શોધખોળ કરો

Exclusive: આપ નેતા સંજય સિંહ બોલ્યા, 'ઉદ્ધવ ઠાકરેને CM ચહેરો જાહેર કરે MVA' 

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાથી મહાવિકાસ આઘાડીને ફાયદો થશે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાથી મહાવિકાસ આઘાડીને ફાયદો થશે. એબીપી માઝા સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તૂટી ગઈ, શરદ પવારના ધારાસભ્યોને તોડવામાં આવ્યા  અને સરકાર બનાવ્યા પછી ભાજપે મહારાષ્ટ્ર સાથે સાવકી માતા જેવો વ્યવહાર કર્યો છે.  આ બાબતોને લઈને મહારાષ્ટ્રના લોકોમાં નારાજગી છે. તમને જણાવી દઈએ કે મહાવિકાસ આઘાડીએ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો નથી. તેનો નિર્ણય ચૂંટણી બાદ લેવામાં આવશે.

સંજય સિંહને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ અને શરદ પવાર જૂથનું કહેવું છે કે જે વધુ ધારાસભ્યો મેળવશે તે મુખ્યમંત્રીનો ચહેરો હશે. તેના પર તેમણે કહ્યું કે, "મારો અંગત મત છે કે જો આમ થશે તો ગઠબંધન પાર્ટીઓ એકબીજાને હરાવવાના પ્રયાસો શરૂ કરશે. તેઓ વિચારશે કે આ પાર્ટીને વધુ નંબર ન મળવા જોઈએ. હરિયાણામાં પણ આવું જ થયું. કોંગ્રેસના અલગ-અલગ જૂથો એક બીજાને હરાવવામાં લાગી ગયા અને ત્યાં નુકસાન થયું. નંબરના ખેલમાં ફસાઈ ગયા તો નુકસાન થશે.

રાજ ઠાકરેનું કહેવું છે કે બીજેપીનો જ સીએમ બનશે, આના પર તેમણે કહ્યું કે, "એક સીટ તેઓ તેમના પુત્ર માટે માંગી રહ્યા હતા પરંતુ ન આપી. મને નથી લાગતું કે રાજ ઠાકરે ભાજપને સહયોગ કે સમર્થન કરવા જઈ રહ્યા છે.  અલગ-અલગ સમય પર તેઓ અલગ-અલગ સ્ટેન્ડ લેતા રહે છે. હાલ થોડા મત MNS તોડી શકે છે, શિંદે થોડા વોટ લઈ શકે છે, તેના પર પણ રોક લાગી જશે જો ઉદ્ધવ ઠાકરેને ચહેરો બનાવવામાં આવે."

સંજય સિંહે કહ્યું કે, "એકનાથ શિંદેની સરકારે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમામાં પણ કૌભાંડ કર્યું હતું. મહારાષ્ટ્રની બે લાખ કરોડની યોજના છીનવીને બીજા રાજ્યમાં લઈ જવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે આ મુદ્દાઓને જનતાની વચ્ચે સારી રીતે રાખી રહ્યા છે. "

AAP સાંસદે કહ્યું કે લોકો મહાયુતિને હરાવવા અને મહાવિકાસ અઘાડીને જંગી બહુમતીથી જીતાડવા માટે તૈયાર છે. તેમણે દાવો કર્યો હતો કે જે પ્રકારનું વાતાવરણ લોકસભા ચૂંટણીના પરિણામોમાં જોવા મળ્યું હતું તેવું જ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં છે.  તેનું સૌથી મોટું કારણ એ છે કે વિધાનસભાની અંદર જ ગોટાળો થયો હતો. 

Maharashtra Assembly Elections: કોણ હશે મહાયુતિનો મુખ્યમંત્રીનો ચહેરો, અમિત શાહે કર્યો ખુલાસો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Alcohol And Milk Side Effects: શું બિયર પછી દૂધ પી શકો છો, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન ?
Alcohol And Milk Side Effects: શું બિયર પછી દૂધ પી શકો છો, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન ?
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Alcohol And Milk Side Effects: શું બિયર પછી દૂધ પી શકો છો, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન ?
Alcohol And Milk Side Effects: શું બિયર પછી દૂધ પી શકો છો, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન ?
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Embed widget