શોધખોળ કરો

Centre on Coronavirus: દરેક ઉંમરના લોકોને રસી આપવાની માંગ પર સ્વાસ્થ્ય મંત્રાલયે કહી આ વાત

કોરોના સંક્રમણના નવા કેસ ફરી એક વખત ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તેની વચ્ચે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે મહામારીની બીજી લહેરને રોકવા માટે લોકોની ભાગીદારી મહત્વપૂર્ણ છે, આગામી ચાર અઠવાડીયા આપણા માટે ખૂબ જ ગંભીર છે. 

નવી દિલ્હી: કોરોના સંક્રમણના નવા કેસ ફરી એક વખત ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તેની વચ્ચે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે મહામારીની બીજી લહેરને રોકવા માટે લોકોની ભાગીદારી મહત્વપૂર્ણ છે, આગામી ચાર અઠવાડીયા આપણા માટે ખૂબ જ ગંભીર છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાં કોવિડ-19 મહામારીની તીવ્રતા વધી છે. ગત વખતે કરતા આ વખતે મહામારી ઝડપથી ફેલાઈ રહી છે. 

કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ ઉંમરના લોકોને કોરોના વેક્સીની આપવાની માંગ પર કહ્યું કે જેમને જરુર છે તેમને વેક્સીન આપવામાં આવી રહી છે. દરેક દેશમાં વધારે ખતરો હોય તેમને વેક્સીન લગાવવામાં આવી રહી છે. 

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું, વિશ્વમાં પણ ખૂબ જ વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. જ્યારે પણ રસીકરણ થાય છે ત્યારે તેનો ઉદેશ્ય મોતથી લોકોને બચાવવાનો છે. 

તેમણે કહ્યું યૂકેમાં આજે પણ રસીકરણ બધા માટે નથી ખોલવામાં આવ્યું. અમેરિકામાં પણ ઉંમરના હિસાબે રસીકરણ કરવામાં આવે છે. ફ્રાન્સમાં પણ કહેવામાં આવ્યું છે કે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો જેમને રિસ્ક છે તેને રસી આપવામાં આવશે. સ્વીડનમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આયોજન વગર રસી ન આપી શકાય. 

સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે કાલે દેશમાં વેક્સીનને 43 લાખ ડોઝ લગાવવામાં આવ્યા જેના કારણે આપણે આજે સવાર સુધી 8 કરોડ 31 લાખ ડોઝ લગાવ્યા છે. 


ઉલ્લેખનીય છે કે સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોનાની રસીને લઈ પત્ર લખ્યો હતો. સીએમ કેજરીવાલે તમામ ઉંમરના લોકોને કોરોના રસી આપવાની માંગ કરી હતી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે 25 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના રસી આપવામાં આવે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે ટ્વિટ કરી આ પ્રકારની જ માંગ કરી હતી. હાલના સમયમાં દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી આપવામાં આવી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આજે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 96,982 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1,26,86,049 થઈ ગઈ છે. 

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget