શોધખોળ કરો

પાકિસ્તાન માટે તૈયાર થઈ રહ્યો છે ફાઈનલ પ્લાન! PM મોદી અને રક્ષા મંત્રી વચ્ચે 40 મિનિટ સુધી બેઠક, NSA ડોભાલ પણ હાજર  

પહેલગામ હુમલા બાદ કાશ્મીર બોર્ડર પર પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક ગોળીબાર વચ્ચે PM નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક થઈ છે.

નવી દિલ્હી:  પહેલગામ હુમલા બાદ કાશ્મીર બોર્ડર પર પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક ગોળીબાર વચ્ચે PM નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક થઈ છે. લગભગ 40 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ પણ હાજર હતા. મોટી વાત એ છે કે પીએમ મોદીને મળવા પહેલા રક્ષા મંત્રી છેલ્લા બે દિવસમાં સીડીએસ અને ત્રણેય સેનાના પ્રમુખોને મળ્યા છે. માનવામાં આવે છે કે રક્ષા મંત્રીએ વડાપ્રધાનને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ વિશે માહિતગાર કર્યા છે.

આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે ભારત 22 એપ્રિલે પહેલગામ આતંકી હુમલામાં સામેલ લોકોને સજા આપવાના વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ભયાનક હુમલાની "સરહદ પારની લિંક્સ" ટાંકીને, ભારતે કહ્યું છે કે હુમલામાં સામેલ લોકોને સખત સજા આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આ પહેલા રવિવારે રાજનાથ સિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી અને પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં સૈન્ય તૈયારીઓ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.


22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અલગ-અલગ રાજ્યોના 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા.આ સંદર્ભમાં દિલ્હીમાં રક્ષા મંત્રીના નિવાસસ્થાને સુરક્ષાને લઈને એક બેઠક યોજાઈ હતી જે લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી.

જમ્મુ-કાશ્મીરમાં શું સ્થિતિ છે 

જમ્મુ અને કાશ્મીરમાં છુપાયેલા આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દરેક  વિસ્તારમાં સર્ચ કરી રહ્યા છે અને આ ક્રમમાં અત્યાર સુધીમાં 10 આતંકવાદીઓના ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ પાકિસ્તાન એલઓસી પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જો કે ભારતીય સેના પણ આ પ્રકારના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહી છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, 'આતંકવાદીઓ અને તેમના આકાઓ ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી બરબાદ થાય અને તેથી તેમણે આટલું મોટું ષડયંત્ર કર્યું. દેશની એકતા, 140 કરોડ ભારતીયોની એકતા, આતંકવાદ સામેના આ યુદ્ધમાં આપણી સૌથી મોટી તાકાત છે. આ એકતા આતંકવાદ સામેની અમારી નિર્ણાયક લડાઈનો આધાર છે. દેશ સામેના આ પડકારનો સામનો કરવા માટે આપણે આપણો સંકલ્પ મજબૂત કરવાનો છે.

પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, 'મિત્રો, જે ગુસ્સો ભારતમાં છે તે આખી દુનિયામાં છે. આ આતંકી હુમલા બાદ દુનિયાભરમાંથી સતત શોકની લાગણીઓ આવી રહી છે. વૈશ્વિક નેતાઓએ પણ મને ફોન કર્યો છે, પત્રો લખ્યા છે અને સંદેશા મોકલ્યા છે. આ ઘૃણાસ્પદ આતંકવાદી હુમલાની દરેકે સખત નિંદા કરી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

પીએમએ એમ પણ કહ્યું, 'આતંક સામેની અમારી લડાઈમાં આખું વિશ્વ 140 કરોડ ભારતીયોની સાથે છે. હું ફરી એકવાર પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે, ન્યાય ચોક્કસ મળશે. આ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને જડબાતોડ જવાબ આપવામાં આવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 

વિડિઓઝ

Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
IND vs NZ: કેવી હશે પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, કોને બેસવું પડશે બહાર?
IND vs NZ: કેવી હશે પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, કોને બેસવું પડશે બહાર?
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Iran Anti-Khamenei Protests: ઈરાનમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે ખામેનીનું રાષ્ટ્રને સંબોધન, અમેરિકાને કહ્યું,
Iran Anti-Khamenei Protests: ઈરાનમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે ખામેનીનું રાષ્ટ્રને સંબોધન, અમેરિકાને કહ્યું, "ઝૂકીશું નહીં"
Embed widget