શોધખોળ કરો

કોરોનાની ત્રીજી લહેર આવશે, તેને ટાળી શકાય નહીં: કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની મોટી ચેતવણી

વિજય રાઘવને કહ્યું કે, વાયરસના સંક્રમણથી ઘણા કેસ નોંધાય રહ્યાં છે. તેથી હાલમાં એવું કહી શકાય નહીં કે, કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે. પરંતુ  આવશે જરૂર, તેથી આપણે આ નવી લહેર માટે તૈયારી કરી દેવી જોઈએ. કોરોનાની ત્રીજી લહેરને ટાળી શકાય નહીં.  

નવી દિલ્હી:  કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવી દીધો છે.  કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને રોજ સાડા ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યાં છે જેના કારણે દેશમાં સ્થિતિ ભયાવહ બની છે. કોરોનાની બીજી લહેર વધુ  ઘાતક સાબિત થઈ રહી છે. જેમાં રોજ ત્ર હજારથી વધુ લોકોના મૃત્યુ કોરોનાથી થઈ રહ્યાં છે. તેની વચ્ચે કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને ત્રીજી લહેરની પણ ચેતવણી આપતા કહ્યું કે, તે જરુર આવશે. 

કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી 

આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં વિજય રાઘવને કહ્યું કે, વાયરસના સંક્રમણથી  ઘણા કેસ નોંધાઈ રહ્યાં છે. તેથી હાલમાં એવું કહી શકાય નહીં કે, કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે. પરંતુ  આવશે જરૂર, તેથી આપણે આ નવી લહેર માટે તૈયારી કરી દેવી જોઈએ. કોરોનાની ત્રીજી લહેરને ટાળી શકાય નહીં.  

તેમણે ક્યું કે, વેક્સિનને અપડેટ કરવાની જરૂર પડશે જેથી આ નવા કોરોના સ્ટ્રેન સામે લડી શકાય. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આપણે નવી લહેરની તૈયારી કરી દેવી જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે, વેક્સિન અપગ્રેડ કરવાની સાથે સર્વેલન્સની પણ જરૂર પડશે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,82,315 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3780 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,38,439 લોકો ઠીક પણ થયા છે. 

  • કુલ કેસ-  બે કરોડ 6 લાખ 65 હજાર 148
  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 69 લાખ 51 હજાર 731
  • કુલ એક્ટિવ કેસ - 34 લાખ 87 હજાર 229
  • કુલ મોત - 2 લાખ 26 હજાર 188

16 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 04 લાખ 94 હજાર 188 ડોઝ આપવામાં આવ્યા છે.

છેલ્લા ચાર દિવસમાં નોંધાયેલા કેસ અને મોત


તારીખ


કેસ


મોત


4 મે


3,57,299


3449


3 મે


3,68,147


3417


2 મે


3,92,498


3689


1 મે


4,01,993


3523

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝરWeather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ
Health Tips:  આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
Health Tips: આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો
New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો
Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત
Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત
હજુ પણ તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો,  મોદી સરકારે આપી મહત્વની જાણકારી
હજુ પણ તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો, મોદી સરકારે આપી મહત્વની જાણકારી
Embed widget