શોધખોળ કરો

Maharashtra Political Crisis: બળવાખોર એકનાથ શિંદેએ કર્યું ટ્વિટ,  શિવસૈનિકોને કહી આ વાત

શિવસેનાના ધારાસભ્ય દીપક કેસરકરે શનિવારે કહ્યું હતું કે બળવાખોર જૂથ પાસે વિધાનસભા પક્ષમાં બે તૃતીયાંશ બહુમતી છે અને તેણે મહારાષ્ટ્રના વરિષ્ઠ પ્રધાન એકનાથ શિંદેને તેના નેતા તરીકે નિયુક્ત કર્યા છે.

Maharashtra Political Crisis: શિવસેના(Shiv Sena) ના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે(eknath shinde)એ શિવસૈનિકોને સંબોધિત કરેલા ટ્વિટમાં દાવો કર્યો છે કે તેઓ શિવસેનાને મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે લડી રહ્યા છે. તેમણે લખ્યું, "સારી રીતે સમજો, M.V.A. ના ખેલને ઓળખો..! હું શિવસેના અને શિવસૈનિકોને એમવીએના અજગરની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે લડી રહ્યો છું. આ લડાઈ તમારા શિવસૈનિકોના ભલા માટે સમર્પિત છે. તમારો એકનાથ સંભાજી શિંદે."

અગાઉ, અસંતુષ્ટ શિવસેનાના ધારાસભ્ય દીપક કેસરકરે શનિવારે કહ્યું હતું કે બળવાખોર જૂથ પાસે વિધાનસભા પક્ષમાં બે તૃતીયાંશ બહુમતી છે અને તેણે મહારાષ્ટ્રના વરિષ્ઠ પ્રધાન એકનાથ શિંદેને તેના નેતા તરીકે નિયુક્ત કર્યા છે.

બળવાખોર જૂથ આસામમાં 

તમને જણાવી દઈએ કે શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યો આસામના ગુવાહાટી શહેરમાં છે, જેમના બળવાથી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારને ખતરો છે. ગુવાહાટીથી ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં કેસરકરે કહ્યું કે તેમણે શિવસેના છોડી નથી, પરંતુ તેમના જૂથનું નામ શિવસેના (બાળાસાહેબ) રાખ્યું છે.

કેસરકરે કહ્યું કે માત્ર 16 કે 17 લોકો 55 ધારાસભ્યોના જૂથના નેતાને બદલી શકતા નથી અને બળવાખોર શિવસેના જૂથ શિવસેના જૂથના નેતા તરીકે શિંદેની જગ્યાએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ જીરવાલના આદેશને કોર્ટમાં પડકારશે.

શિંદે જૂથ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને સમર્થન પાછું ખેંચશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા કેસરકરે કહ્યું, “આપણે શા માટે સમર્થન પાછું ખેંચવું જોઈએ? અમે શિવસેના છીએ. અમે પાર્ટીને હાઇજેક નથી કરી, NCP અને કોંગ્રેસે તેને હાઇજેક કરી છે." કેસરકરે કહ્યું, "ધારાસભ્યોએ પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે અમે જે પક્ષ સાથે ચૂંટણી લડ્યા છીએ તેની સાથે જ રહેવું જોઈએ. 


આ હંગામા વચ્ચે ડેપ્યુટી સ્પીકરે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને નોટિસ પાઠવી છે અને તમામ ધારાસભ્યોને 27 જૂને સાંજે 5.30 વાગ્યા સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. આ નોટિસ મુજબ જો આ બળવાખોર ધારાસભ્યો નોટિસનો જવાબ નહીં આપે તો એમ માની લેવામાં આવશે કે તેમની પાસે જવાબ આપવા માટે કંઈ નથી અને આગળની પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ શિવસેનાએ આજની કાર્યકારિણી બેઠકમાં હાજર ન રહેવા બદલ ગેરલાયકની નોટિસ પણ જારી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget