શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

કારગિલ વિજય દિવસ સમારોહમાં PM મોદીએ કહ્યું, યુદ્ધ સરકારો નહીં સમગ્ર દેશ લડે છે

મોદીએ કહ્યું, હું તે યુદ્ધ દરમિયાન પણ કારગિલ ગયો હતો. મોત સામે હતું છતાં આપણા દરેક જવાનો હાથમાં તિરંગો લઈને આગળ વધતા હતા. સરકાર આવતી-જતી રહે છે પરંતુ સૈનિક અજર-અમર રહે છે.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઈંદિરા ગાંધી ઈંડોર સ્ટેડિયમમાં કારગિલ વિજય દિવસના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂરા થવાના અવસર પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીએમે કહ્યું, કારગિલ વિજયગાથા પેઢીઓને પ્રેરાણા આપતી રહેશે. મોદીએ કહ્યું, યુદ્ધ સરકારો નથી લડતી, યુદ્ધ સમગ્ર દેશ લડે છે. કારગિલ વિજય ભારતના સંકલ્પની જીત હતી. ભારતની મર્યાદા અને અનુશાસનની જીત હતી. રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવવા બદલ કારગિલ સહિત જમ્મુ-કાશ્મીરના તમામ નાગરિકોનું અભિનંદન. હું તે યુદ્ધ દરમિયાન પણ કારગિલ ગયો હતો. મોત સામે હતું છતાં આપણા દરેક જવાનો હાથમાં તિરંગો લઈને આગળ વધતા હતા. સરકાર આવતી-જતી રહે છે પરંતુ સૈનિક અજર-અમર રહે છે. પાકિસ્તાન શરૂઆતથી જ કાશ્મીરને લઈ કપટ કરતું આવ્યું છે. પાકિસ્તાને 1965, 1971 અને 1999માં છળ કર્યું પરંતુ 1999માં પાકિસ્તાનની શું હાલત થઈ તે બધા જાણે છે. પાકિસ્તાનને આવા જવાબની આશા જ નહોતી. સૈનિકો આજની સાથે આવનારી પેઢી માટે જીવનું બલિદાન આપે છે. આપણી આવનારી કાલ સુરક્ષિત રહે તે માટે પોતાનું વર્તમાન સ્વાહા કરી દે છે. સૈનિક જિંદગી અને મોતમાં પણ ભેદ નથી કરતાં, તેમના માટે કર્તવ્ય જ સર્વસ્વ હોય છે. આજે યુદ્ધનું સ્વરૂપ બદલાયું છે. લડાઈઓ હવે સાઇબર વર્લ્ડમાં લડવામાં આવે છે. તેથી સેનાને આધુનિક બનાવવી આપણી જરૂરિયાત છે.  યુદ્ધમાં હારેલા લોકો આતંકવાદને પ્રોત્સાહન આપે છે. રાષ્ટ્રની રક્ષા સર્વપ્રથમ છે, જ્યાં રાષ્ટ્રની રક્ષાની વાત હશે ત્યાં કોઈના દબાણમાં કામ નહીં થાય. ઈતિહાસ સાક્ષી છે કે ભારત ક્યારેય પહેલ નથી કરતું. માનવતાના હિતમાં શાંતિપૂર્ણ આચરણ આપણા સંસ્કારોમાં છે. આપણો દેશ આ નીતિ પર ચાલ્યો છે. ભારતમાં આપણી સેનાની છબિ દેશની રક્ષાની છેતો વિશ્વમાં આપણે માનવતા અને શાંતિના રક્ષક પણ છીએ. કારગિલ યુદ્ધ વખતે અટલજીએ કહ્યું હતું કે, આપણા પડોશીને લાગતું હતું કે કારગિલને લઈ ભારત વિરોધ કરશે અને તણાવથી દુનિયા ડરી જશે. પરંતુ આપણે જવાબ આપીશું, પ્રભાવશાળી જવાબ આપીશું તેની કલ્પના પણ નહોતી. 1947માં કોઈ એક જાતિ કે ધર્મ નહીં પરંતુ સમગ્ર દેશ આઝાદ થયો હતો. બંધારણ કોઈ એક જાતિ કે ધર્મ માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે લખવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Embed widget