શોધખોળ કરો

Maharashtra Political Crisis: બળવાખોર એકનાથ શિંદેએ કર્યું ટ્વિટ,  શિવસૈનિકોને કહી આ વાત

શિવસેનાના ધારાસભ્ય દીપક કેસરકરે શનિવારે કહ્યું હતું કે બળવાખોર જૂથ પાસે વિધાનસભા પક્ષમાં બે તૃતીયાંશ બહુમતી છે અને તેણે મહારાષ્ટ્રના વરિષ્ઠ પ્રધાન એકનાથ શિંદેને તેના નેતા તરીકે નિયુક્ત કર્યા છે.

Maharashtra Political Crisis: શિવસેના(Shiv Sena) ના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે(eknath shinde)એ શિવસૈનિકોને સંબોધિત કરેલા ટ્વિટમાં દાવો કર્યો છે કે તેઓ શિવસેનાને મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે લડી રહ્યા છે. તેમણે લખ્યું, "સારી રીતે સમજો, M.V.A. ના ખેલને ઓળખો..! હું શિવસેના અને શિવસૈનિકોને એમવીએના અજગરની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે લડી રહ્યો છું. આ લડાઈ તમારા શિવસૈનિકોના ભલા માટે સમર્પિત છે. તમારો એકનાથ સંભાજી શિંદે."

અગાઉ, અસંતુષ્ટ શિવસેનાના ધારાસભ્ય દીપક કેસરકરે શનિવારે કહ્યું હતું કે બળવાખોર જૂથ પાસે વિધાનસભા પક્ષમાં બે તૃતીયાંશ બહુમતી છે અને તેણે મહારાષ્ટ્રના વરિષ્ઠ પ્રધાન એકનાથ શિંદેને તેના નેતા તરીકે નિયુક્ત કર્યા છે.

બળવાખોર જૂથ આસામમાં 

તમને જણાવી દઈએ કે શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યો આસામના ગુવાહાટી શહેરમાં છે, જેમના બળવાથી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારને ખતરો છે. ગુવાહાટીથી ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં કેસરકરે કહ્યું કે તેમણે શિવસેના છોડી નથી, પરંતુ તેમના જૂથનું નામ શિવસેના (બાળાસાહેબ) રાખ્યું છે.

કેસરકરે કહ્યું કે માત્ર 16 કે 17 લોકો 55 ધારાસભ્યોના જૂથના નેતાને બદલી શકતા નથી અને બળવાખોર શિવસેના જૂથ શિવસેના જૂથના નેતા તરીકે શિંદેની જગ્યાએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ જીરવાલના આદેશને કોર્ટમાં પડકારશે.

શિંદે જૂથ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને સમર્થન પાછું ખેંચશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા કેસરકરે કહ્યું, “આપણે શા માટે સમર્થન પાછું ખેંચવું જોઈએ? અમે શિવસેના છીએ. અમે પાર્ટીને હાઇજેક નથી કરી, NCP અને કોંગ્રેસે તેને હાઇજેક કરી છે." કેસરકરે કહ્યું, "ધારાસભ્યોએ પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે અમે જે પક્ષ સાથે ચૂંટણી લડ્યા છીએ તેની સાથે જ રહેવું જોઈએ. 


આ હંગામા વચ્ચે ડેપ્યુટી સ્પીકરે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને નોટિસ પાઠવી છે અને તમામ ધારાસભ્યોને 27 જૂને સાંજે 5.30 વાગ્યા સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. આ નોટિસ મુજબ જો આ બળવાખોર ધારાસભ્યો નોટિસનો જવાબ નહીં આપે તો એમ માની લેવામાં આવશે કે તેમની પાસે જવાબ આપવા માટે કંઈ નથી અને આગળની પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ શિવસેનાએ આજની કાર્યકારિણી બેઠકમાં હાજર ન રહેવા બદલ ગેરલાયકની નોટિસ પણ જારી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Embed widget