શોધખોળ કરો

મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન

મ્યાનમારમાં આવેલા ભયાનક ભૂકંપમાં અત્યાર સુધી લગભગ 2000 લોકો માર્યા ગયા છે

મ્યાનમારમાં આવેલા ભયાનક ભૂકંપમાં અત્યાર સુધી લગભગ 2000 લોકો માર્યા ગયા છે. ચીની મીડિયાના અહેવાલ અનુસાર, મ્યાનમારમાં ભૂકંપમાં ધરાશાયી થયેલી ઇમારતોમાં ફસાયેલા ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મ્યાનમાર અને થાઇલેન્ડમાં રાહતબચાવકર્મીઓ ફસાયેલ જીવિત લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી સિન્હુઆએ કહ્યું હતું કે સોમવારે વહેલી સવારે માંડલેમાં કાટમાળમાંથી બચાવાયેલા લોકોમાં એક ગર્ભવતી મહિલા અને એક છોકરીનો સમાવેશ થાય છે. માંડલે શુક્રવારે આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપના કેન્દ્રબિંદુની નજીક છે. ભૂકંપે મ્યાનમારમાં મોટા પાયે વિનાશ વેર્યો હતો અને પાડોશી થાઇલેન્ડમાં પણ ભૂકંપના કારણે કેટલાક લોકોના મોત થયા છે.

ચીન, ભારત અને થાઇલેન્ડે મ્યાનમારમાં રાહત સામગ્રી અને ટીમો મોકલી છે. સાથે સાથે મલેશિયા, સિંગાપોર અને રશિયાએ રાહત સામગ્રી અને બચાવકર્મીઓ મોકલ્યા છે. સિન્હુઆએ કહ્યું હતું કે ચીન સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટીમના પ્રથમ ટીમના વડા યૂ શિને કહ્યું હતું કે  તેનાથી કોઇ ફરક નથી પડતો કે અમે કેટલા સમય સુધી કામ કરીએ છીએ. સૌથી મહત્વની બાબત એ છે કે આપણે સ્થાનિક લોકોમાં આશા લાવી શકીએ છીએ.

થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં સોમવારે ક્રેન અને ડોગ સ્નિફર્સનો ઉપયોગ કરીને કટોકટીના ક્રૂએ ઇમારતના કાટમાળ નીચે દટાયેલા માનવામાં આવતા 76 લોકોની શોધ ચાલુ રાખી હતી. બેંગકોકના ગવર્નર Chadchart Sittipuntએ જણાવ્યું હતું કે લોકોને જીવતા શોધવા માટે બચાવકર્તાઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. સર્ચ ઓપરેશન 72 કલાક પછી પણ ચાલુ રહેશે કારણ કે તુર્કીમાં એક અઠવાડિયાથી ફસાયેલા લોકો બચી ગયા છે.

તેમણે કહ્યું કે કાટમાળના મશીન સ્કેનથી જાણવા મળ્યું છે કે હજુ પણ લોકો નીચે જીવિત હોઈ શકે છે અને તેમના સ્થાનો શોધવા માટે સ્નિફર ડોગની મદદ લેવામાં આવી રહી છે. રવિવારે થાઈલેન્ડનો સત્તાવાર મૃત્યુઆંક 18 હતો, પરંતુ ધરાશાયી થયેલી ઇમારતના સ્થળે વધુ બચાવ કામગીરી ન થાય તો તે વધી શકે છે.

મ્યાનમારમાં રાજ્ય મીડિયાએ જણાવ્યું હતું કે રવિવાર સુધીમાં ઓછામાં ઓછા 1700 લોકોના મૃત્યુની પુષ્ટી કરવામાં આવી છે. વોલ સ્ટ્રીટ જર્નલે લશ્કરી શાસકને ટાંકીને અહેવાલ આપ્યો છે કે મ્યાનમારમાં મૃત્યુઆંક 2,028 પર પહોંચી ગયો છે. રોઇટર્સ તાત્કાલિક નવા મૃત્યુઆંકની પુષ્ટી કરી શક્યું નથી. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે તે મધ્ય મ્યાનમારમાં બચી ગયેલા લોકો માટે રાહત પુરવઠો પહોંચાડી રહ્યું છે.

અમેરિકાએ "મ્યાનમાર સ્થિત માનવતાવાદી સહાય સંસ્થાઓ દ્વારા" 2 મિલિયન ડોલરની સહાયનું વચન આપ્યું છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ વહીવટ હેઠળ મોટા પાયે કાપ મુકી રહેલા USAID ની એક ટીમ મ્યાનમારમાં તૈનાત કરવામાં આવી રહી છે. એક બળવાખોર જૂથે કહ્યું કે ભૂકંપ પછી મ્યાનમારનું  સૈન્ય હજુ પણ ગામડાઓ પર હવાઈ હુમલા કરી રહી છે અને સિંગાપોરના વિદેશ મંત્રીએ રાહત પ્રયાસોમાં મદદ કરવા માટે તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી હતી. 55 મિલિયન વસ્તી ધરાવતા દેશમાં પુલ, હાઇવે, એરપોર્ટ અને રેલવે સહિત મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Israel-US Iran War: વિશ્વના સૌથી મોટા દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો, UAE માં કેમ કરવામાં આવી 19 ભારતીયોની ધરપકડ
Israel-US Iran War: વિશ્વના સૌથી મોટા દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો, UAE માં કેમ કરવામાં આવી 19 ભારતીયોની ધરપકડ
‘હું મરી ગયો છું...’, મોતની અફવા વચ્ચે નેતન્યાહૂનો વીડિયો આવ્યો સામે; જાણો ‘બીબી’ એ શું કહ્યું?
‘હું મરી ગયો છું...’, મોતની અફવા વચ્ચે નેતન્યાહૂનો વીડિયો આવ્યો સામે; જાણો ‘બીબી’ એ શું કહ્યું?
ઝિપલાઇન દ્વારા નદી પાર કરી રહી હતી મહિલા, ત્યારે જ પાણીમાંથી અચાનક મગરે કર્યો હુમલો, ખૌફનાક Video વાયરલ
ઝિપલાઇન દ્વારા નદી પાર કરી રહી હતી મહિલા, ત્યારે જ પાણીમાંથી અચાનક મગરે કર્યો હુમલો, ખૌફનાક Video વાયરલ
Israel-US Iran War:: ઇરાન સાથેના યુદ્ધ વચ્ચે આ દેશે અમેરિકાને આપ્યો ઝટકો, US આર્મી માટે બંધ કર્યું એરસ્પેસ
Israel-US Iran War:: ઇરાન સાથેના યુદ્ધ વચ્ચે આ દેશે અમેરિકાને આપ્યો ઝટકો, US આર્મી માટે બંધ કર્યું એરસ્પેસ

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
Surat news: સુરતના પાંડેસરામાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો
LPG Cylinder Shortage: PNG અને LPG કનેક્શન પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Surat Police: પોલીસના નામે તોડ કરતી ગેંગ આવી પોલીસ સકંજામાં
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Embed widget