શોધખોળ કરો

કેજરીવાલના આ પગલાથી દિલ્હીથી પંજાબ સુધી ખળભળાટ, ભાજપના આ મોટા નેતાને તેમના ઘરે જઈને મળ્યા

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે અમૃતસરમાં બીજેપી નેતા લક્ષ્મી કાંતા ચાવલા સાથે મુલાકાત કરી, રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા.

Arvind Kejriwal BJP meeting: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબની મુલાકાત દરમિયાન એવું પગલું ભર્યું છે, જેના કારણે દિલ્હીથી લઈને પંજાબ સુધીના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. અરવિંદ કેજરીવાલ શનિવારે (15 માર્ચ) અમૃતસર પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા લક્ષ્મી કાંતા ચાવલાના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી હતી.

આ મુલાકાતને લઈને રાજકીય નિરીક્ષકો અને પક્ષના કાર્યકરોમાં અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બીજેપી નેતા લક્ષ્મીકાંત ચાવલા સાથેની આ મુલાકાત અંગે જ્યારે ભાજપના સાંસદ રામવીર સિંહ બિધુરીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે કેજરીવાલ કોને મળ્યા અને કોને નહીં, આ તેમનો અંગત મામલો છે.

બીજી તરફ, અરવિંદ કેજરીવાલ અને બીજેપી નેતા લક્ષ્મી કાંતા ચાવલાની આ મુલાકાત પર દિલ્હીના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ ટીપ્પણી કરતાં કહ્યું કે અરવિંદ કેજરીવાલ અલગ-અલગ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ નિષ્ફળ જાય છે અથવા નિરાશ થાય છે, ત્યારે તે નવો રસ્તો શોધે છે. સિરસાએ એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલ ભલે લક્ષ્મી કાંતા ચાવલાના ઘરે જાય, પરંતુ તેઓ ક્યારેય ભાજપમાં જોડાશે નહીં અને ભાજપ તેમને ક્યારેય સ્વીકારશે પણ નહીં.

Arvind Kejriwal Visits BJP Lakshmi Kanta Chawla in Punjab  अरविंद केजरीवाल के कदम से दिल्ली से पंजाब तक सनसनी, इस BJP नेता के घर जाकर की मुलाकात

મંત્રી મનજિંદર સિંહ સિરસાએ વિપક્ષી પાર્ટી AAP દ્વારા ભાજપની યોજનાઓ પર સતત સવાલો ઉઠાવવા અંગે પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી હતાશ છે અને દિલ્હીની સત્તા ગુમાવ્યા બાદ અરવિંદ કેજરીવાલ પંજાબમાં પોતાની ખુરશી શોધી રહ્યા છે અને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની પત્ની સુનીતા કેજરીવાલ તાજેતરમાં જ 10 દિવસની વિપશ્યના પૂર્ણ કરીને પરત ફર્યા છે. વિપશ્યના બાદ તેઓ સીધા અમૃતસર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ડૉ. ઈન્દરબીર સિંહ નિજ્જર સાથે પણ મુલાકાત કરી હતી.

હવે અરવિંદ કેજરીવાલ અમૃતસરમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ધારાસભ્યોની બેઠકમાં પણ ભાગ લેશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માન 18 માર્ચે લુધિયાણામાં એક મોટી રેલીને સંબોધિત કરવાના છે. અરવિંદ કેજરીવાલની ભાજપના નેતા સાથેની આ મુલાકાત આગામી દિવસોમાં રાજકીય સમીકરણો પર શું અસર કરે છે તે જોવાનું રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ
અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વટાળ પ્રવૃતિમાં શિક્ષકો?Hun To Bolish : હું તો બોલીશ : સિંઘમે કરી સર્વિસGujarat Police : ગુંડાઓની હવે ખરી નથી! | ગુજરાત પોલીસ વડાએ શું કર્યો આદેશ?Surat Crime : કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ, નરાધમ પર ફિટકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ
અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
પાકિસ્તાની ખેલાડીઓની ફજેતી! ચેમ્પિયન્સ ટ્રોફીમાં તો હાર્યા ને હવે અહીંયે કોઈએ ભાવ ના આપ્યો!
પાકિસ્તાની ખેલાડીઓની ફજેતી! ચેમ્પિયન્સ ટ્રોફીમાં તો હાર્યા ને હવે અહીંયે કોઈએ ભાવ ના આપ્યો!
ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી કરશે ઓપનિંગ? મજબૂત છે મિડલ ઓર્ડર; જાણો IPL 2025 માટે RCB ની પ્લેઇંગ ઈલેવન
ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી કરશે ઓપનિંગ? મજબૂત છે મિડલ ઓર્ડર; જાણો IPL 2025 માટે RCB ની પ્લેઇંગ ઈલેવન
પાકિસ્તાન સહિત આ 43 દેશોનું આવી બન્યું! ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ડ્રાફ્ટ તૈયાર ગયો છે
પાકિસ્તાન સહિત આ 43 દેશોનું આવી બન્યું! ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ડ્રાફ્ટ તૈયાર ગયો છે
Embed widget