શોધખોળ કરો

સાંઇ બાબા પર નિવેદન આપીને ફસાયા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, મુંબઇ પોલીસે દાખલ કરી ફરિયાદ

બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિરડીના સાંઈ બાબા પર આપેલા નિવેદનને લઈને મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે

Bageshwar Dham Sarkar: બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિરડીના સાંઈ બાબા પર આપેલા નિવેદનને લઈને મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવા બદલ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે.

બાગેશ્વર ધામ સરકાર વિરુદ્ધ આ ફરિયાદ મુંબઈની બાંદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં શિવસેના (ઉદ્ધવ જૂથ) યુવા સેનાના નેતા અને શિરડી સાંઈ સંસ્થાનના ભૂતપૂર્વ ટ્રસ્ટી રાહુલ કનાલે ધીરેન્દ્ર શાસ્ત્રી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.

વાસ્તવમાં આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહેતા જોવા મળી રહ્યા છે કે સાંઈ સંત હોઈ શકે છે, ફકીર હોઈ શકે છે, પરંતુ ભગવાન ન હોઈ શકે. સાંઈબાબાની પૂજા કરવા પર આચાર્ય કહે છે, 'હું બોલવા નથી માંગતો કારણ કે તેનાથી વિવાદ ઊભો થશે પરંતુ કહેવું પણ જરૂરી છે કે શિયાળની ચામડું પહેરીને કોઈ સિંહ નથી બની શકતો. જો આપણે શંકરાચાર્ય જેવો ગેટઅપ કરીએ તો આનાથી આપણે શંકરાચાર્ય નહીં બનીએ. સંત સંત છે અને ભગવાન ભગવાન છે.

મધ્યપ્રદેશના જબલપુરમાં ભક્તોના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, આપણા પરમ ગુરુ શંકરાચાર્યએ ક્યારેય સાંઈ બાબાને દેવતાનો દરજ્જો આપ્યો ન હતો. તેમણે કહ્યું કે શંકરાચાર્ય હિંદુ ધર્મના વડા છે, તેથી દરેક સનાતનીએ તેમની વાત માનવી  ખૂબ જ જરૂરી છે.

સાંઈ બાબાનું મહારાષ્ટ્ર કનેક્શન

  1. સાંઈ બાબાના જન્મસ્થળને લઈને ઈતિહાસકારો અને વિદ્ધાનોમાં અલગ-અલગ મંતવ્યો છે. કેટલાક વિદ્ધાવાના મતે તેમનો જન્મ 1835માં 28 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રના પાથરી ગામમાં થયો હતો. જો કે, હજુ સુધી આ અંગે કોઈ નક્કર પુરાવા નથી.
  2. એવું કહેવાય છે કે સાંઈ બાબા સૌથી પહેલા એક યુવાન ફકીર તરીકે શિરડી ગયા હતા અને જીવનભર ત્યાં જ રહ્યા હતા. મહારાષ્ટ્રનું શિરડી ધામ પણ છે. જ્યાં દર વર્ષે લાખો ભક્તો બાબાના દર્શન કરવા પહોંચે છે.
  3. સાંઈ બાબા ભારતમાં એક મહાન સંત તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે તેમની પાસે અદ્ભુત શક્તિઓ હતી. પરંતુ સાંઈ બાબાના નામ અને પહેરવેશને કારણે વિદ્વાનો માને છે કે સાઈ બાબા ફકીર હતા. જ્યારે મહારાષ્ટ્રમાં લાખો લોકો સાંઈ બાબાને ભગવાન માને છે. તેમના મોટાભાગના અનુયાયીઓ પણ ત્યાં છે. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં એવા લાખો લોકો છે જેઓને સાંઈ બાબામાં માત્ર વિશ્વાસ જ નથી કરતા પણ તેમની પૂજા પણ કરે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે 30 દિવસમાં મળી જશે ક્લેમના પૂરા પૈસા, જાણો IRDAIના નવા નિયમો 
હવે 30 દિવસમાં મળી જશે ક્લેમના પૂરા પૈસા, જાણો IRDAIના નવા નિયમો 
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
Siddaramaiah Resignation: 'હું તે જ કરીશ જે રાહુલ ગાંધી કહેશે', પાવર ટ્રાન્સફરનું સિદ્ધારમૈયાએ કર્યું એલાન
Siddaramaiah Resignation: 'હું તે જ કરીશ જે રાહુલ ગાંધી કહેશે', પાવર ટ્રાન્સફરનું સિદ્ધારમૈયાએ કર્યું એલાન
કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન: સિદ્ધારમૈયા 3 વાગ્યે આપશે રાજીનામું, ડીકે શિવકુમાર બનશે નવા મુખ્યમંત્રી
કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન: સિદ્ધારમૈયા 3 વાગ્યે આપશે રાજીનામું, ડીકે શિવકુમાર બનશે નવા મુખ્યમંત્રી

વિડિઓઝ

Ahmedabad | ફાયરિંગ કરનાર નિવૃત DySPની નફ્ફટાઈ, પોલીસ કર્મીઓ સાથે કરી દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : તથ્યને જામીન
Hun To Bolish : હું તો બોલીશ : કથા પહેલા કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : આવો ખેલ ના ચાલે!
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
8th Pay Commission: કર્મચારીઓનો પગાર વધશે કે લાગશે ઝટકો? ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન, જાણો 
8th Pay Commission: કર્મચારીઓનો પગાર વધશે કે લાગશે ઝટકો? ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન, જાણો 
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી
Post ની TD સ્કીમમાં 100000 જમા કરો તો 1 વર્ષ બાદ કેટલું વ્યાજ મળે, જાણો
Post ની TD સ્કીમમાં 100000 જમા કરો તો 1 વર્ષ બાદ કેટલું વ્યાજ મળે, જાણો
Orange-Purple Cap: IPL 2026 પ્લેઓફ વચ્ચે બદલાઈ ગઈ તસવીર, જાણો કોની પાસે છે ઓરેન્જ-પર્પલ કેપ 
Orange-Purple Cap: IPL 2026 પ્લેઓફ વચ્ચે બદલાઈ ગઈ તસવીર, જાણો કોની પાસે છે ઓરેન્જ-પર્પલ કેપ 
Ahmedabad Firing Case: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPની ધરપકડ, પો.સ્ટે.માં પોલીસકર્મીઓ સાથે કરી ઝપાઝપી
Ahmedabad Firing Case: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPની ધરપકડ, પો.સ્ટે.માં પોલીસકર્મીઓ સાથે કરી ઝપાઝપી
Vadodara Mayor: વડોદરાના મેયર બન્યા ગીતા મકવાણા, ડે.મેયર તરીકે આદિત્ય પટેલના નામની જાહેરાત
Vadodara Mayor: વડોદરાના મેયર બન્યા ગીતા મકવાણા, ડે.મેયર તરીકે આદિત્ય પટેલના નામની જાહેરાત
Embed widget