શોધખોળ કરો

કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર

પોલીસ ઘટનાસ્થળેથી મળેલી કારમાંથી મળેલા મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરાવશે

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની બહાર એક કારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. ઈન્ડિયા ટૂડેના રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે દિલ્હી લાલ કિલ્લાનો વિસ્ફોટ ફરીદાબાદ ટેરર મોડ્યુલ સાથે જોડાયેલો છે. પોલીસ ઘટનાસ્થળેથી મળેલી કારમાંથી મળેલા મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરાવશે જેથી ખાતરી કરી શકાય કે કારમાં બેઠેલી વ્યક્તિ ડૉ. ઉમર મોહમ્મદ છે કે નહીં. ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે ડૉ. ઉમર મોહમ્મદ આઈ-20 કારમાં હતો. આ વ્યક્તિની સીસીટીવી તસવીર મળી છે, જેમાં તેણે કાળો માસ્ક પહેરેલો છે. ફરીદાબાદમાં મોટી માત્રામાં એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યાની માહિતી મળ્યા બાદ દિલ્હી પોલીસ અને અન્ય એજન્સીઓ ડૉ. ઉમર મોહમ્મદને શોધી રહી હતી.

ફરીદાબાદ મોડ્યુલનો ડૉ. ઉમર મોહમ્મદ ફરાર હતો અને એજન્સીઓ તેની શોધ કરી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર,  ઉમર મોહમ્મદ કારમાં એકલો હતો. તેણે બે અન્ય સાથી હુમલો કરવાની યોજના બનાવી હતી. ઈન્ડિયા ટૂડેના રિપોર્ટ અનુસાર, જ્યારે ફરીદાબાદ ટેરર મોડ્યુલમાં ધરપકડનો દોર શરૂ થયો ત્યારે તે પકડાઈ જવાથી ડરી ગયો અને ગભરાટમાં આવીને હુમલાની યોજના બનાવી. તેણે તેના સાથીઓ સાથે મળીને કારમાં ડેટોનેટર લગાવ્યું અને વિસ્ફોટ કર્યો હતો. 

તપાસમાં ખુલાસો થયો હતો કે આઈ-20 કાર છેલ્લે બદરપુર બોર્ડર પર જોવા મળી હતી. આ કાર બદરપુરથી દિલ્હીમાં પ્રવેશતી જોવા મળી રહી છે. તેના પછીના રૂટને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે કાર જોવા મળી હતી. લાલ કિલ્લા નજીક સુનહેરી મસ્જિદ પાસે પાર્કિંગમાં કાર ત્રણ કલાક સુધી પાર્ક કરવામાં આવી હતી. કાર બપોરે 3:19 વાગ્યે પાર્કિંગમાં પ્રવેશી હતી અને સાંજે 6:48 વાગ્યે નીકળી ગઈ હતી. વિસ્ફોટ લગભગ 6:55 વાગ્યે થયો હતો.દિલ્હી પોલીસે CCTV ફૂટેજ મેળવ્યા છે જેમાં શંકાસ્પદ કાર પાર્કિંગમાં પ્રવેશતી અને બહાર નીકળતી દેખાઈ રહી છે. આ સૂચવે છે કે શંકાસ્પદ વ્યક્તિ કારમાં એકલો હતો. તપાસ એજન્સીઓ હવે દરિયાગંજ રૂટ પર મુસાફરી કરતા વાહનોની તપાસ કરી રહી છે. પોલીસ 100 CCTV ક્લિપ્સની તપાસ કરી રહી છે અને નજીકના ટોલ પ્લાઝાના વીડિયો ફૂટેજની પણ તપાસ કરી રહી છે. જેથી આ કારની સમગ્ર ગતિવિધિની તપાસ કરી શકાય.

વિસ્ફોટમાં વપરાયેલી કાર મોહમ્મદ સલમાન નામના વ્યક્તિની હતી. તેણે તે નદીમને વેચી દીધી. નદીમે કાર ફરીદાબાદના રોયલ કાર ઝોનના કાર ડીલરને વેચી દીધી. ત્યારબાદ તારીકે તે ખરીદી અને પછી ઉમરે તે ખરીદી હતી. આ કાર હરિયાણાના ગુરુગ્રામ નોર્થ આરટીઓમાં નોંધાયેલી હતી. તેનો નંબર HR 26 7624 હતો, જે મોહમ્મદ સલમાન નામના વ્યક્તિના નામે નોંધાયેલ હતો.પોલીસે ગઈકાલે રાત્રે પુલવામાના સાંબુરામાં તારીકની અટકાયત કરી હતી. જોકે, કારનું આરસી તારીકના નામે નથી. સૂત્રો સૂચવે છે કે તારીકે 2015માં ઉમરને કાર આપી હતી. ત્યાં સુધી કાર તારીકના નામે હતી. પોલીસે બંનેની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. 

અગાઉ, દિલ્હી પોલીસે વિસ્ફોટની જાણ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિસ્ફોટ થયેલી કારમાં ત્રણ લોકો હતા. જોકે, હવે પોલીસ કહે છે કે ઉમર મોહમ્મદ કારમાં એકલો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "વિસ્ફોટ હ્યુન્ડાઇ I-20 કારમાં થયો હતો, જેમાં ત્રણ લોકો બેઠા હતા. અમને ઘાયલોના શરીર પર કોઈ છરા મળ્યા નથી, જે વિસ્ફોટમાં અસામાન્ય છે. અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ." પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે મોડી સાંજે કારના માલિક મોહમ્મદ સલમાનની અટકાયત કરી હતી અને કાર વિશે પૂછપરછ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સલમાને દોઢ વર્ષ પહેલાં ઓખલામાં દેવેન્દ્ર નામના વ્યક્તિને કાર વેચી હતી. કાર બાદમાં અંબાલામાં કોઈને અને પછી પુલવામામાં તારિક નામના વ્યક્તિને વેચવામાં આવી હતી. પોલીસ તે લોકોની તપાસ કરી રહી છે.

દિલ્હી પોલીસે વિસ્ફોટમાં FIR નોંધી છે. પોલીસે UAPA ની કલમ 16 અને 18 હેઠળ FIR નોંધી છે, જે આતંકવાદી કૃત્યો અને તેમના માટે સજા સાથે સંબંધિત છે. વિસ્ફોટક પદાર્થો અધિનિયમની કલમ 3 અને 4 પણ ઉમેરવામાં આવી છે. વધુમાં FIR માં હત્યા અને હત્યાના પ્રયાસ સંબંધિત કલમો પણ શામેલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે ફરીદાબાદ ક્રાઈમ બ્રાન્ચ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ પાસેથી ફરીદાબાદમાંથી મળેલા વિસ્ફોટકો અંગે માહિતી માંગી છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસ સૂચવે છે કે લાલ કિલ્લા નજીક કાર બોમ્બ વિસ્ફોટ ફરીદાબાદ આતંકવાદી ટેરર મોડ્યૂલ સાથે જોડાયેલો છે, જેનો તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીર પોલીસે પર્દાફાશ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
WhatsApp Guest Chats: એકાઉન્ટ વિના કરી શકશો વોટ્સએપ પર ચેટિંગ, નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ
WhatsApp Guest Chats: એકાઉન્ટ વિના કરી શકશો વોટ્સએપ પર ચેટિંગ, નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
Embed widget