શોધખોળ કરો

PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?

3 વર્ષથી ઝીરો બેલેન્સ અને નિષ્ક્રિય પડેલા ખાતાઓને લઈને પંજાબ નેશનલ બેંકની મોટી ચેતવણી; 15 એપ્રિલ પહેલા બ્રાન્ચમાં જઈને પતાવી લો આ જરૂરી કામ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • PNB અમુક ખાતાઓ 16 એપ્રિલ 2026 થી બંધ કરશે.
  • 3 વર્ષથી લેવડ-દેવડ વગરના શૂન્ય બેલેન્સ ખાતા બંધ થશે.
  • 15 એપ્રિલ 2026 પહેલા KYC કરાવવું ફરજિયાત છે.
  • નિષ્ક્રિય ખાતા ધરાવતા ગ્રાહકો બેંક શાખાનો સંપર્ક કરે.

જો તમારું બેંક એકાઉન્ટ પંજાબ નેશનલ બેંક (PNB) માં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. PNB એ પોતાના ગ્રાહકો માટે સોશિયલ મીડિયા પર એક મોટી અને મહત્વની ચેતવણી જારી કરી છે. બેંકના નવા આદેશ મુજબ, અમુક ચોક્કસ બેંક ખાતાઓ આગામી 16 એપ્રિલ, 2026 થી કાયમ માટે બંધ કરી દેવામાં આવશે. જોકે, સામાન્ય ગ્રાહકોએ ગભરાવવાની જરૂર નથી, કારણ કે આ નિયમ રેગ્યુલર વપરાશ કરતા ગ્રાહકોને લાગુ પડતો નથી. બેંકે સ્પષ્ટ કર્યું છે કે જે ગ્રાહકોના ખાતા લાંબા સમયથી સાવ બંધ પડ્યા છે, તેમણે 15 એપ્રિલ, 2026 પહેલા પોતાની નજીકની બ્રાન્ચમાં જઈને ફરજિયાતપણે પોતાનું KYC (નો યોર કસ્ટમર) પૂરું કરાવવું પડશે. જો આ તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરી નહીં થાય, તો બીજા જ દિવસથી ખાતું બંધ કરી દેવાશે.

કયા ગ્રાહકોના ખાતા બંધ કરવામાં આવશે?

પંજાબ નેશનલ બેંકે સ્પષ્ટતા કરી છે કે આ કાર્યવાહી માત્ર એવા જ ખાતાઓ પર થશે:

જેમાં છેલ્લા 3 વર્ષથી કોઈપણ પ્રકારની લેવડ-દેવડ (ટ્રાન્ઝેક્શન) કરવામાં આવી નથી.

જે ખાતામાં તમારું બેલેન્સ બિલકુલ શૂન્ય (0) છે.

જો તમારું ખાતું પણ આ કેટેગરીમાં આવે છે, તો તમારે 15 એપ્રિલ, 2026 પહેલાં તમારી નજીકની બેંક શાખાની મુલાકાત લેવી જ પડશે અને ત્યાં જઈને તમારું KYC અપડેટ કરાવવું પડશે. જો તમે 15 એપ્રિલ સુધીમાં આ કામ નહીં પતાવો, તો 16 એપ્રિલ, 2026 થી કોઈપણ જાતની આગોતરી જાણ કર્યા વગર તમારું ખાતું કાયમ માટે બંધ કરી દેવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે બેંકે ગ્રાહકોને તેમની શાખાનો સંપર્ક કરવાની સલાહ આપી છે.

નિષ્ક્રિય (Dormant) ખાતું કોને કહેવાય?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો મુજબ, 'નિષ્ક્રિય ખાતું' એટલે એવું સેવિંગ્સ (બચત) અથવા કરંટ (ચાલુ) ખાતું જેમાં 2 વર્ષથી વધુ સમયથી ગ્રાહક દ્વારા પૈસા ઉપાડવા કે જમા કરવા જેવો કોઈ પણ વ્યવહાર કરવામાં આવ્યો ન હોય. PNB આવા જ ખાતાઓ કે જે વર્ષોથી નિષ્ક્રિય પડ્યા છે, તેની સફાઈ કરી રહી છે.

હવે તમારે શું કરવાનું છે?

જો તમારી પાસે પણ પંજાબ નેશનલ બેંકમાં એવું ખાતું છે જેમાં છેલ્લા 3 વર્ષમાં કોઈ વ્યવહાર થયો નથી અને બેલેન્સ ઝીરો છે, તો:
1. વહેલી તકે તમારી બેંકની શાખાની મુલાકાત લો.
2. ત્યાં જઈને જરૂરી દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટો) સબમિટ કરો.
3. KYC નું ફોર્મ ભરીને તમારું ખાતું ફરીથી એક્ટિવ (ચાલુ) કરાવી લો.

ધ્યાન રહે કે જો તમે 15 એપ્રિલ સુધીમાં આ પ્રક્રિયા પૂરી નહીં કરો, તો તમારું ખાતું રદ કરી દેવાશે.

Frequently Asked Questions

PNB કયા ખાતાઓ બંધ કરશે?

PNB એવા ખાતાઓ બંધ કરશે જેમાં છેલ્લા 3 વર્ષથી કોઈ લેવડ-દેવડ નથી થઈ અને બેલેન્સ શૂન્ય છે.

ખાતું બંધ ન થાય તે માટે શું કરવું પડશે?

તમારે 15 એપ્રિલ, 2026 પહેલાં તમારી નજીકની PNB શાખામાં જઈને KYC અપડેટ કરાવવું પડશે.

નિષ્ક્રિય ખાતું એટલે શું?

RBI ના નિયમો મુજબ, જે ખાતામાં 2 વર્ષથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો નથી, તેને નિષ્ક્રિય ખાતું કહેવાય છે.

જો KYC અપડેટ નહીં થાય તો શું થશે?

જો 15 એપ્રિલ, 2026 સુધીમાં KYC અપડેટ નહીં થાય, તો તમારું ખાતું 16 એપ્રિલ, 2026 થી કાયમ માટે બંધ કરી દેવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Embed widget