્યકર્તાઓ ભાગ લઈ રહ્યા છે પરંતુ મંચ પર માત્ર સાધુ સંતોને જ સ્થાન આપવામાં આવશે. ધર્મસભા પહેલા વીએચપીએ રામ મંદિરને લઈને મોટું નિવેદન આપ્યું હતું. વીએચપીએ કહ્યું કે, રામ મંદિર પર આ અમારી છેલ્લી સભા છે. આ ધર્મસભા બાદ સંભાઓ કે પ્રદર્શન નહીં થાય, સીધું રામ મંદિરનું નિર્માણ થશે. વીએચપી સંગઠનના સચિવ ભોલેન્દ્રએ કહ્યું કે, “અમે અગાઉ 1950 થી 1985 સુધી 35 વર્ષ કોર્ટના નિર્ણયની રાહ જોઈ, તેના બાદ 1985 થી 2010 સુધીનો સમય હાઇકોર્ટને ચુકાદો આપવામાં લાગ્યો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે તત્કાલિક સુનાવણીની અરજીને બે મિનિટમાં નકારી દીધી, આ દુર્ભાગ્ય છે કે 33 વર્ષથી રામ લલા ટેન્ટમાં છે.” ધર્મસભાને લઈને અયોધ્યામાં સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. મુખ્ય રસ્તાઓ પર મોટી સંખ્યામં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. 700 થી વધુ કોન્સ્ટેબલ, 160 ઇન્સ્પેક્ટર, પાંચ કંપની આરએએફ, એટીએસ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. બે દિવય અયોધ્યા યાત્રા પર પહોંચેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે રામ લલાના દર્શન કરવા જશે. તેના બાદ તેઓ 11 વાગ્યે અયોધ્યા હોટલ પંચવટીમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરશે. આ પહેલા ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું હું અહીં કુંભકરણને જગાડવા આવ્યો છું. બધા મળીને મંદિર બનાવશું તો જલ્દી પૂર્ણ થશે. અમને મંદિર બનાવવાની તારિખ જોઈએ. બીજી અન્ય વાતો બાદમાં થતી રહેશે. ઉદ્ધવ ઠાકરેએ કાલે પરિવાર સાથે સરયૂ આરતીમાં ભાગ લીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget