શોધખોળ કરો

કેબિન નંબર 602માં મહારાષ્ટ્ર સરકારના કોઈ પણ મંત્રી નથી બેસવા તૈયાર, જાણો શું છે કારણ

મંત્રાલયની આ ઓફિસ ખૂબજ હાઈટેક છે. તેમ છતાં કોઈ પણ મંત્રી બેસવા તૈયાર નથી. આ ઓફિસ કેબિન નંબર 602ના નામથી ઓળખાય છે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં મંત્રિમંડળના વિસ્તરણ બાદ હવે મંત્રીઓને ઑફિસની ફાળવણી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સરકારના મંત્રીઓના ઑફિસ રાજ્ય મંત્રાલયના પરિસરમાં બન્યા છે. પરંતુ મંત્રાલયના છઠ્ઠા માળે એક એવી ઑફિસ પણ છે જેમાં કોઈ પણ મંત્રી બેસવા માંગતા નથી. આ ઓફિસ કેબિન નંબર 602ના નામથી ઓળખાય છે. ઓફિસમાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. મંત્રાલયની આ ઓફિસ ખૂબજ હાઈટેક છે. તેમ છતાં કોઈ મંત્રી બેસવા તૈયાર નથી. કેટલાક મંત્રીઓ તો આ ઓફિસ પોતાને ન આપવામાં આવે તે માટે મંત્રાલયના પ્રશાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ગોઠવણ પણ કરવામાં લાગેલા છે. વાસ્તવમાં આ ઓફિસ સાથે એક અંધવિશ્વાસ જોડાયેલો છે. જેના કારણે કોઈ પણ મંત્રી તેમાં બેસવા તૈયાર નથી. ઑફિસ વિશે એવી ધારણા છે કે, જે કોઈ મંત્રી આ ઓફિસમાં બેસે છે તે પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યો નથી. એવામાં કેબિન સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ પણ ચર્ચામાં છે. આ ઑફિસ વિશે કહેવામાં આવે છે કે, એક સમયે આ ઑફિસને મહારાષ્ટ્ર સરકરાનનું સૌથી મજબૂત કેન્દ્ર માનવામાં આવતું હતું. અહીં મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી અને સત્તાના સીનિયર અધિકારીઓ બેસતા હતા, પરંતુ આજે સ્થિતિ તેવી નથી. કોઈ પણ આ ઓફિસમાં બેસવા તૈયાર નથી. જો કે આ વખતે તમામ ઓફિસોની સાથે તેને પણ વ્યવસ્થિત કરવામાં આવી છે. કેબિન નંબર 602 સાથે જોડાયેલા કિસ્સાની વાત કરીએ તો, આ ઑફિસને 2014માં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી એકનાથ ખડસેને આપવામાં આવી હતી. તેઓ સરકારમાં કૃષિ, મહેસુલ અને લઘુમતી કલ્યાણ જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં જવાબદારી સંભાળતા હતા. કાર્યકાળના બે વર્ષ બાદ ખડસે પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા અને તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું. ખડસેના રાજીનામા બાદ ઓફિસ ઘણા દિવસો સુધી ખાલી રહ્યું. બાદમાં નવા કૃષિમંત્રી પાંડુરંગ ફુંડકરને આ ઑફિસ ફાળવવામાં આવી, બે વર્ષ બાદ તેમનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. વર્ષ 2019માં ભાજપ નેતા અનિલ બોંડેને આ મંત્રાલયના પ્રભારી બનાવાયા હતા. પરંતુ તેઓ આ વર્ષે ચૂંટણી હારી ગયા હતા અને રાજ્યમાં ભાજપની સરકાર પણ નથી બની. એવામાં આ ઑફિસને લઈને અફવાએ જોર પકડ્યું છે. સ્તિથિ એવી ઉભી થઈ શકે તે ઓફિસમાં કોઈ બેસવા તૈયાર નથી અને અત્યાર સુધી ઓફિસ કોઈને ફાળવવામાં આવી નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું 'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  ભાજપમાં કોંગ્રેસીઓનો ઉભરો!Hu to Bolish |  હું તો બોલીશ |  કેમ ડૂબે છે શહેર?Patan News | પાટણ શહેર અને જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, નીચાણવાળા વિસ્તાર થયા જળબંબાકારGujarat Rains | આણંદ શહેર-જિલ્લામાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું 'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?
Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?
માનવતાના ધોરણે આ મુસ્લિમ દેશને ભારતે કરી મોટી મદદ, 2500000 ડોલરનો પ્રથમ હપ્તો આપ્યો
માનવતાના ધોરણે આ મુસ્લિમ દેશને ભારતે કરી મોટી મદદ, 2500000 ડોલરનો પ્રથમ હપ્તો આપ્યો
વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....
વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....
RBI: આરબીઆઈએ છેતરપિંડીના નિયમોમાં કર્યો ફેરફાર, બેંકો અને એનબીએફસીએ નવા નિયમો....
RBI: આરબીઆઈએ છેતરપિંડીના નિયમોમાં કર્યો ફેરફાર, બેંકો અને એનબીએફસીએ નવા નિયમો....
Embed widget