શોધખોળ કરો

કેજરીવાલના આ પગલાથી દિલ્હીથી પંજાબ સુધી ખળભળાટ, ભાજપના આ મોટા નેતાને તેમના ઘરે જઈને મળ્યા

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે અમૃતસરમાં બીજેપી નેતા લક્ષ્મી કાંતા ચાવલા સાથે મુલાકાત કરી, રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા.

Arvind Kejriwal BJP meeting: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબની મુલાકાત દરમિયાન એવું પગલું ભર્યું છે, જેના કારણે દિલ્હીથી લઈને પંજાબ સુધીના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. અરવિંદ કેજરીવાલ શનિવારે (15 માર્ચ) અમૃતસર પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા લક્ષ્મી કાંતા ચાવલાના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી હતી.

આ મુલાકાતને લઈને રાજકીય નિરીક્ષકો અને પક્ષના કાર્યકરોમાં અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બીજેપી નેતા લક્ષ્મીકાંત ચાવલા સાથેની આ મુલાકાત અંગે જ્યારે ભાજપના સાંસદ રામવીર સિંહ બિધુરીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે કેજરીવાલ કોને મળ્યા અને કોને નહીં, આ તેમનો અંગત મામલો છે.

બીજી તરફ, અરવિંદ કેજરીવાલ અને બીજેપી નેતા લક્ષ્મી કાંતા ચાવલાની આ મુલાકાત પર દિલ્હીના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ ટીપ્પણી કરતાં કહ્યું કે અરવિંદ કેજરીવાલ અલગ-અલગ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ નિષ્ફળ જાય છે અથવા નિરાશ થાય છે, ત્યારે તે નવો રસ્તો શોધે છે. સિરસાએ એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલ ભલે લક્ષ્મી કાંતા ચાવલાના ઘરે જાય, પરંતુ તેઓ ક્યારેય ભાજપમાં જોડાશે નહીં અને ભાજપ તેમને ક્યારેય સ્વીકારશે પણ નહીં.

Arvind Kejriwal Visits BJP Lakshmi Kanta Chawla in Punjab  अरविंद केजरीवाल के कदम से दिल्ली से पंजाब तक सनसनी, इस BJP नेता के घर जाकर की मुलाकात

મંત્રી મનજિંદર સિંહ સિરસાએ વિપક્ષી પાર્ટી AAP દ્વારા ભાજપની યોજનાઓ પર સતત સવાલો ઉઠાવવા અંગે પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી હતાશ છે અને દિલ્હીની સત્તા ગુમાવ્યા બાદ અરવિંદ કેજરીવાલ પંજાબમાં પોતાની ખુરશી શોધી રહ્યા છે અને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની પત્ની સુનીતા કેજરીવાલ તાજેતરમાં જ 10 દિવસની વિપશ્યના પૂર્ણ કરીને પરત ફર્યા છે. વિપશ્યના બાદ તેઓ સીધા અમૃતસર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ડૉ. ઈન્દરબીર સિંહ નિજ્જર સાથે પણ મુલાકાત કરી હતી.

હવે અરવિંદ કેજરીવાલ અમૃતસરમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ધારાસભ્યોની બેઠકમાં પણ ભાગ લેશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માન 18 માર્ચે લુધિયાણામાં એક મોટી રેલીને સંબોધિત કરવાના છે. અરવિંદ કેજરીવાલની ભાજપના નેતા સાથેની આ મુલાકાત આગામી દિવસોમાં રાજકીય સમીકરણો પર શું અસર કરે છે તે જોવાનું રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
ગુગલમાં ફક્ત ટાઈપ કરો
ગુગલમાં ફક્ત ટાઈપ કરો "do a barrel roll" પછી જુઓ તમારી સ્ક્રીન પર જાદુ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Embed widget