શોધખોળ કરો

કારગિલ વિજય દિવસ સમારોહમાં PM મોદીએ કહ્યું, યુદ્ધ સરકારો નહીં સમગ્ર દેશ લડે છે

મોદીએ કહ્યું, હું તે યુદ્ધ દરમિયાન પણ કારગિલ ગયો હતો. મોત સામે હતું છતાં આપણા દરેક જવાનો હાથમાં તિરંગો લઈને આગળ વધતા હતા. સરકાર આવતી-જતી રહે છે પરંતુ સૈનિક અજર-અમર રહે છે.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઈંદિરા ગાંધી ઈંડોર સ્ટેડિયમમાં કારગિલ વિજય દિવસના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂરા થવાના અવસર પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીએમે કહ્યું, કારગિલ વિજયગાથા પેઢીઓને પ્રેરાણા આપતી રહેશે. મોદીએ કહ્યું, યુદ્ધ સરકારો નથી લડતી, યુદ્ધ સમગ્ર દેશ લડે છે. કારગિલ વિજય ભારતના સંકલ્પની જીત હતી. ભારતની મર્યાદા અને અનુશાસનની જીત હતી. રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવવા બદલ કારગિલ સહિત જમ્મુ-કાશ્મીરના તમામ નાગરિકોનું અભિનંદન. હું તે યુદ્ધ દરમિયાન પણ કારગિલ ગયો હતો. મોત સામે હતું છતાં આપણા દરેક જવાનો હાથમાં તિરંગો લઈને આગળ વધતા હતા. સરકાર આવતી-જતી રહે છે પરંતુ સૈનિક અજર-અમર રહે છે. પાકિસ્તાન શરૂઆતથી જ કાશ્મીરને લઈ કપટ કરતું આવ્યું છે. પાકિસ્તાને 1965, 1971 અને 1999માં છળ કર્યું પરંતુ 1999માં પાકિસ્તાનની શું હાલત થઈ તે બધા જાણે છે. પાકિસ્તાનને આવા જવાબની આશા જ નહોતી. સૈનિકો આજની સાથે આવનારી પેઢી માટે જીવનું બલિદાન આપે છે. આપણી આવનારી કાલ સુરક્ષિત રહે તે માટે પોતાનું વર્તમાન સ્વાહા કરી દે છે. સૈનિક જિંદગી અને મોતમાં પણ ભેદ નથી કરતાં, તેમના માટે કર્તવ્ય જ સર્વસ્વ હોય છે. આજે યુદ્ધનું સ્વરૂપ બદલાયું છે. લડાઈઓ હવે સાઇબર વર્લ્ડમાં લડવામાં આવે છે. તેથી સેનાને આધુનિક બનાવવી આપણી જરૂરિયાત છે.  યુદ્ધમાં હારેલા લોકો આતંકવાદને પ્રોત્સાહન આપે છે. રાષ્ટ્રની રક્ષા સર્વપ્રથમ છે, જ્યાં રાષ્ટ્રની રક્ષાની વાત હશે ત્યાં કોઈના દબાણમાં કામ નહીં થાય. ઈતિહાસ સાક્ષી છે કે ભારત ક્યારેય પહેલ નથી કરતું. માનવતાના હિતમાં શાંતિપૂર્ણ આચરણ આપણા સંસ્કારોમાં છે. આપણો દેશ આ નીતિ પર ચાલ્યો છે. ભારતમાં આપણી સેનાની છબિ દેશની રક્ષાની છેતો વિશ્વમાં આપણે માનવતા અને શાંતિના રક્ષક પણ છીએ. કારગિલ યુદ્ધ વખતે અટલજીએ કહ્યું હતું કે, આપણા પડોશીને લાગતું હતું કે કારગિલને લઈ ભારત વિરોધ કરશે અને તણાવથી દુનિયા ડરી જશે. પરંતુ આપણે જવાબ આપીશું, પ્રભાવશાળી જવાબ આપીશું તેની કલ્પના પણ નહોતી. 1947માં કોઈ એક જાતિ કે ધર્મ નહીં પરંતુ સમગ્ર દેશ આઝાદ થયો હતો. બંધારણ કોઈ એક જાતિ કે ધર્મ માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે લખવામાં આવ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
આ સરકારે લીધો ચોંકાવનારો નિર્ણય: ત્રીજા બાળક પર ₹30,000 અને ચોથા બાળક પર મળશે ₹40,000
આ સરકારે લીધો ચોંકાવનારો નિર્ણય: ત્રીજા બાળક પર ₹30,000 અને ચોથા બાળક પર મળશે ₹40,000
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
'વિશ્વના નકશા પર રહેવા માંગો છો કે ઇતિહાસમાં?', ભારતીય આર્મી ચીફે પાકિસ્તાનને આપી વોર્નિંગ!
'વિશ્વના નકશા પર રહેવા માંગો છો કે ઇતિહાસમાં?', ભારતીય આર્મી ચીફે પાકિસ્તાનને આપી વોર્નિંગ!

વિડિઓઝ

Rajkot news: રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા
Ambalal Patel Prediction: ગરમીથી આંશિક રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી
Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
CNG Price Hike: CNGમાં ભાવ વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોમાં રોષ
Amit Shah Gujarat Visit: અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, જુઓ પળેપળની અપડેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
2027 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનું BCCI ને સીધું અલ્ટીમેટમ: 'મારી જરૂર ના હોય તો કહી દો'
2027 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનું BCCI ને સીધું અલ્ટીમેટમ: 'મારી જરૂર ના હોય તો કહી દો'
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર
ટાટા, મારુતિ અને મહિન્દ્રાની આ 7 કાર સુરક્ષિત છે કે અસુરક્ષિત? RTI તપાસમાં થયો મોટો ખુલાસો
ટાટા, મારુતિ અને મહિન્દ્રાની આ 7 કાર સુરક્ષિત છે કે અસુરક્ષિત? RTI તપાસમાં થયો મોટો ખુલાસો
Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ
Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ
Embed widget