શોધખોળ કરો

Congress : રાહુલ અધવચ્ચે જ છોડી દેવાના હતાં ભારત જોડો યાત્રા, કોંગી નેતાનો જ ધડાકો

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાની કમાન કોંગ્રેસના અન્ય નેતાને સોંપવાના હતા. આ ખુલાસો કોઈ બીજા નહીં પણ કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે પોતે જ કર્યો છે.

Rahul Gandhi Knee Pain: કોંગ્રેસની ભારત જોડો યાત્રા તામિલનાડુના કન્યાકુમારીથી કાશ્મીરમાં તાજેતરમાં પૂર્ણ થઈ ગઈ છે. ભારત જોડો યાત્રા દ્વારા કોંગ્રેસ દેશમાં પોતાની ખોવાયેલી જમીન પાછી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ યાત્રાની દેશભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે, પરંતુ સાંસદ રાહુલ ગાંધી શરૂઆતથી જ આ યાત્રાને શરૂઆત સાથે જ અધવચ્ચે છોડી દેવાના હતા તેવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. 

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાની કમાન કોંગ્રેસના અન્ય નેતાને સોંપવાના હતા. આ ખુલાસો કોઈ બીજા નહીં પણ કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે પોતે જ કર્યો છે. જાહેર છે કે, રાજકીય પંડિતો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને ઘણી સફળ ગણાવી રહ્યાં છે. 

કોંગ્રેસના નેતા વેણુગોપાલે જણાવ્યું હતું કે, યાત્રાની શરૂઆતમાં જ રાહુલ ગાંધીને ઘૂંટણની ગંભીર સમસ્યા ઉભી થઈ હતી જેના કારણે તેમણે યાત્રા અધવચ્ચે જ છોડી દેવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. યાત્રાના સમાપન દરમિયાન રાહુલ ગાંધીએ કાશ્મીરમાં પણ પોતાના ઘૂંટણની સમસ્યા વિશે વાત કરી હતી.

ગાંધીના ઘુંટણનો દુખાવો વધ્યો - વેણુગોપાલ

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, કન્યાકુમારીથી યાત્રા શરૂ થયાના ત્રીજા દિવસે જ્યારે યાત્રા કેરળમાં પ્રવેશી રહી હતી ત્યારે ગાંધીના ઘૂંટણનો દુખાવો વધી ગયો હતો. તેમણે વેણુગોપાલને પણ મોડી રાત્રે ફોન કરીને તેમના ઘુંટણના દુ:ખાવાની ગંભીરતા વિશે જણાવ્યું હતું. ત્યાર બાદ પ્રિયંકા ગાંધીનો ફોન આવ્યો હતો. તેમણે અન્ય વરિષ્ઠ નેતાઓને ઝુંબેશ સોંપવાનું સૂચન કરવાનું પણ વિચાર્યું હતું. કારણ કે આટલી મોટી યાત્રાને આગળ વધારવી અને પુર્ણ કરવી અનિવાર્ત્ય બની હતી.

તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી વિના કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ માટે આ યાત્રા અકલ્પ્ય હતી. જોકે, રાહુલ ગાંધીના ઘૂંટણનો દુ:ખાવો ફિઝિયોથેરાપીથી સારો થઈ ગયો હતો. ભારત જોડો યાત્રાએ 75 જિલ્લાઓ, 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 136 દિવસમાં 4,000 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું.

Rahul Gandhi: 3000 કિલોમીટરની પદયાત્રા કરવાથી દાઢી વધે પણ બુદ્ધિ નહીં, હર્ષ સંઘવીનો રાહુલ ગાંધી પર કટાક્ષ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા થોડા દિવસ પહેલા જ પૂરી થઈ હતી. જેમાં તેઓ 3 હજાર કિલોમીટર ચાલ્યા હતા. આ દરમિયાન અનેક જાણીતા લોકો તેમની સાથે જોડાયા હતા. રાહુલ ગાંધી પર ગઈકાલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કટાક્ષ કરતું ટ્વિટ કર્યુ હતું. હર્ષ સંઘવીએ લખ્યું હતું કે, હવે એક વાત "કન્ફર્મ" છે...! જો તમે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ...!!

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Embed widget