શોધખોળ કરો

મોંઘવારી સામે આંદોલન કરશે કૉંગ્રેસ, 24 જૂને સોનિયા ગાંધીએ બોલાવી બેઠક

કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ 24 જૂને પાર્ટીના મહાસચિવો અને પ્રભારીઓની બેઠક બોલાવી છે. સૂત્રો મુજબ કૉંગ્રેસ પાર્ટી સામાન્ય લોકો સાથે જોડાયેલા મોંઘવારીના મુદ્દા પર રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.

કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ 24 જૂને પાર્ટીના મહાસચિવો અને પ્રભારીઓની બેઠક બોલાવી છે. સૂત્રો મુજબ કૉંગ્રેસ પાર્ટી સામાન્ય લોકો સાથે જોડાયેલા મોંઘવારીના મુદ્દા પર રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. સોનિયા ગાંધી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં મુખ્ય રીતે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. 

કેંદ્રની મોદી સરકારને ઘેરવા માટે આ બેઠકમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને મોંઘવારી સાે આંદોલન કરવાને લઈ કૉંગ્રેસના મોટા નેતાઓ રણનીતિ બનાવશે.


મહત્વનું છે કે કોંગ્રેસની આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે કોઈ વરિષ્ઠ નેતાઓએ બળવાનું રૂપ અપનાવ્યું છે. આ સિવાય રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોમાં આંતરીક વિવાદ ચાલી રહ્યો છે. પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધૂ એકબીજાની વિરુદ્ધ આવી ગયા છે. આ સિવાય રાજસ્થાનની વાત કરીએ તો સચિન પાયલટ જૂથના ધારાસભ્યોએ મોર્ચો ખોલી રાખ્યો છે, તો બીએસપીથી આવેલા 6 ધારાસભ્યો અને 13 અપક્ષ ધારાસભ્યો પણ સત્તામાં ભાગીદારી માંગી રહ્યાં છે. તેના કારણે લીડરશિપ પણ મુશ્કેલીમાં છે અને હાલમાં કોઈ હલ દેખાતો જોવા મળી રહ્યો નથી. 

હાલમાં જ પેટ્રોલ ડીઝલની વધતી કિંમતોને લઈ કૉંગ્રેસે દેશવ્યાપી પ્રદર્શન કર્યું હતું. પરંતુ પેટ્રોલ ડિઝલના કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઘણા રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. એવામાં કૉંગ્રેસ ફરી એક વખત રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહી છે.

સૂત્રોની જાણકારી અનુસાર કોરોના સંક્રમણને લઈ કૉંગ્રેસ તરફથી શરૂ કરવામાં આવી રહેલા સર્વેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી યોજાનારી આ બેઠક 24 જૂન સવારે 10 વાગ્યે શરુ થશે. 

 

દેશમાં કોરોનાની સ્થિતિ

દેશમાં 88 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. સાથે જ સતત બીજા દિવસે 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 53256 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 1422 લોકોના મોત થયા છે. આ પહેલા 23 માર્ચના રોજ 47262 કોરોના કેસ નોંધાયા હતા. વિતેલા દિવસે 78190 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે એટલે કે ગઈકાલે 26356 એક્ટિવ કેસ ઘટ્યા છે.

 

દેશમાં સતત 39માં દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 20 જૂન સુધી દેશભરમાં 28 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસોમાં 30 લાખ 39 હજાર રસી આપવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધી 39 કરોડ 24 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે અંદાજે 14 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget