શોધખોળ કરો

પાકિસ્તાન માટે તૈયાર થઈ રહ્યો છે ફાઈનલ પ્લાન! PM મોદી અને રક્ષા મંત્રી વચ્ચે 40 મિનિટ સુધી બેઠક, NSA ડોભાલ પણ હાજર  

પહેલગામ હુમલા બાદ કાશ્મીર બોર્ડર પર પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક ગોળીબાર વચ્ચે PM નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક થઈ છે.

નવી દિલ્હી:  પહેલગામ હુમલા બાદ કાશ્મીર બોર્ડર પર પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક ગોળીબાર વચ્ચે PM નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક થઈ છે. લગભગ 40 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ પણ હાજર હતા. મોટી વાત એ છે કે પીએમ મોદીને મળવા પહેલા રક્ષા મંત્રી છેલ્લા બે દિવસમાં સીડીએસ અને ત્રણેય સેનાના પ્રમુખોને મળ્યા છે. માનવામાં આવે છે કે રક્ષા મંત્રીએ વડાપ્રધાનને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ વિશે માહિતગાર કર્યા છે.

આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે ભારત 22 એપ્રિલે પહેલગામ આતંકી હુમલામાં સામેલ લોકોને સજા આપવાના વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ભયાનક હુમલાની "સરહદ પારની લિંક્સ" ટાંકીને, ભારતે કહ્યું છે કે હુમલામાં સામેલ લોકોને સખત સજા આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આ પહેલા રવિવારે રાજનાથ સિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી અને પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં સૈન્ય તૈયારીઓ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.


22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અલગ-અલગ રાજ્યોના 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા.આ સંદર્ભમાં દિલ્હીમાં રક્ષા મંત્રીના નિવાસસ્થાને સુરક્ષાને લઈને એક બેઠક યોજાઈ હતી જે લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી.

જમ્મુ-કાશ્મીરમાં શું સ્થિતિ છે 

જમ્મુ અને કાશ્મીરમાં છુપાયેલા આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દરેક  વિસ્તારમાં સર્ચ કરી રહ્યા છે અને આ ક્રમમાં અત્યાર સુધીમાં 10 આતંકવાદીઓના ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ પાકિસ્તાન એલઓસી પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જો કે ભારતીય સેના પણ આ પ્રકારના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહી છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, 'આતંકવાદીઓ અને તેમના આકાઓ ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી બરબાદ થાય અને તેથી તેમણે આટલું મોટું ષડયંત્ર કર્યું. દેશની એકતા, 140 કરોડ ભારતીયોની એકતા, આતંકવાદ સામેના આ યુદ્ધમાં આપણી સૌથી મોટી તાકાત છે. આ એકતા આતંકવાદ સામેની અમારી નિર્ણાયક લડાઈનો આધાર છે. દેશ સામેના આ પડકારનો સામનો કરવા માટે આપણે આપણો સંકલ્પ મજબૂત કરવાનો છે.

પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, 'મિત્રો, જે ગુસ્સો ભારતમાં છે તે આખી દુનિયામાં છે. આ આતંકી હુમલા બાદ દુનિયાભરમાંથી સતત શોકની લાગણીઓ આવી રહી છે. વૈશ્વિક નેતાઓએ પણ મને ફોન કર્યો છે, પત્રો લખ્યા છે અને સંદેશા મોકલ્યા છે. આ ઘૃણાસ્પદ આતંકવાદી હુમલાની દરેકે સખત નિંદા કરી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

પીએમએ એમ પણ કહ્યું, 'આતંક સામેની અમારી લડાઈમાં આખું વિશ્વ 140 કરોડ ભારતીયોની સાથે છે. હું ફરી એકવાર પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે, ન્યાય ચોક્કસ મળશે. આ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને જડબાતોડ જવાબ આપવામાં આવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Embed widget