શોધખોળ કરો

Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?

Former PM Manmohan Singh Funeral: પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે શનિવારે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

Former PM Manmohan Singh Funeral: પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે શનિવારે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નવી દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે 28 ડિસેમ્બર 2024ના રોજ સવારે 11.45 કલાકે કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે આ માહિતી આપી છે. કોંગ્રેસે તેમના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે યોગ્ય જગ્યાની માંગ કરી છે. હવે કોંગ્રેસની સાથે અન્ય પાર્ટીઓ પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહી છે.

 

જો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે કેન્દ્રએ મનમોહન સિંહનું સ્મારક બનાવવાની મંજૂરી આપી દીધી છે. આ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવશે અને તેમાં સમય લાગશે. આવી સ્થિતિમાં, અંતિમ સંસ્કાર અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવી જોઈએ.

ભારતના પ્રથમ શીખ વડાપ્રધાનનું અપમાન
કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટર પર લખ્યું,આજે સવારે કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાનને પત્ર લખીને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એવા સ્થળે કરવામાં આવે જ્યાં તેમના વારસાને માન આપવા માટે સ્મારક બનાવવામાં આવે તેવી દરખાસ્ત કરી હતી.

તેમણે કહ્યું, આપણા દેશના લોકો એ સમજવામાં અસમર્થ છે કે ભારત સરકાર તેમના વૈશ્વિક કદ, ઉત્કૃષ્ટ સિદ્ધિઓના રેકોર્ડ અને દાયકાઓથી રાષ્ટ્ર પ્રત્યેની નોંધપાત્ર સેવાને અનુરૂપ તેમના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે જગ્યા કેમ શોધી શકી નથી. આ બીજું કંઈ નથી પરંતુ ભારતના પ્રથમ શીખ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું ઈરાદાપૂર્વકનું અપમાન છે.

શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે કહ્યું, ચોંકાવનારું અને અવિશ્વસનીય! તે ખૂબ જ નિંદનીય છે કે કેન્દ્ર સરકારે ડૉ. મનમોહન સિંહ જીના પરિવારની તેમના અંતિમ સંસ્કાર એવા સ્થળે કરવાની વિનંતીને ફગાવી દીધી છે જ્યાં તેમની યાદમાં ઐતિહાસિક સ્મારક બનાવવામાં આવે. તે જગ્યા રાજઘાટ હોવી જોઈએ. આ ભૂતકાળમાં અનુસરવામાં આવતી પરંપરાને અનુરૂપ હશે.

તેમણે કહ્યું કે, તે સમજની બહાર છે કે સરકાર એ મહાન નેતા પ્રત્યે આટલો અનાદર કેમ બતાવી રહી છે જેઓ શીખ સમુદાયના એકમાત્ર સભ્ય હતા જે વડાપ્રધાન બન્યા હતા. હાલમાં, અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ ખાતેના સામાન્ય સ્મશાનભૂમિમાં કરવામાં આવનાર છે. હું માની શકતો નથી કે ડૉ. મનમોહન સિંહ જીની આટલી વિશાળ વૈશ્વિક પ્રતિષ્ઠાને અવગણીને ભાજપ સરકારનો પૂર્વગ્રહ આ હદે વધી જશે.

PM મોદીએ આ નિર્ણયમાં હસ્તક્ષેપ કરવો જોઈએ
સુખબીર સિંહ બાદલે કહ્યું, 'ડૉ. મનમોહન સિંહે દેશને આંતરરાષ્ટ્રીય ઉંચાઈઓ પર પહોંચાડ્યો. કૉંગ્રેસ સાથેના અમારા રાજકીય મતભેદો ઉપરાંત, અમે હંમેશા ડૉ. મનમોહન સિંહને સર્વોચ્ચ આદરમાં રાખ્યા છે કારણ કે તેઓ રાજકારણ અને રાજકીય જોડાણોથી પર છે. તે સમગ્ર દેશના છે.

તેમણે કહ્યું, 'ડો. સાહેબે શીખ અને પંજાબના મુદ્દાઓ પર શિરોમણી અકાલી દળ સાથેના વ્યવહારમાં  ખૂબ જ સંવેદનશીલતા અને કરુણા દર્શાવી. હું PM નરેન્દ્ર મોદીજીને વિનંતી કરું છું કે તેઓ સરકારના આ નિંદનીય નિર્ણયને બદલવા માટે અંગત રીતે હસ્તક્ષેપ કરે. 

પૂર્વ પીએમના પરિવારની સરકાર સાથે વાતચીત ચાલી રહી છે

શુક્રવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ ચર્ચા કરી કે દિવંગત પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે યોગ્ય જગ્યા આપવામાં આવે. કોંગ્રેસના મહાસચિવ અવિનાશ પાંડેએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મનમોહન સિંહના પરિવારજનો અંતિમ સંસ્કાર અને સ્મારકની જગ્યા માટે સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિની એક બેઠક શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, CPP અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભાના વિપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસ નેતાઓની હાજરીમાં યોજાઈ હતી. પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી

વિડિઓઝ

Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી
Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
Credit Card: ક્રેડિટ કાર્ડ ચોરી થઈ જાય તો શું કરશો? પ્રથમ કલાકમાં કરો આ પાંચ કામ નહીં તો બનશો ફ્રોડનો શિકાર
Credit Card: ક્રેડિટ કાર્ડ ચોરી થઈ જાય તો શું કરશો? પ્રથમ કલાકમાં કરો આ પાંચ કામ નહીં તો બનશો ફ્રોડનો શિકાર
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
Embed widget