શોધખોળ કરો

Delhi News: ચૂંટણી પંચે AAPને ફટકારી શો-કોઝ નોટિસ, PM મોદી વિરુદ્ધ કરી હતી અપમાનજનક ટિપ્પણી

EC show cause notice to AAP: આ નોટિસ સોશિયલ મીડિયા પર પીએમ મોદી વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી માટે જાહેર કરવામાં આવી છે.

Delhi News: ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને કારણ બતાવો નોટિસ ફટકારી છે. આ નોટિસ સોશિયલ મીડિયા પર પીએમ મોદી વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી માટે જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે પાર્ટીને 16 નવેમ્બર સુધીમાં આદર્શ આચાર સંહિતા ભંગના આરોપનો જવાબ આપવા કહ્યું છે. આ નોટિસ આમ આદમી પાર્ટીની નેશનલ કન્વિનરને આપવામાં આવી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ AAPના રાષ્ટ્રીય કન્વીનર છે. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે.

ચૂંટણી પંચે તેની કારણ બતાવો નોટિસમાં કહ્યું છે કે જો નિર્ધારિત સમયની અંદર કોઈ જવાબ નહીં મળે તો માની લેવામાં આવશે કે આ મામલે તમારી પાસે કહેવા માટે કંઈ નથી. ચૂંટણી પંચ આ મામલે યોગ્ય કાર્યવાહી કે નિર્ણય લેશે. 

ભાજપે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો

10 નવેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને અરજી કરી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અસ્વીકાર્ય અને અનૈતિક વિડિયો ક્લિપ્સ પોસ્ટ કરવા બદલ AAP વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. ગયા બુધવારે આમ આદમી પાર્ટીએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને વડાપ્રધાન મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. બીજા દિવસે પાર્ટીએ અદાણી અને મોદીની તસવીર શેર કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન લોકો માટે નહીં પરંતુ ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે.

આ પછી ભાજપના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, રાજ્યસભા સાંસદ અનિલ બલુની અને બીજેપી નેતા ઓમ પાઠક સામેલ હતા. હરદીપ સિંહ પુરીએ ચૂંટણી પંચ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યા બાદ કહ્યું હતું કે, તેના સત્તાવાર હેન્ડલ પરથી AAPએ એક વીડિયો અને બે ટ્વીટ્સ પોસ્ટ કર્યા છે જેમાં  તેમણે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારના વડા અંગે અસ્વીકાર્ય, નિંદનીય અને અનૈતિક બાબતો કહેવામાં આવી છે.

બીજી તરફ ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને કારણ બતાવો નોટિસ મોકલી છે. આ મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદન આપવા સાથે જોડાયેલો છે. પ્રિયંકાએ હાલમાં જ એક રેલી દરમિયાન નિવેદન આપ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 80000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 80000 ને પાર
Embed widget