શોધખોળ કરો

એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે રાજકીય સંઘર્ષ વધવાની શક્યતાઓ છે.

Maharashtra News: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે રાજકીય સંઘર્ષ વધવાની શક્યતાઓ છે. દેવેન્દ્ર ફડણવીસે શિંદે સરકાર દરમિયાન આરોગ્ય વિભાગના રૂ. 3,200 કરોડના કામને મોકૂફ રાખ્યું છે. તાનાજી સાવંત પર કોઈપણ કામના અનુભવ વિના કંપનીને યાંત્રિક સફાઈનો કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિંદે સરકાર દરમિયાન કથિત ગેરરીતિઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. શિંદે સરકારના ઘણા નિર્ણયો મોકૂફ રાખવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક રદ પણ કરવામાં આવ્યા હતા. તાનાજી સાવંત શિંદે સરકારમાં આરોગ્ય મંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન અધિકારીઓની બદલી અને એમ્બ્યુલન્સની ખરીદી સહિતના હજારો કરોડ રૂપિયાના કૌભાંડો પ્રકાશમાં આવી રહ્યા છે.

સફાઈની કામગીરી આઉટસોર્સ કરવામાં આવી રહી હતી

આરોગ્ય વિભાગ હેઠળની તમામ સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્રોની સફાઈ કાર્યને આઉટસોર્સ કરવા સંમત થયા હતા. આ માટે 30 ઓગસ્ટ 2024ના રોજ પુણેની એક ખાનગી કંપનીને વાર્ષિક 638 કરોડ રૂપિયા અને 3 વર્ષ માટે કુલ 3,190 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

આ નિર્ણય અંગે પહેલેથી જ નારાજગી ચાલી રહી છે ?

સીએમ ફડણવીસે ઓએસડી અને મંત્રીઓના ખાનગી સચિવના મામલે પણ કડક વલણ અપનાવ્યું છે. ઓએસડી અને મંત્રીઓના સચિવની નિમણૂક માટે 125 નામ મોકલવામાં આવ્યા હતા, જેમાં મુખ્યમંત્રીએ 109 નામોને મંજૂરી આપી છે જ્યારે 16 નામો રોકી રાખ્યા છે. 

આ નામોમાં કેટલાક નામ એવા છે જેમના સૂચનો એકનાથ શિંદેની શિવસેનાએ પણ આપ્યા હતા. આ નિર્ણયની ઉદ્ધવ ઠાકરે જૂથે પણ પ્રશંસા કરી હતી. શિવસેના યુબીટીએ કહ્યું હતું કે ફડણવીસ રાજ્યના શાસનમાં શિસ્ત લાવવા માટે મજબૂત પગલાં લઈ રહ્યા છે. સીએમ ફડણવીસે ભ્રષ્ટાચારની ગટરની સફાઈ શરૂ કરી દીધી છે. 

મહારાષ્ટ્રનું રાજકારણ રસપ્રદ બન્યું

વાસ્તવમાં મહારાષ્ટ્રની રાજનીતિ 2019 પછી રોમાંચક મોડ પર જઈ રહી છે. 2019 પછી મહારાષ્ટ્રમાં શું થશે તે કહી શકતા નથી. આવી સ્થિતિમાં 2024માં મહાયુતિની સરકાર બન્યા બાદ પણ એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બધુ બરાબર નથી.  અજિત પવારના પ્રવક્તા શિંદેના મંત્રીઓ પર નારાજ છે.

વિરોધીઓનું કહેવું છે કે અજિત પવારની પાર્ટી શિંદેના પીએસ અને ઓએસડી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે. બીજી તરફ અજિત પવારના મંત્રીઓ ધનંજય મુંડે અને માણિક રાવ કોકાટેના રાજીનામાની માંગણી કરવામાં આવી રહી છે. દેવેન્દ્ર ફડણવીસ દ્વારા મંત્રીઓના પીએસ અને ઓએસડીને લઈને એકનાથ શિંદેને ચેકમેટ આપવા અંગે ચર્ચા ચાલી રહી છે.

શિંદે નારાજ, ઉદ્ધવ ઠાકરેએ કર્યા CM ફડણવીસના વખાણ, મહારાષ્ટ્રના રાજકારણમાં શું ચાલી રહ્યું છે ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget