શોધખોળ કરો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી અધિકારીને રોકવા કે ખોટી માહિતી આપવી ભારે પડી શકે છે, 1948 ના એક્ટ હેઠળ બંને પક્ષે કડક સજાની જોગવાઈ.
ભારત સરકાર આગામી 2027 માં સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી વસ્તી ગણતરી હાથ ધરવા જઈ રહી છે. આ રાષ્ટ્રીય પ્રક્રિયા દરમિયાન અનેક નાગરિકોના મનમાં પ્રશ્ન હોય છે કે શું તેઓ પોતાની અંગત માહિતી આપવાનો ઈનકાર કરી શકે? કાયદાકીય રીતે આનો જવાબ 'ના' છે.
1/6

વસ્તી ગણતરી અધિનિયમ, 1948 હેઠળ દરેક નાગરિકે સાચી માહિતી આપવી ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ માહિતી છુપાવે, ખોટી વિગતો આપે અથવા અધિકારીને કામ કરતા રોકે, તો તેને આર્થિક દંડથી લઈને જેલની સજા સુધીના પરિણામો ભોગવવા પડી શકે છે.
2/6

ભારત હવે 2027 ની વસ્તી ગણતરી માટે સજ્જ થઈ રહ્યું છે, જે ઐતિહાસિક રીતે પેપરલેસ અને ડિજિટલ હશે. સરકાર એક તરફ ડેટાની સુરક્ષા અને પારદર્શિતા વધારવા પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ નાગરિકોની કાયદાકીય જવાબદારી પણ એટલી જ મહત્વની છે.
Published at : 13 Dec 2025 05:10 PM (IST)
આગળ જુઓ
Advertisement



















