શોધખોળ કરો
Advertisement
કોરોના સંકટ: દિલ્હીમાં તમામ સ્કૂલો 31 જુલાઈ સુધી રહેશે બંધ, ઓનલાઈન શિક્ષણ અપાશે
કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલય અનુસાર, દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 73 હજારને પાર પહોંચી ગઈ છે. હાલમાં 26586 એક્ટિવ કે છે.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી કોરોના વાયરસથી સર્વાધિક પ્રભાવિત રાજ્યોમાંથી એક છે. દિલ્હીમાં પ્રતિદિન હજારથી વધુ કેસ નોંધાય છે. હાલની સ્થિતિ જતા દિલ્હીમાં 31 જુલાઈ સુધી સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિલ્હીમાં શાળાઓ ફરી ખોલવી કે નહીં તે મામલે ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. જેમાં લોકાડાઉન દરમિયાન વિવિધ માધ્યમોથી શિક્ષા ચાલુ રાખવા સંબંધિત અનુભવો પર ચર્ચા થઈ હતી. તે દરમિયાન 31 જુલાઈ સુધી સ્કૂલો બંધ રાખવાના નિર્ણય પર પણ સહમતિ બની હતી.
કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલય અનુસાર, દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 73 હજારને પાર પહોંચી ગઈ છે. હાલમાં 26586 એક્ટિવ કે છે, જ્યારે 44765 દર્દીને ડિસ્ચાર્જ અને 2429 ના મો થયા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion