શોધખોળ કરો

Maharashtra Political Crisis: બળવાખોર એકનાથ શિંદેએ કર્યું ટ્વિટ,  શિવસૈનિકોને કહી આ વાત

શિવસેનાના ધારાસભ્ય દીપક કેસરકરે શનિવારે કહ્યું હતું કે બળવાખોર જૂથ પાસે વિધાનસભા પક્ષમાં બે તૃતીયાંશ બહુમતી છે અને તેણે મહારાષ્ટ્રના વરિષ્ઠ પ્રધાન એકનાથ શિંદેને તેના નેતા તરીકે નિયુક્ત કર્યા છે.

Maharashtra Political Crisis: શિવસેના(Shiv Sena) ના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે(eknath shinde)એ શિવસૈનિકોને સંબોધિત કરેલા ટ્વિટમાં દાવો કર્યો છે કે તેઓ શિવસેનાને મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે લડી રહ્યા છે. તેમણે લખ્યું, "સારી રીતે સમજો, M.V.A. ના ખેલને ઓળખો..! હું શિવસેના અને શિવસૈનિકોને એમવીએના અજગરની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે લડી રહ્યો છું. આ લડાઈ તમારા શિવસૈનિકોના ભલા માટે સમર્પિત છે. તમારો એકનાથ સંભાજી શિંદે."

અગાઉ, અસંતુષ્ટ શિવસેનાના ધારાસભ્ય દીપક કેસરકરે શનિવારે કહ્યું હતું કે બળવાખોર જૂથ પાસે વિધાનસભા પક્ષમાં બે તૃતીયાંશ બહુમતી છે અને તેણે મહારાષ્ટ્રના વરિષ્ઠ પ્રધાન એકનાથ શિંદેને તેના નેતા તરીકે નિયુક્ત કર્યા છે.

બળવાખોર જૂથ આસામમાં 

તમને જણાવી દઈએ કે શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યો આસામના ગુવાહાટી શહેરમાં છે, જેમના બળવાથી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારને ખતરો છે. ગુવાહાટીથી ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં કેસરકરે કહ્યું કે તેમણે શિવસેના છોડી નથી, પરંતુ તેમના જૂથનું નામ શિવસેના (બાળાસાહેબ) રાખ્યું છે.

કેસરકરે કહ્યું કે માત્ર 16 કે 17 લોકો 55 ધારાસભ્યોના જૂથના નેતાને બદલી શકતા નથી અને બળવાખોર શિવસેના જૂથ શિવસેના જૂથના નેતા તરીકે શિંદેની જગ્યાએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ જીરવાલના આદેશને કોર્ટમાં પડકારશે.

શિંદે જૂથ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને સમર્થન પાછું ખેંચશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા કેસરકરે કહ્યું, “આપણે શા માટે સમર્થન પાછું ખેંચવું જોઈએ? અમે શિવસેના છીએ. અમે પાર્ટીને હાઇજેક નથી કરી, NCP અને કોંગ્રેસે તેને હાઇજેક કરી છે." કેસરકરે કહ્યું, "ધારાસભ્યોએ પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે અમે જે પક્ષ સાથે ચૂંટણી લડ્યા છીએ તેની સાથે જ રહેવું જોઈએ. 


આ હંગામા વચ્ચે ડેપ્યુટી સ્પીકરે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને નોટિસ પાઠવી છે અને તમામ ધારાસભ્યોને 27 જૂને સાંજે 5.30 વાગ્યા સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. આ નોટિસ મુજબ જો આ બળવાખોર ધારાસભ્યો નોટિસનો જવાબ નહીં આપે તો એમ માની લેવામાં આવશે કે તેમની પાસે જવાબ આપવા માટે કંઈ નથી અને આગળની પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ શિવસેનાએ આજની કાર્યકારિણી બેઠકમાં હાજર ન રહેવા બદલ ગેરલાયકની નોટિસ પણ જારી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Embed widget