શોધખોળ કરો

Coronavirus Case India: દેશના કુલ એક્ટિવ કેસના 73.64 ટકા ત્રણ રાજ્યોમાં, આ 15 જિલ્લામાં સૌથી વધુ દર્દીઓ

કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ 10 રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. પરંતુ તેમાં ત્રણ એવા રાજ્યો છે જ્યાં પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.

ભારતમાં કોરોના વાયરસ(Coronavirus) સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે ફેબ્રુઆરી મહીના બાદ કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ 10 રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. પરંતુ તેમાં ત્રણ એવા રાજ્યો છે જ્યાં પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. આ ત્રણ રાજ્યોમાં કુલ એક્ટિવ કેસના 73.64 ટકા કેસ છે. મહારાષ્ટ્ર (Maharashtra), પંજાબ(Panjab) અને કેરલ(Kerala)નો આ ત્રણ રાજ્યોમાં સમાવેશ થાય છે. 

કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ભારત(India)માં કુલ એક્ટિવ કેસ 4,21,066ના 73.64 ટકા માત્ર ત્રણ રાજ્ય  મહારાષ્ટ્ર, પંજાબ અને કેરલમાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 62.71 ટકા, કેરલમાં 5.86 ટકા અને પંજાબમાં 5.08 ટકા એક્ટિવ કેસ છે. આ રાજ્યોમાં કેટલાક એવા જિલ્લાઓ છે જ્યાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસ સૌથી વધારે છે.

કોરોનાની દેશની વર્તમાન સ્થિતિ

 

 

    • કુલ કેસ –એક કરોડ, 18 લાખ, 46 હજાર, 652 કેસ

 

    • કુલ ડિસ્ચાર્જ – એક કરોડ 12 લાખ, 64 હજાર, 637

 

    • કુલ એક્ટિવ કેસ 4 લાખ 21 હજાર, 66 કેસ

 

    • કુલ મૃત્યુ –એક લાખ 60 હજાર, 949

 

    • કુલ વેક્સિનેશન – 5 કરોડ 55 લાખ, 4 હજાર 440

 

મહારાષ્ટ્ર(Maharashtra)ના પાંચ જિલ્લાઓમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે અને સતત નવા કેસ સામે આવી રહ્યા છે. આ જિલ્લાઓમાં પૂના(Pune), નાગપુર(Nagpur),મુંબઈ(Mumbai), થાણે(Thane) અને નાશિક(nashik) છે. પૂનેમાં 50,240, નાગપુરમાં 35,795, મુંબઈમાં 32,529, થાણેમાં 25,130 અને નાશિકમાં 18,176 એક્ટિવ કેસ છે. 

જ્યારે કેરલ(Kerala)ના અર્નાકુલમ, કન્નૂર, પથનામથિતતા, પલક્કડ, કાસરગોડમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. અર્નાકુલમાં 2,825, કન્નૂરમાં 2,521, પથનામથિતતામાં 2,213, પલક્કડમાં 2.088 અને કાસરગોડમાં 2,064 એક્ટિવ કેસ છે.

પંજાબ(Punjab)માં એસએએસ નગર, જાલંધર, લુધિયાણા, પટિયાલા અને અમૃતસર(Amrutsar)માં સૌથી વધારે એક્ટિવ કેસ છે. એસએએસ નગરમાં 2,829, જાલંધરમાં 2,649, લુધિયાણામાં 2,452, પટિયાલામાં 2,282 અને અમૃતસરમાં 2,131 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 35,952 નવા કેસ સામે આવ્યાં છે. 20,444 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 111 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યામાં કુલ કેસની સંખ્યા 26 લાખ 833 સુધી પહોંચી ગઇ છે. જ્યારે 22 લાખ 83 હજાર લોકો ડિસ્ચાર્જ થાય છે. જયારે અત્યારસુધીમાં કુલ 53 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત, કેરળમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget