શોધખોળ કરો

‘હું હારી નથી, હરાવાઈ છું તો રાજીનામું કેમ આપું?’ બંગાળ પરિણામો પર મમતા બેનર્જીનો મોટો બળવો

બંગાળમાં મળેલી હાર બાદ ટીએમસી ચીફ મમતા બેનર્જીએ ઈવીએમ અને ચૂંટણી પંચ પર ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે તેઓ રાજીનામું નહીં આપે અને એક સામાન્ય માણસ બનીને 'ઈન્ડિયા' ગઠબંધનને વધુ મજબૂત બનાવશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મમતા બેનર્જી હાર સ્વીકારતા નથી, ચૂંટણી પંચ પર ગંભીર આરોપો.
  • EVM માં ગરબડ અને ભાજપ સાથે સાંઠગાંઠનો લગાવ્યો આરોપ.
  • રાજીનામું નહીં આપે, 'ઈન્ડિયા' ગઠબંધનને મજબૂત કરશે.
  • ચૂંટણી પંચે બંધારણીય અધિકારો છીનવી, મતદાર યાદીમાંથી નામ કપાવાનો દાવો.

Mamata Banerjee resign: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કારમી હારનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડાં મમતા બેનર્જીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે પોતાની હાર સ્વીકારવાનો ઇનકાર કરતા સ્પષ્ટ કહ્યું છે કે તેઓ હાર્યા નથી, પણ તેમને હરાવવામાં આવ્યા છે. મમતાએ આ આખી ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી પંચને સૌથી મોટું 'વિલન' (ખલનાયક) ગણાવ્યું છે અને ઈવીએમમાં ગરબડ તેમજ ભાજપ સાથે સાંઠગાંઠ હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજીનામું આપવાના નથી અને હવે એક સામાન્ય માણસ તરીકે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' ને મજબૂત કરવાનું કામ કરશે.

પોતાની હાર અંગે બળાપો કાઢતા મમતા બેનર્જીએ સવાલ ઉઠાવ્યો કે, "જ્યારે હું હારી જ નથી, તો પછી હું રાજીનામું કેમ આપું? કોઈ મને રાજીનામું આપવાની ફરજ પાડી શકે નહીં. નૈતિક રીતે જોવા જઈએ તો હું જ જીતી છું, એટલે હું લોકભવનમાં જઈને રાજીનામું નહીં આપું." વધુમાં તેમણે કહ્યું કે આ કપરા સમયમાં વિપક્ષના તમામ મોટા નેતાઓ તેમની પડખે ઉભા છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને હેમંત સોરેન જેવા નેતાઓએ તેમને ફોન કરીને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું કે અખિલેશ યાદવ તો આજે જ તેમને મળવા આવવાના હતા, પણ તેઓ કાલે આવશે. મમતાને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં વિપક્ષી એકતા વધુ મજબૂત થશે.

પોતાના ભવિષ્યના આયોજન વિશે વાત કરતા ટીએમસી પ્રમુખે કહ્યું કે, "હવે મારી પાસે સત્તાની ખુરશી નથી, એટલે હું એક સામાન્ય માણસ છું અને હવે હું ઈન્ડિયા ગઠબંધનને વધુ મજબૂત બનાવીશ. હવે કોઈ એમ નહીં કહી શકે કે હું મારી સત્તા કે ખુરશીનો ઉપયોગ કરી રહી છું. હું હવે એકદમ મુક્ત પક્ષી (ફ્રી બર્ડ) છું." તેમણે પોતાના 15 વર્ષના શાસનને યાદ કરતા કહ્યું કે તેમણે પોતાનું આખું જીવન લોકોની સેવામાં સમર્પિત કરી દીધું છે અને આ 15 વર્ષોમાં તેમણે પોતાના પેન્શન કે પગારનો એક પણ પૈસો પોતાના માટે લીધો નથી.

બંગાળમાં TMCએ હાર સ્વીકારી, અભિષેક બેનર્જીની પહેલી પ્રતિક્રિયા - 'જનતાનો ચુકાદો...'

ચૂંટણી પંચ પર નિશાન સાધતા મમતા બેનર્જીએ અત્યંત ગંભીર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે, "આ બહુ દુઃખની વાત છે કે ચૂંટણી પંચ આ ચૂંટણીમાં વિલન બની ગયું છે. તેમણે લોકોના બંધારણીય અધિકારો છીનવી લીધા છે અને ઈવીએમ (EVM) ની ચોરી કરી છે. મતદાન પૂરું થયા પછી પણ ઈવીએમ 80-90 ટકા ચાર્જ થયેલા કેવી રીતે હોઈ શકે?" આ ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણીના બે દિવસ પહેલા જ તેમના નેતાઓની ધરપકડ થવા લાગી, દરોડા પડ્યા અને બધા IPS તથા IAS અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી.

દેશની 70% વસ્તી પર હવે ભાજપનું રાજ? બંગાળની જીત સાથે બદલાયો ભારતનો રાજકીય નકશો

તેમણે ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતનો દાવો કરતા કહ્યું કે, "આ આખી રમત ભાજપ અને ચૂંટણી પંચે ભેગા મળીને રમી છે. તેમણે પોતાના માનીતા અધિકારીઓને પસંદ કર્યા. અમે કોઈ એક પક્ષ સામે નહીં, પરંતુ આખી સિસ્ટમ સામે લડ્યા છીએ. વડાપ્રધાન અને ગૃહમંત્રીએ આમાં સીધી દખલગીરી કરી છે." તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે મતદાર યાદીમાંથી 90 લાખ લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા, અને જ્યારે તેઓ કોર્ટમાં ગયા ત્યારે માંડ 32 લાખ નામ પાછા ઉમેરાયા. મમતાએ અંતમાં કહ્યું કે તેમણે પોતાના જીવનમાં ક્યારેય આવી ગંદી અને ઘૃણાસ્પદ ચૂંટણી જોઈ નથી.

Frequently Asked Questions

મમતા બેનર્જી રાજીનામું આપશે?

ના, મમતા બેનર્જી રાજીનામું આપવાના નથી. તેઓ માને છે કે તેઓ હાર્યા નથી, પણ તેમને હરાવવામાં આવ્યા છે. તેથી, તેઓ નૈતિક રીતે પોતાની જીત માને છે.

મમતા બેનર્જીએ ચૂંટણી પ્રક્રિયામાં કોને 'વિલન' ગણાવ્યા છે?

મમતા બેનર્જીએ આખી ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી પંચને સૌથી મોટો 'વિલન' (ખલનાયક) ગણાવ્યું છે. તેમણે EVMમાં ગરબડ અને ભાજપ સાથે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો છે.

મમતા બેનર્જી ભવિષ્યમાં શું કરશે?

મમતા બેનર્જી હવે 'ઈન્ડિયા' ગઠબંધનને વધુ મજબૂત બનાવવાનું કામ કરશે. તેઓ પોતાની જાતને 'મુક્ત પક્ષી' તરીકે વર્ણવે છે અને સત્તા વગર લોકોની સેવા કરશે.

મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર કયા ગંભીર આરોપો લગાવ્યા છે?

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચે લોકોના બંધારણીય અધિકારો છીનવી લીધા છે અને EVMની ચોરી કરી છે. તેમણે ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતનો પણ દાવો કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
Advertisement

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
Train News: તત્કાલ ટિકિટ માટે કઈ એપ છે ઉપયોગી, IRCTC અથવા Rail One? જાણો
Train News: તત્કાલ ટિકિટ માટે કઈ એપ છે ઉપયોગી, IRCTC અથવા Rail One? જાણો
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Embed widget