શોધખોળ કરો

એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે રાજકીય સંઘર્ષ વધવાની શક્યતાઓ છે.

Maharashtra News: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે રાજકીય સંઘર્ષ વધવાની શક્યતાઓ છે. દેવેન્દ્ર ફડણવીસે શિંદે સરકાર દરમિયાન આરોગ્ય વિભાગના રૂ. 3,200 કરોડના કામને મોકૂફ રાખ્યું છે. તાનાજી સાવંત પર કોઈપણ કામના અનુભવ વિના કંપનીને યાંત્રિક સફાઈનો કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિંદે સરકાર દરમિયાન કથિત ગેરરીતિઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. શિંદે સરકારના ઘણા નિર્ણયો મોકૂફ રાખવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક રદ પણ કરવામાં આવ્યા હતા. તાનાજી સાવંત શિંદે સરકારમાં આરોગ્ય મંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન અધિકારીઓની બદલી અને એમ્બ્યુલન્સની ખરીદી સહિતના હજારો કરોડ રૂપિયાના કૌભાંડો પ્રકાશમાં આવી રહ્યા છે.

સફાઈની કામગીરી આઉટસોર્સ કરવામાં આવી રહી હતી

આરોગ્ય વિભાગ હેઠળની તમામ સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્રોની સફાઈ કાર્યને આઉટસોર્સ કરવા સંમત થયા હતા. આ માટે 30 ઓગસ્ટ 2024ના રોજ પુણેની એક ખાનગી કંપનીને વાર્ષિક 638 કરોડ રૂપિયા અને 3 વર્ષ માટે કુલ 3,190 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

આ નિર્ણય અંગે પહેલેથી જ નારાજગી ચાલી રહી છે ?

સીએમ ફડણવીસે ઓએસડી અને મંત્રીઓના ખાનગી સચિવના મામલે પણ કડક વલણ અપનાવ્યું છે. ઓએસડી અને મંત્રીઓના સચિવની નિમણૂક માટે 125 નામ મોકલવામાં આવ્યા હતા, જેમાં મુખ્યમંત્રીએ 109 નામોને મંજૂરી આપી છે જ્યારે 16 નામો રોકી રાખ્યા છે. 

આ નામોમાં કેટલાક નામ એવા છે જેમના સૂચનો એકનાથ શિંદેની શિવસેનાએ પણ આપ્યા હતા. આ નિર્ણયની ઉદ્ધવ ઠાકરે જૂથે પણ પ્રશંસા કરી હતી. શિવસેના યુબીટીએ કહ્યું હતું કે ફડણવીસ રાજ્યના શાસનમાં શિસ્ત લાવવા માટે મજબૂત પગલાં લઈ રહ્યા છે. સીએમ ફડણવીસે ભ્રષ્ટાચારની ગટરની સફાઈ શરૂ કરી દીધી છે. 

મહારાષ્ટ્રનું રાજકારણ રસપ્રદ બન્યું

વાસ્તવમાં મહારાષ્ટ્રની રાજનીતિ 2019 પછી રોમાંચક મોડ પર જઈ રહી છે. 2019 પછી મહારાષ્ટ્રમાં શું થશે તે કહી શકતા નથી. આવી સ્થિતિમાં 2024માં મહાયુતિની સરકાર બન્યા બાદ પણ એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બધુ બરાબર નથી.  અજિત પવારના પ્રવક્તા શિંદેના મંત્રીઓ પર નારાજ છે.

વિરોધીઓનું કહેવું છે કે અજિત પવારની પાર્ટી શિંદેના પીએસ અને ઓએસડી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે. બીજી તરફ અજિત પવારના મંત્રીઓ ધનંજય મુંડે અને માણિક રાવ કોકાટેના રાજીનામાની માંગણી કરવામાં આવી રહી છે. દેવેન્દ્ર ફડણવીસ દ્વારા મંત્રીઓના પીએસ અને ઓએસડીને લઈને એકનાથ શિંદેને ચેકમેટ આપવા અંગે ચર્ચા ચાલી રહી છે.

શિંદે નારાજ, ઉદ્ધવ ઠાકરેએ કર્યા CM ફડણવીસના વખાણ, મહારાષ્ટ્રના રાજકારણમાં શું ચાલી રહ્યું છે ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget