શોધખોળ કરો

PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?

3 વર્ષથી ઝીરો બેલેન્સ અને નિષ્ક્રિય પડેલા ખાતાઓને લઈને પંજાબ નેશનલ બેંકની મોટી ચેતવણી; 15 એપ્રિલ પહેલા બ્રાન્ચમાં જઈને પતાવી લો આ જરૂરી કામ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • PNB અમુક ખાતાઓ 16 એપ્રિલ 2026 થી બંધ કરશે.
  • 3 વર્ષથી લેવડ-દેવડ વગરના શૂન્ય બેલેન્સ ખાતા બંધ થશે.
  • 15 એપ્રિલ 2026 પહેલા KYC કરાવવું ફરજિયાત છે.
  • નિષ્ક્રિય ખાતા ધરાવતા ગ્રાહકો બેંક શાખાનો સંપર્ક કરે.

જો તમારું બેંક એકાઉન્ટ પંજાબ નેશનલ બેંક (PNB) માં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. PNB એ પોતાના ગ્રાહકો માટે સોશિયલ મીડિયા પર એક મોટી અને મહત્વની ચેતવણી જારી કરી છે. બેંકના નવા આદેશ મુજબ, અમુક ચોક્કસ બેંક ખાતાઓ આગામી 16 એપ્રિલ, 2026 થી કાયમ માટે બંધ કરી દેવામાં આવશે. જોકે, સામાન્ય ગ્રાહકોએ ગભરાવવાની જરૂર નથી, કારણ કે આ નિયમ રેગ્યુલર વપરાશ કરતા ગ્રાહકોને લાગુ પડતો નથી. બેંકે સ્પષ્ટ કર્યું છે કે જે ગ્રાહકોના ખાતા લાંબા સમયથી સાવ બંધ પડ્યા છે, તેમણે 15 એપ્રિલ, 2026 પહેલા પોતાની નજીકની બ્રાન્ચમાં જઈને ફરજિયાતપણે પોતાનું KYC (નો યોર કસ્ટમર) પૂરું કરાવવું પડશે. જો આ તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરી નહીં થાય, તો બીજા જ દિવસથી ખાતું બંધ કરી દેવાશે.

કયા ગ્રાહકોના ખાતા બંધ કરવામાં આવશે?

પંજાબ નેશનલ બેંકે સ્પષ્ટતા કરી છે કે આ કાર્યવાહી માત્ર એવા જ ખાતાઓ પર થશે:

જેમાં છેલ્લા 3 વર્ષથી કોઈપણ પ્રકારની લેવડ-દેવડ (ટ્રાન્ઝેક્શન) કરવામાં આવી નથી.

જે ખાતામાં તમારું બેલેન્સ બિલકુલ શૂન્ય (0) છે.

જો તમારું ખાતું પણ આ કેટેગરીમાં આવે છે, તો તમારે 15 એપ્રિલ, 2026 પહેલાં તમારી નજીકની બેંક શાખાની મુલાકાત લેવી જ પડશે અને ત્યાં જઈને તમારું KYC અપડેટ કરાવવું પડશે. જો તમે 15 એપ્રિલ સુધીમાં આ કામ નહીં પતાવો, તો 16 એપ્રિલ, 2026 થી કોઈપણ જાતની આગોતરી જાણ કર્યા વગર તમારું ખાતું કાયમ માટે બંધ કરી દેવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે બેંકે ગ્રાહકોને તેમની શાખાનો સંપર્ક કરવાની સલાહ આપી છે.

નિષ્ક્રિય (Dormant) ખાતું કોને કહેવાય?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો મુજબ, 'નિષ્ક્રિય ખાતું' એટલે એવું સેવિંગ્સ (બચત) અથવા કરંટ (ચાલુ) ખાતું જેમાં 2 વર્ષથી વધુ સમયથી ગ્રાહક દ્વારા પૈસા ઉપાડવા કે જમા કરવા જેવો કોઈ પણ વ્યવહાર કરવામાં આવ્યો ન હોય. PNB આવા જ ખાતાઓ કે જે વર્ષોથી નિષ્ક્રિય પડ્યા છે, તેની સફાઈ કરી રહી છે.

હવે તમારે શું કરવાનું છે?

જો તમારી પાસે પણ પંજાબ નેશનલ બેંકમાં એવું ખાતું છે જેમાં છેલ્લા 3 વર્ષમાં કોઈ વ્યવહાર થયો નથી અને બેલેન્સ ઝીરો છે, તો:
1. વહેલી તકે તમારી બેંકની શાખાની મુલાકાત લો.
2. ત્યાં જઈને જરૂરી દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટો) સબમિટ કરો.
3. KYC નું ફોર્મ ભરીને તમારું ખાતું ફરીથી એક્ટિવ (ચાલુ) કરાવી લો.

ધ્યાન રહે કે જો તમે 15 એપ્રિલ સુધીમાં આ પ્રક્રિયા પૂરી નહીં કરો, તો તમારું ખાતું રદ કરી દેવાશે.

Frequently Asked Questions

PNB કયા ખાતાઓ બંધ કરશે?

PNB એવા ખાતાઓ બંધ કરશે જેમાં છેલ્લા 3 વર્ષથી કોઈ લેવડ-દેવડ નથી થઈ અને બેલેન્સ શૂન્ય છે.

ખાતું બંધ ન થાય તે માટે શું કરવું પડશે?

તમારે 15 એપ્રિલ, 2026 પહેલાં તમારી નજીકની PNB શાખામાં જઈને KYC અપડેટ કરાવવું પડશે.

નિષ્ક્રિય ખાતું એટલે શું?

RBI ના નિયમો મુજબ, જે ખાતામાં 2 વર્ષથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો નથી, તેને નિષ્ક્રિય ખાતું કહેવાય છે.

જો KYC અપડેટ નહીં થાય તો શું થશે?

જો 15 એપ્રિલ, 2026 સુધીમાં KYC અપડેટ નહીં થાય, તો તમારું ખાતું 16 એપ્રિલ, 2026 થી કાયમ માટે બંધ કરી દેવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
શું તમારી લોનના હપ્તા વધશે? બુધવારથી શરૂ થશે MPC બેઠક, 5 જૂનના રોજ લેવાશે સૌથી મોટો નિર્ણય
શું તમારી લોનના હપ્તા વધશે? બુધવારથી શરૂ થશે MPC બેઠક, 5 જૂનના રોજ લેવાશે સૌથી મોટો નિર્ણય
3kW કે 5kW? ઘર માટે કઈ સોલાર સિસ્ટમ છે બેસ્ટ? વીજળી બિલ ઘટાડવા આ વાતોનું ધ્યાન રાખો
3kW કે 5kW? ઘર માટે કઈ સોલાર સિસ્ટમ છે બેસ્ટ? વીજળી બિલ ઘટાડવા આ વાતોનું ધ્યાન રાખો
₹1.5 કરોડનું રિટાયરમેન્ટ ફંડ અને 1 લાખ માસિક ઉપાડ, 20 વર્ષ પછી તમારી પાસે કેટલી બચત વધશે?
₹1.5 કરોડનું રિટાયરમેન્ટ ફંડ અને 1 લાખ માસિક ઉપાડ, 20 વર્ષ પછી તમારી પાસે કેટલી બચત વધશે?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?
Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?
Gujarat Rain Update: ગુજરાતના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Gujarat Heavy Rain Forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ! 6 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
Embed widget