શોધખોળ કરો

Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?

Former PM Manmohan Singh Funeral: પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે શનિવારે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

Former PM Manmohan Singh Funeral: પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે શનિવારે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નવી દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે 28 ડિસેમ્બર 2024ના રોજ સવારે 11.45 કલાકે કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે આ માહિતી આપી છે. કોંગ્રેસે તેમના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે યોગ્ય જગ્યાની માંગ કરી છે. હવે કોંગ્રેસની સાથે અન્ય પાર્ટીઓ પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહી છે.

 

જો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે કેન્દ્રએ મનમોહન સિંહનું સ્મારક બનાવવાની મંજૂરી આપી દીધી છે. આ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવશે અને તેમાં સમય લાગશે. આવી સ્થિતિમાં, અંતિમ સંસ્કાર અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવી જોઈએ.

ભારતના પ્રથમ શીખ વડાપ્રધાનનું અપમાન
કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટર પર લખ્યું,આજે સવારે કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાનને પત્ર લખીને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એવા સ્થળે કરવામાં આવે જ્યાં તેમના વારસાને માન આપવા માટે સ્મારક બનાવવામાં આવે તેવી દરખાસ્ત કરી હતી.

તેમણે કહ્યું, આપણા દેશના લોકો એ સમજવામાં અસમર્થ છે કે ભારત સરકાર તેમના વૈશ્વિક કદ, ઉત્કૃષ્ટ સિદ્ધિઓના રેકોર્ડ અને દાયકાઓથી રાષ્ટ્ર પ્રત્યેની નોંધપાત્ર સેવાને અનુરૂપ તેમના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે જગ્યા કેમ શોધી શકી નથી. આ બીજું કંઈ નથી પરંતુ ભારતના પ્રથમ શીખ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું ઈરાદાપૂર્વકનું અપમાન છે.

શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે કહ્યું, ચોંકાવનારું અને અવિશ્વસનીય! તે ખૂબ જ નિંદનીય છે કે કેન્દ્ર સરકારે ડૉ. મનમોહન સિંહ જીના પરિવારની તેમના અંતિમ સંસ્કાર એવા સ્થળે કરવાની વિનંતીને ફગાવી દીધી છે જ્યાં તેમની યાદમાં ઐતિહાસિક સ્મારક બનાવવામાં આવે. તે જગ્યા રાજઘાટ હોવી જોઈએ. આ ભૂતકાળમાં અનુસરવામાં આવતી પરંપરાને અનુરૂપ હશે.

તેમણે કહ્યું કે, તે સમજની બહાર છે કે સરકાર એ મહાન નેતા પ્રત્યે આટલો અનાદર કેમ બતાવી રહી છે જેઓ શીખ સમુદાયના એકમાત્ર સભ્ય હતા જે વડાપ્રધાન બન્યા હતા. હાલમાં, અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ ખાતેના સામાન્ય સ્મશાનભૂમિમાં કરવામાં આવનાર છે. હું માની શકતો નથી કે ડૉ. મનમોહન સિંહ જીની આટલી વિશાળ વૈશ્વિક પ્રતિષ્ઠાને અવગણીને ભાજપ સરકારનો પૂર્વગ્રહ આ હદે વધી જશે.

PM મોદીએ આ નિર્ણયમાં હસ્તક્ષેપ કરવો જોઈએ
સુખબીર સિંહ બાદલે કહ્યું, 'ડૉ. મનમોહન સિંહે દેશને આંતરરાષ્ટ્રીય ઉંચાઈઓ પર પહોંચાડ્યો. કૉંગ્રેસ સાથેના અમારા રાજકીય મતભેદો ઉપરાંત, અમે હંમેશા ડૉ. મનમોહન સિંહને સર્વોચ્ચ આદરમાં રાખ્યા છે કારણ કે તેઓ રાજકારણ અને રાજકીય જોડાણોથી પર છે. તે સમગ્ર દેશના છે.

તેમણે કહ્યું, 'ડો. સાહેબે શીખ અને પંજાબના મુદ્દાઓ પર શિરોમણી અકાલી દળ સાથેના વ્યવહારમાં  ખૂબ જ સંવેદનશીલતા અને કરુણા દર્શાવી. હું PM નરેન્દ્ર મોદીજીને વિનંતી કરું છું કે તેઓ સરકારના આ નિંદનીય નિર્ણયને બદલવા માટે અંગત રીતે હસ્તક્ષેપ કરે. 

પૂર્વ પીએમના પરિવારની સરકાર સાથે વાતચીત ચાલી રહી છે

શુક્રવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ ચર્ચા કરી કે દિવંગત પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે યોગ્ય જગ્યા આપવામાં આવે. કોંગ્રેસના મહાસચિવ અવિનાશ પાંડેએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મનમોહન સિંહના પરિવારજનો અંતિમ સંસ્કાર અને સ્મારકની જગ્યા માટે સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિની એક બેઠક શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, CPP અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભાના વિપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસ નેતાઓની હાજરીમાં યોજાઈ હતી. પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
Embed widget