શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કેરળમાં કોરોના વાયરસનો કહેર, 31 માર્ચ સુધી થિયેટર બંધ
ભારતમાં કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપ વચ્ચે હવે કેરળમાં થિયેટરને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
![કેરળમાં કોરોના વાયરસનો કહેર, 31 માર્ચ સુધી થિયેટર બંધ Coronavirus all cinema theatre will closed till 31 march in kerala કેરળમાં કોરોના વાયરસનો કહેર, 31 માર્ચ સુધી થિયેટર બંધ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/10225638/kerala-theater.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપ વચ્ચે હવે કેરળમાં થિયેટરને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય કોચ્ચિમાં અલગ-અલગ મલયાલમ થિયેટર સંગઠનોની બેઠકમાં લેવામાં આવ્યો છે. હવે 11 માર્ચથી લઈને 31 માર્ચ સુધી રાજ્યના તમામ થિયેટર બંધ રહેશે. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને રાજ્યમાં સાતમાં ધોરણ સુધીની પરીક્ષાઓ 31 માર્ચ સુધી રદ્દ કરી છે.
મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જાહેરાત કરી કે, સાતમાં ધોરણ સુધીની પરીક્ષાઓ 31 માર્ચ સુધી રદ્દ કરવામાં આવે છે. આઠમાં, નવમાં અને ધોરણ 10ની પરીક્ષાઓ તેના સમય પર જ થશે.
ઉલ્લેખનીય છે કે કેરળમાં કોરોના વાયરસના છ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં એક ત્રણ વર્ષનો બાળક પણ સામેલ છે. બાળકને અર્નાકુલમ મેડિકલ કૉલેજના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે કેરળમાં કોરોના વાયરસના કુલ 12 કેસ થયા છે.
ભારતમાં કોરોના વાયરસની અસર દિવસે દિવસે વધી રહી છે. ભારત સરકારે કોરોનાને ફેલાતો અટકાવવા માટે યોગ્ય પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે. છતાં ત્રણ નવા કેસો સામે આવ્યા છે. ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 46 થઇ ગઇ છે. હાલમાં જ પુણેમાં દુબઇથી પરત ફરેલા બે લોકોનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)