શોધખોળ કરો
Advertisement
કેરલની એક સ્કૂલમાં વિદ્યાર્થીઓને અપાય છે ઈસ્લામ માટે જીવ આપવાની સલાહ, નોંધાઈ ફરિયાદ
કોચી: કેરલની એક સ્કૂલ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોચીની એક સ્કૂલ પર આરોપ છે કે ત્યાં અભ્યાસ કરતા બાળકોને ઈસ્લામ માટે જીવ દેવા માટે પ્રેરિત કરવામાં આવતા હતા. જાણકારી મુજબ આમ કરવાનો આદેશ આપનારો વ્યક્તિ વિવાદિત ધર્મગુરૂ જાકિર નાઈકની નજીકનો છે. સ્કૂલનું નામ પીસ ઈન્ટરનેશનલ સ્કૂલ છે, જે કોચીના આર્નાકુલમમાં આવેલી છે. આ સ્કૂલને તે વિસ્તારનો એક જાણીતો બિઝનેશમેન ચલાવતો હતો. પોલીસે સ્કૂલ પર ધારા 153 A અને 34 મુજબ ફરિયાદ દાખલ કરી છે.
આ ફરિયાદ સ્કૂલના આચાર્ય, વ્યવસ્થાપક અને ત્રણ ટ્રસ્ટી વિરૂધ્ધ નોંધવામાં આવી છે. અર્નાકુલમ જિલ્લાના શિક્ષણ અધિકારીએ આ ફરિયાદ દાખલ કરી છે.આ સ્કૂલમાં એલકેજી થી લઈને ધોરણ 8 સુધી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. ધણા લોકોએ આરોપ લગાવ્યો છે કે જાકિર નાઈકના કહેવા પર સ્કૂલના સિલેબસમાં વિવાદિત વસ્તુંઓ નાખવામાં આવી છે.
જાકિર નાઈક હાલ મુશ્કેલીમાં છે, જ્યારથી ખબર મળી છે કે બાંગ્લાદેશમાં હુમલો કરવાવાળા છોકરાઓ જાકિર નાઈકથી પ્રભાવિત હતા, ત્યારથી તેનો વિરોધ થઈ રહ્યો છે. બાંગ્લાદેશમાં તેની ઉપર બેન લગાવવામાં આવ્યો છે, જ્યારે લંડન જેવા કેટલાક દેશમાં પહેલેથી તેની પર બેન છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement