શોધખોળ કરો

Border Dispute: મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ પર અમિત શાહની બેઠક, ગૃહમંત્રીએ કહ્યુ- ઉકેલ રસ્તા પર નથી થતો

આ બેઠક બાદ અમિત શાહે કહ્યું કે રાજકીય વિરોધ ગમે તે હોય, બંને રાજ્યોના નેતાઓએ તેને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ

Amit Shah Meets Eknath Shinde-Basavaraj Bommai:  મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે બુધવારે (14 ડિસેમ્બર) દિલ્હીમાં સંસદ ભવનમાં એક મહત્વપૂર્ણ બેઠક થઈ હતી.  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે હાજર રહ્યા હતા. આ બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ સામેલ થયા હતા.

આ બેઠક બાદ અમિત શાહે કહ્યું કે રાજકીય વિરોધ ગમે તે હોય, બંને રાજ્યોના નેતાઓએ તેને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. આપણે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. બંને રાજ્યોમાં કોંગ્રેસ, એનસીપી અને ઉદ્ધવ ઠાકરેનું જૂથ તેને રાજકીય મુદ્દો ન બનાવવા માટે સહયોગ કરશે. સમિતિની રચના કરવામાં આવી છે.  રસ્તા પર વિવાદો ઉકેલાતા નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણય સુધી કોઈપણ રાજ્ય એકબીજા પર દાવો કરી શકશે નહીં. સમિતિ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જુઓ.

"ઉકેલ રસ્તા પર ન હોઈ શકે"

તેમણે કહ્યું કે બંને મુખ્યમંત્રીઓએ સકારાત્મક અભિગમ રાખ્યો છે. મોટાભાગે એ વાત પર સહમતિ બની છે કે વિવાદ રસ્તા પર ઉકેલી શકાય નહીં, તે બંધારણ મુજબ થઈ શકે છે. બંને તરફથી 3-3 મંત્રીઓ બેસશે. કુલ 6 મંત્રીઓ બેસીને મુદ્દાઓ પર ચર્ચા કરશે. ગૃહમંત્રી હોવાના નાતે હું બંને રાજ્યોના વિપક્ષી નેતાઓને પણ અપીલ કરું છું કે તેઓ સહકાર આપે કે તેઓ આ મુદ્દાને રાજકીય રંગ ન આપે.

ગૃહમંત્રીએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર લોકોને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અનેક ટ્વિટ કરવામાં આવી છે. તેમની ઓળખ કરવામાં આવશે. ફેક ટ્વીટના મામલાઓ પર એફઆઈઆર થશે અને મોટા નેતાઓના નામે ફેક ટ્વીટ કરનારાઓને જનતાની સામે ખુલ્લા પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે સરહદ વિવાદ

મહારાષ્ટ્ર બેલાગવી શહેર અને કર્ણાટકના પાંચ જિલ્લાના 865 ગામડાઓ પર દાવો કરે છે. મામલો સર્વોચ્ચ અદાલત સમક્ષ છે. કર્ણાટકે મહારાષ્ટ્રની અરજી પર સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું છે કે માત્ર સંસદને જ રાજ્યની સરહદો સંબંધિત મુદ્દાઓ પર કાર્યવાહી કરવાનો અધિકાર છે.

તાજેતરમાં સરહદ વિવાદને લઈને બંને રાજ્યોમાં ભારે હોબાળો થયો છે. કર્ણાટકમાં મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં મહારાષ્ટ્રમાં પણ કર્ણાટકના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પહેલા સોમવારે (12 ડિસેમ્બર) કર્ણાટકના મુખ્યમંત્રી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ગુજરાતમાં મળ્યા હતા.

બંને રાજ્યોના સીએમ અમદાવાદમાં મળ્યા હતા

સીમા વિવાદ વકર્યા બાદ બંને મુખ્યમંત્રીઓ પ્રથમ વખત મળ્યા હતા. બંને મુખ્યમંત્રીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ગુજરાતના ગાંધીનગર પહોંચ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget