શોધખોળ કરો

ભાડુઆતોની તરફેણમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, મકાન માલિકોને લાગશે મોટો ઝાટકો

Delhi High Court tenant ruling: દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે કલરકામ કે સામાન્ય તૂટ-ફૂટના નામે ડિપોઝિટમાંથી કપાત ન થઈ શકે, નુકસાન ગંભીર હોય તો જ વળતર વસૂલી શકાશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દિલ્હી હાઈકોર્ટે ભાડૂઆતની સિક્યોરિટી ડિપોઝિટ અંગે મહત્વનો ચુકાદો આપ્યો.
  • સામાન્ય તૂટફૂટ, કલરકામ માટે મકાન માલિક કપાત નહીં કરી શકે.
  • માલિકે ગંભીર નુકસાન અને ભાડૂઆતની બેદરકારી સાબિત કરવી પડશે.
  • 'સંગીતા ગુપ્તા' કેસમાં કોર્ટે પુરાવા જોઈ નુકસાન મંજૂર કર્યું.

Delhi High Court tenant ruling: દિલ્હી હાઈકોર્ટે ભાડુઆતોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા મકાન માલિકોની મનમાની પર મોટી રોક લગાવી છે. અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, મકાન ખાલી કરતી વખતે ભાડુઆત દ્વારા જમા કરાવવામાં આવેલી 'સિક્યોરિટી ડિપોઝિટ' (Security Deposit) માંથી દીવાલોના કલરકામ, વ્હાઈટવોશ કે સામાન્ય તૂટ-ફૂટના નામે મકાન માલિક બેફામ પૈસા કાપી શકશે નહીં. કોર્ટે નોંધ્યું છે કે, ડિપોઝિટમાંથી કપાત ત્યારે જ માન્ય ગણાશે જ્યારે મકાનને થયેલું નુકસાન ગંભીર પ્રકૃતિનું હોય અથવા તે જાણીજોઈને કરવામાં આવ્યું હોય.

પુરાવા વિના મનસ્વી રીતે પૈસા નહીં કપાય

કોર્ટે કાયદાકીય જોગવાઈઓને સ્પષ્ટ કરતા જણાવ્યું કે, ભાડુઆત પાસેથી માત્ર એવા જ નુકસાનનું વળતર વસૂલ કરી શકાય છે, જે મકાનના 'સામાન્ય વપરાશ' (Normal wear and tear) કરતાં વધુ હોય. મકાન માલિકે કોર્ટમાં એ સાબિત કરવું પડશે કે નુકસાન ખરેખર ભાડુઆતની બેદરકારીના કારણે જ થયું છે. આ ઉપરાંત, રિપેરિંગ પાછળ થયેલો ખર્ચ વાજબી અને જરૂરી હતો તે પણ રસીદો અને બિલો દ્વારા દર્શાવવું પડશે. કોઈપણ પ્રકારના નક્કર પુરાવા વિના સિક્યોરિટી ડિપોઝિટમાંથી મનસ્વી રીતે કપાત કરી શકાશે નહીં.

શું હતો સમગ્ર કેસ?

આ ઐતિહાસિક ચુકાદો તાજેતરમાં 'મેસર્સ રિટસ હેરિટેજ અને અન્ય વિરુદ્ધ સંગીતા ગુપ્તા' ના કેસમાં આપવામાં આવ્યો છે. આ કેસમાં મકાન માલિકે કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે ભાડુઆત મકાન ખાલી કરીને ગયા બાદ, મકાનને થયેલા ગંભીર નુકસાનના રિપેરિંગ પાછળ 7 લાખ રૂપિયાનો જંગી ખર્ચ કરવો પડ્યો હતો. માલિકના દાવા મુજબ, આ રકમમાંથી 4.5 લાખ રૂપિયા માત્ર ભાડે આપવામાં આવેલા બીજા અને ત્રીજા માળના રિનોવેશન માટે વપરાયા હતા. પોતાના દાવાને સમર્થન આપવા માટે માલિકે બિલ, ઇન્વોઇસ અને મકાન ખાલી થયા પછીના ફોટોગ્રાફ્સ અદાલતમાં રજૂ કર્યા હતા.

આ પણ વાંચોઃ Budget 2025: બજેટમાં ભાડુઆતોને સરકારે આપી મોટી રાહત, જાણો ભાડાની આવક પર કેટલો થશે ફાયદો

કોર્ટનું અવલોકન અને અંતિમ નિર્ણય

દિલ્હી હાઈકોર્ટે રજૂ કરવામાં આવેલા તમામ પુરાવાઓ અને ફોટોગ્રાફ્સની બારીકાઈથી તપાસ કરી હતી. તપાસ દરમિયાન કોર્ટે નોંધ્યું કે મકાનમાંથી વીજળીના કેટલાક ફિટિંગ્સ (Electrical fixtures) હટાવી લેવામાં આવ્યા હતા અને મિલકતને એવું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું જેને સામાન્ય વપરાશનો ભાગ માની શકાય નહીં.

આ આધારે કોર્ટે સ્વીકાર્યું કે જો ભાડુઆતની બેદરકારીથી મકાનને આંતરિક કે બાહ્ય રીતે સામાન્ય કરતાં વધુ નુકસાન થાય, તો માલિક તેની પાસેથી વળતર વસૂલવા હકદાર છે.

ચુકાદાનો મુખ્ય સાર: આ નિર્ણયથી એ વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે કે ઘર ખાલી કરાવતી વખતે મકાન માલિકો માત્ર પેઇન્ટિંગ કે સામાન્ય જાળવણીના બહાને ભાડુઆતની ડિપોઝિટ જપ્ત કરી શકશે નહીં. સમગ્ર નિર્ણય એ બાબત પર નિર્ભર રહેશે કે નુકસાન માત્ર સામાન્ય તૂટ-ફૂટ છે કે પછી ખરેખર ભાડુઆતની ગંભીર બેદરકારીના કારણે થયું છે.

આ પણ વાંચોઃ મિલકત ભાડે આપવાના નિયમો શું છે, શું ભાડુઆત 12 વર્ષમાં માલિક બની શકે છે?

Frequently Asked Questions

દિલ્હી હાઈકોર્ટના નવા ચુકાદા મુજબ, મકાન ખાલી કરતી વખતે સિક્યોરિટી ડિપોઝિટમાંથી કયા ખર્ચાઓ કાપી શકાશે નહીં?

દિલ્હી હાઈકોર્ટના ચુકાદા મુજબ, મકાન માલિક દીવાલોના કલરકામ, વ્હાઈટવોશ કે સામાન્ય તૂટ-ફૂટના નામે સિક્યોરિટી ડિપોઝિટમાંથી બેફામ પૈસા કાપી શકશે નહીં. કપાત ત્યારે જ માન્ય ગણાશે જ્યારે નુકસાન ગંભીર પ્રકૃતિનું હોય અથવા જાણીજોઈને કરવામાં આવ્યું હોય.

સિક્યોરિટી ડિપોઝિટમાંથી કપાત કરવા માટે મકાન માલિકે કઈ બાબતો સાબિત કરવી પડશે?

મકાન માલિકે સાબિત કરવું પડશે કે નુકસાન ભાડુઆતની બેદરકારીને કારણે થયું છે અને તે 'સામાન્ય વપરાશ' કરતાં વધુ છે. ઉપરાંત, રિપેરિંગ ખર્ચ વાજબી અને જરૂરી હતો તે રસીદો અને બિલો દ્વારા દર્શાવવું પડશે.

મકાનને કયા પ્રકારનું નુકસાન થાય તો મકાન માલિક ભાડુઆત પાસેથી વળતર વસૂલ કરી શકે છે?

જો ભાડુઆતની બેદરકારીથી મકાનને આંતરિક કે બાહ્ય રીતે સામાન્ય કરતાં વધુ ગંભીર નુકસાન થાય, જેમ કે વીજળીના ફિટિંગ્સ દૂર કરવા, તો મકાન માલિક વળતર વસૂલવા હકદાર છે.

Advertisement

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget