શોધખોળ કરો

Bihar Reservation : બિહારમાં લાગુ થયું 75 ટકા અનામત, નીતીશ સરકારે નોટિફિકેશન જાહેર કર્યું 

હવેથી અનુસૂચિત જાતિ/જનજાતિ, EBC અને OBCને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં 75 ટકા અનામતનો લાભ મળશે.

હવે બિહારમાં 75 ટકા અનામતનો લાભ મળશે. બિહારની નીતીશ કુમારની સરકારે આ અંગે એક નોટિફિકેશન જાહેર કર્યું છે.  એટલે કે હવેથી અનુસૂચિત જાતિ/જનજાતિ, EBC અને OBCને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં 75 ટકા અનામતનો લાભ મળશે. મંગળવાર (21 નવેમ્બર)થી તેનો અમલ કરવામાં આવ્યો છે. બિહાર સરકારે અનામત મર્યાદામાં 15 ટકાનો વધારો કર્યો છે.  

રાજ્યપાલે બિલને મંજૂરી આપી

તમને જણાવી દઈએ કે બિહાર સરકારે વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન અનામત સંશોધન બિલ 2023 રજૂ કર્યું હતું. તે 9 નવેમ્બરના રોજ બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતુ. અનામતનો વ્યાપ વધારીને 75 ટકા કરવાની જોગવાઈ હતી. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપે પણ આ બિલને સમર્થન આપ્યું હતું. દિલ્હીથી પરત ફરતાની સાથે જ રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે આરક્ષણ બિલ-2023ને મંજૂરી આપી દીધી.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 7 નવેમ્બરે ગૃહમાં જાહેરાત કરી હતી કે બિહારમાં અનામતનો વ્યાપ વિસ્તારવામાં આવશે. મુખ્યમંત્રીએ બિહારમાં 60 ટકા અનામતની વ્યવસ્થા વધારીને 75 ટકા કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ તરત જ નીતિશ કુમારે કેબિનેટની બેઠક બોલાવી હતી. અઢી કલાકમાં કેબિનેટે અનામતનો વ્યાપ વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. આ પછી, 9 નવેમ્બરના રોજ બંને ગૃહો દ્વારા તેને પસાર કરવામાં આવ્યો હતો.

બિહારમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને પછાત વર્ગો માટે અનામતની મર્યાદા વધારવા સંબંધિત બિલને વિધાનસભાની મંજૂરી મળી ગઈ હતી. બિલમાં અનામત 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ હતો. EWS અનામત સહિત તે 75 ટકા થઈ જશે. ભાજપે પણ આ બિલને સમર્થન આપ્યું હતું. 

મુખ્યમંત્રી નીતિશ કુમારના આ પગલાને લોકસભા ચૂંટણી પહેલા એક મોટો દાવ માનવામાં આવી રહ્યો છે. બિહારના પૂર્વ સીએમ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવે વિધાનસભામા જ્યારે બિલ પાસ થયુ ત્યારે બિહારના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.  

લોકસભા ચૂંટણી 2024  પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક મોટું પગલું ભર્યું છે. બિહારમાં જાતિની વસ્તી ગણતરીના સામાજિક-આર્થિક અહેવાલ જાહેર થયા પછી, સીએમ નીતિશે અનામતનો વિસ્તાર વધારીને 75% કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અનામતનો વ્યાપ વધારવાના પ્રસ્તાવને બિહાર કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ બિલને બે ભાગમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Embed widget