શોધખોળ કરો

CBIએ નવજાત બાળકોની તસ્કરી કરતી ગેંગના 7 સભ્યોની ધરપકડ કરી  

CBI દ્વારા બાળકોની તસ્કરીના મામલે  દિલ્હીના ઘણા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. CBIની ટીમે દરોડા દરમિયાન કેશવપુરમ વિસ્તારના એક ઘરમાંથી બે નવજાત શિશુઓ અને આઠ બાળકોને બચાવ્યા છે.

નવી દિલ્હી : CBI દ્વારા બાળકોની તસ્કરીના મામલે  દિલ્હીના ઘણા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. CBIની ટીમે દરોડા દરમિયાન કેશવપુરમ વિસ્તારના એક ઘરમાંથી બે નવજાત શિશુઓ અને આઠ બાળકોને બચાવ્યા છે. આ કેસમાં હોર્સ ટ્રેડિંગ સાથે સંકળાયેલા કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં હોસ્પિટલના વોર્ડ બોય સહિત કેટલીક મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે.

CBIને તેમની પાસેથી બે નવજાત બાળકો મળી આવ્યા છે. આ ટોળકી સોશિયલ મીડિયામાં જાહેરાતો દ્વારા નિસંતાન યુગલોને બાળકો વેચતા હતા. બાતમીના આધારે સીબીઆઈએ દિલ્હી અને હરીયાણામાં 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા. 

CBI દ્વારા આ ગેંગના 7 સભ્યોને ઝડપી લેવામાં આવ્યા છે. આ ગેંગ કથિત રીતે ફેસબુક પેઈજ અને વોટ્સએપ ગ્રુપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત દ્વારા બાળકોને દત્તક લેવા ઈચ્છુક નિસંતાન યુગલોને સંપર્ક કરતા હતા.  

CBIએ  દિલ્હી-એનસીઆરમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ ડા દરમિયાન CBIની ટીમે કેશવપુરમના એક ઘરમાંથી બે નવજાત બાળકોને બચાવ્યા હતા. CBI દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં નવજાત બાળકોની ખરીદી અને વેચાણનો મામલો હોવાનું જણાય છે. હાલમાં CBIની કેસમાં બાળકોને વેચનાર મહિલા અને તેમને ખરીદનાર વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં CBI  મહિલા સહિત કેટલાક લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની કેટલીક મોટી હોસ્પિટલોમાંથી બાળકો ગુમ થયાના સમાચાર આવ્યા હતા, જે બાદ CBIએ ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા અને એક મહિલા સહિત કેટલાક લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. ચાઈલ્ડ ટ્રેડિંગની માહિતી મળ્યા બાદ સીબીઆઈએ ગુમ થયેલા બાળકોને જોડીને દરોડા પાડ્યા હતા.

આરોપીઓ બાળકોના રિઅલ માબાપ ઉપરાંત સરોગેટ મધર પાસેથી પણ બાળકો ખરીદતા હતા. એક બાળકની કિંમત 4થી 6 લાખ રૂપિયા હતી. આરોપી બાળકોને દત્તક લેવા માટે નકલી દસ્તાવેજો પણ બનાવતા હતા અને નિસંતાન દંપતીઓને પણ છેતરતા હતા. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં હૉસ્પિટલના વોર્ડ બોય અને આયાઓનો સમાવેશ થાય છે.  

તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા એક મહિનામાં અહીંથી લગભગ 10 બાળકોને વેચવામાં આવ્યા છે. બાળકોને અલગ-અલગ ઘરે લાવીને વેચવામાં આવતા હતા. બાળકોને મેડિકલ સેન્ટર કે હૉસ્પિટલમાંથી લાવવામાં આવતા હતા કે પછી ચોરીને લાવવામાં આવતા હતા તેની તપાસ ચાલુ છે. આ મામલે કેટલીક મોટી હોસ્પિટલ અને આઈવીએફ સેન્ટરની તપાસ ચાલુ છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Embed widget