શોધખોળ કરો

એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે રાજકીય સંઘર્ષ વધવાની શક્યતાઓ છે.

Maharashtra News: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે રાજકીય સંઘર્ષ વધવાની શક્યતાઓ છે. દેવેન્દ્ર ફડણવીસે શિંદે સરકાર દરમિયાન આરોગ્ય વિભાગના રૂ. 3,200 કરોડના કામને મોકૂફ રાખ્યું છે. તાનાજી સાવંત પર કોઈપણ કામના અનુભવ વિના કંપનીને યાંત્રિક સફાઈનો કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિંદે સરકાર દરમિયાન કથિત ગેરરીતિઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. શિંદે સરકારના ઘણા નિર્ણયો મોકૂફ રાખવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક રદ પણ કરવામાં આવ્યા હતા. તાનાજી સાવંત શિંદે સરકારમાં આરોગ્ય મંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન અધિકારીઓની બદલી અને એમ્બ્યુલન્સની ખરીદી સહિતના હજારો કરોડ રૂપિયાના કૌભાંડો પ્રકાશમાં આવી રહ્યા છે.

સફાઈની કામગીરી આઉટસોર્સ કરવામાં આવી રહી હતી

આરોગ્ય વિભાગ હેઠળની તમામ સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્રોની સફાઈ કાર્યને આઉટસોર્સ કરવા સંમત થયા હતા. આ માટે 30 ઓગસ્ટ 2024ના રોજ પુણેની એક ખાનગી કંપનીને વાર્ષિક 638 કરોડ રૂપિયા અને 3 વર્ષ માટે કુલ 3,190 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

આ નિર્ણય અંગે પહેલેથી જ નારાજગી ચાલી રહી છે ?

સીએમ ફડણવીસે ઓએસડી અને મંત્રીઓના ખાનગી સચિવના મામલે પણ કડક વલણ અપનાવ્યું છે. ઓએસડી અને મંત્રીઓના સચિવની નિમણૂક માટે 125 નામ મોકલવામાં આવ્યા હતા, જેમાં મુખ્યમંત્રીએ 109 નામોને મંજૂરી આપી છે જ્યારે 16 નામો રોકી રાખ્યા છે. 

આ નામોમાં કેટલાક નામ એવા છે જેમના સૂચનો એકનાથ શિંદેની શિવસેનાએ પણ આપ્યા હતા. આ નિર્ણયની ઉદ્ધવ ઠાકરે જૂથે પણ પ્રશંસા કરી હતી. શિવસેના યુબીટીએ કહ્યું હતું કે ફડણવીસ રાજ્યના શાસનમાં શિસ્ત લાવવા માટે મજબૂત પગલાં લઈ રહ્યા છે. સીએમ ફડણવીસે ભ્રષ્ટાચારની ગટરની સફાઈ શરૂ કરી દીધી છે. 

મહારાષ્ટ્રનું રાજકારણ રસપ્રદ બન્યું

વાસ્તવમાં મહારાષ્ટ્રની રાજનીતિ 2019 પછી રોમાંચક મોડ પર જઈ રહી છે. 2019 પછી મહારાષ્ટ્રમાં શું થશે તે કહી શકતા નથી. આવી સ્થિતિમાં 2024માં મહાયુતિની સરકાર બન્યા બાદ પણ એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બધુ બરાબર નથી.  અજિત પવારના પ્રવક્તા શિંદેના મંત્રીઓ પર નારાજ છે.

વિરોધીઓનું કહેવું છે કે અજિત પવારની પાર્ટી શિંદેના પીએસ અને ઓએસડી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે. બીજી તરફ અજિત પવારના મંત્રીઓ ધનંજય મુંડે અને માણિક રાવ કોકાટેના રાજીનામાની માંગણી કરવામાં આવી રહી છે. દેવેન્દ્ર ફડણવીસ દ્વારા મંત્રીઓના પીએસ અને ઓએસડીને લઈને એકનાથ શિંદેને ચેકમેટ આપવા અંગે ચર્ચા ચાલી રહી છે.

શિંદે નારાજ, ઉદ્ધવ ઠાકરેએ કર્યા CM ફડણવીસના વખાણ, મહારાષ્ટ્રના રાજકારણમાં શું ચાલી રહ્યું છે ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Embed widget