શોધખોળ કરો

Border Dispute: મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ પર અમિત શાહની બેઠક, ગૃહમંત્રીએ કહ્યુ- ઉકેલ રસ્તા પર નથી થતો

આ બેઠક બાદ અમિત શાહે કહ્યું કે રાજકીય વિરોધ ગમે તે હોય, બંને રાજ્યોના નેતાઓએ તેને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ

Amit Shah Meets Eknath Shinde-Basavaraj Bommai:  મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે બુધવારે (14 ડિસેમ્બર) દિલ્હીમાં સંસદ ભવનમાં એક મહત્વપૂર્ણ બેઠક થઈ હતી.  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે હાજર રહ્યા હતા. આ બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ સામેલ થયા હતા.

આ બેઠક બાદ અમિત શાહે કહ્યું કે રાજકીય વિરોધ ગમે તે હોય, બંને રાજ્યોના નેતાઓએ તેને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. આપણે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. બંને રાજ્યોમાં કોંગ્રેસ, એનસીપી અને ઉદ્ધવ ઠાકરેનું જૂથ તેને રાજકીય મુદ્દો ન બનાવવા માટે સહયોગ કરશે. સમિતિની રચના કરવામાં આવી છે.  રસ્તા પર વિવાદો ઉકેલાતા નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણય સુધી કોઈપણ રાજ્ય એકબીજા પર દાવો કરી શકશે નહીં. સમિતિ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જુઓ.

"ઉકેલ રસ્તા પર ન હોઈ શકે"

તેમણે કહ્યું કે બંને મુખ્યમંત્રીઓએ સકારાત્મક અભિગમ રાખ્યો છે. મોટાભાગે એ વાત પર સહમતિ બની છે કે વિવાદ રસ્તા પર ઉકેલી શકાય નહીં, તે બંધારણ મુજબ થઈ શકે છે. બંને તરફથી 3-3 મંત્રીઓ બેસશે. કુલ 6 મંત્રીઓ બેસીને મુદ્દાઓ પર ચર્ચા કરશે. ગૃહમંત્રી હોવાના નાતે હું બંને રાજ્યોના વિપક્ષી નેતાઓને પણ અપીલ કરું છું કે તેઓ સહકાર આપે કે તેઓ આ મુદ્દાને રાજકીય રંગ ન આપે.

ગૃહમંત્રીએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર લોકોને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અનેક ટ્વિટ કરવામાં આવી છે. તેમની ઓળખ કરવામાં આવશે. ફેક ટ્વીટના મામલાઓ પર એફઆઈઆર થશે અને મોટા નેતાઓના નામે ફેક ટ્વીટ કરનારાઓને જનતાની સામે ખુલ્લા પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે સરહદ વિવાદ

મહારાષ્ટ્ર બેલાગવી શહેર અને કર્ણાટકના પાંચ જિલ્લાના 865 ગામડાઓ પર દાવો કરે છે. મામલો સર્વોચ્ચ અદાલત સમક્ષ છે. કર્ણાટકે મહારાષ્ટ્રની અરજી પર સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું છે કે માત્ર સંસદને જ રાજ્યની સરહદો સંબંધિત મુદ્દાઓ પર કાર્યવાહી કરવાનો અધિકાર છે.

તાજેતરમાં સરહદ વિવાદને લઈને બંને રાજ્યોમાં ભારે હોબાળો થયો છે. કર્ણાટકમાં મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં મહારાષ્ટ્રમાં પણ કર્ણાટકના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પહેલા સોમવારે (12 ડિસેમ્બર) કર્ણાટકના મુખ્યમંત્રી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ગુજરાતમાં મળ્યા હતા.

બંને રાજ્યોના સીએમ અમદાવાદમાં મળ્યા હતા

સીમા વિવાદ વકર્યા બાદ બંને મુખ્યમંત્રીઓ પ્રથમ વખત મળ્યા હતા. બંને મુખ્યમંત્રીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ગુજરાતના ગાંધીનગર પહોંચ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget