શોધખોળ કરો

ડોનાલ્ડ ટ્રંપનો દાવો: 'ભારત અને પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર', ભારત સરકારના સૂત્રોએ પણ પુષ્ટી કરી

ટ્રંપે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કર્યો દાવો, લાંબી મધ્યસ્થતા બાદ બંને દેશ તૈયાર થયા હોવાનું જણાવ્યું, ક્ષેત્રીય શાંતિ માટે મોટું પગલું.

Donald Trump India Pakistan ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ભીષણ તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એક મોટો દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ (સીઝફાયર) માટે તૈયાર થઈ ગયા છે. આ દાવાને ભારતીય સરકારી સૂત્રોએ પણ પુષ્ટી કરી છે, જે ક્ષેત્રીય શાંતિ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણી શકાય છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શનિવારે (આજે) પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરીને મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, "ભારત અને પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર છે." ટ્રંપે વધુમાં ઉમેર્યું કે, તેમની લાંબી મધ્યસ્થતા અને પ્રયાસો બાદ બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થયા છે. આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ લશ્કરી કાર્યવાહી અને હવાઈ હુમલાના પ્રયાસો જોવા મળ્યા હતા, જેના કારણે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવાના નિર્ણય અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા દાવાઓ બાદ ભારત સરકારે સ્પષ્ટતા કરી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાની મધ્યસ્થીથી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો છે. તેમણે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, "યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલી લાંબી રાતની વાટાઘાટો પછી, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. બંને દેશોને અભિનંદન. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર."

જોકે, ભારત સરકારના ટોચના સૂત્રો દ્વારા આ અંગે પુષ્ટિ કરવામાં આવી છે કે યુદ્ધવિરામનો નિર્ણય બંને દેશો વચ્ચે સીધો લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિશ્રીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજે શનિવાર (૧૦ મે, ૨૦૨૫) બપોરે પાકિસ્તાનના ડીજીએમઓએ (ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશન્સ) ફોન કરીને પહેલ કરી હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે ચર્ચા થઈ હતી અને સર્વસંમતિ સધાઈ હતી. મિશ્રીએ સ્પષ્ટ કર્યું કે, "અન્ય કોઈ સ્થળે અન્ય કોઈ મુદ્દા પર વાતચીત કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી." આ નિવેદન ટ્રમ્પના મધ્યસ્થીના દાવાને રદિયો આપે છે.

બીજી તરફ, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે પણ X પર પોસ્ટ કરીને પુષ્ટિ કરી હતી કે પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમત થયા છે. જોકે, તેમની પોસ્ટમાં ભારતીય પ્રદેશ પર હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસો માટે કોઈ માફી માંગવામાં આવી ન હતી. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાન હંમેશા તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે કોઈ સમાધાન કર્યા વિના ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIR Supreme Court Hearing: ચૂંટણી પંચને SIR કરવાનો અધિકાર છે કે નહીં? આ મુદે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
SIR Supreme Court Hearing: ચૂંટણી પંચને SIR કરવાનો અધિકાર છે કે નહીં? આ મુદે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Byju’sના સ્થાપક બાયજુ રવિન્દ્રનને 6 મહિનાની જેલની સજા; જાણો શું છે સમગ્ર મામલો
Byju’sના સ્થાપક બાયજુ રવિન્દ્રનને 6 મહિનાની જેલની સજા; જાણો શું છે સમગ્ર મામલો
Rajasthan News: રાજસ્થાનવાસીઓ સાવધાન! 1 જૂને પેટ્રોલ અને ડિઝલ નહિ મળે, હડતાળની જાહેરાત
Rajasthan News: રાજસ્થાનવાસીઓ સાવધાન! 1 જૂને પેટ્રોલ અને ડિઝલ નહિ મળે, હડતાળની જાહેરાત
કોંગ્રેસ શાસિત રાજ્યમાં મોટો ડખો, હાઈકમાન્ડે મુખ્યમંત્રીને રાજીનામું આપવા કહ્યું, જાણો શું છે કારણ?
કોંગ્રેસ શાસિત રાજ્યમાં મોટો ડખો, હાઈકમાન્ડે મુખ્યમંત્રીને રાજીનામું આપવા કહ્યું, જાણો શું છે કારણ?

વિડિઓઝ

India Rain Forecast : દેશ પર 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રીય, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બુદ્ધિનું પ્રદર્શન કે ભ્રષ્ટાચારના રસ્તા ?
Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં નિશાના પર ગુજરાતી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનું દમ મારો દમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ, ગણાવ્યો 'અંધશ્રદ્ધાનો કુંભ મેળો'
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ, ગણાવ્યો 'અંધશ્રદ્ધાનો કુંભ મેળો'
IPL 2026: RCB ની શાનદાર જીત, ગુજરાતને 92 રને હરાવી પાંચમી વખત ફાઇનલમાં મારી એન્ટ્રી
IPL 2026: RCB ની શાનદાર જીત, ગુજરાતને 92 રને હરાવી પાંચમી વખત ફાઇનલમાં મારી એન્ટ્રી
શાનદાર શૉટ અને બાઉન્ડ્રી, છતાં સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ! જુઓ વીડિયો
શાનદાર શૉટ અને બાઉન્ડ્રી, છતાં સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ! જુઓ વીડિયો
CNG Price Hike: મોંઘવારીનો ડબલ અટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણી CNGના ભાવમાં વધારો
CNG Price Hike: મોંઘવારીનો ડબલ અટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણી CNGના ભાવમાં વધારો
આવતીકાલનું હવામાન: આગામી 36 કલાકમાં 17 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ! IMD નું મોટું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 36 કલાકમાં 17 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ! IMD નું મોટું એલર્ટ
કોંગ્રેસ શાસિત રાજ્યમાં મોટો ડખો, હાઈકમાન્ડે મુખ્યમંત્રીને રાજીનામું આપવા કહ્યું, જાણો શું છે કારણ?
કોંગ્રેસ શાસિત રાજ્યમાં મોટો ડખો, હાઈકમાન્ડે મુખ્યમંત્રીને રાજીનામું આપવા કહ્યું, જાણો શું છે કારણ?
SIR Supreme Court Hearing: ચૂંટણી પંચને SIR કરવાનો અધિકાર છે કે નહીં? આ મુદે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
SIR Supreme Court Hearing: ચૂંટણી પંચને SIR કરવાનો અધિકાર છે કે નહીં? આ મુદે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Byju’sના સ્થાપક બાયજુ રવિન્દ્રનને 6 મહિનાની જેલની સજા; જાણો શું છે સમગ્ર મામલો
Byju’sના સ્થાપક બાયજુ રવિન્દ્રનને 6 મહિનાની જેલની સજા; જાણો શું છે સમગ્ર મામલો
Embed widget