શોધખોળ કરો

Exclusive: આપ નેતા સંજય સિંહ બોલ્યા, 'ઉદ્ધવ ઠાકરેને CM ચહેરો જાહેર કરે MVA' 

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાથી મહાવિકાસ આઘાડીને ફાયદો થશે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાથી મહાવિકાસ આઘાડીને ફાયદો થશે. એબીપી માઝા સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તૂટી ગઈ, શરદ પવારના ધારાસભ્યોને તોડવામાં આવ્યા  અને સરકાર બનાવ્યા પછી ભાજપે મહારાષ્ટ્ર સાથે સાવકી માતા જેવો વ્યવહાર કર્યો છે.  આ બાબતોને લઈને મહારાષ્ટ્રના લોકોમાં નારાજગી છે. તમને જણાવી દઈએ કે મહાવિકાસ આઘાડીએ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો નથી. તેનો નિર્ણય ચૂંટણી બાદ લેવામાં આવશે.

સંજય સિંહને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ અને શરદ પવાર જૂથનું કહેવું છે કે જે વધુ ધારાસભ્યો મેળવશે તે મુખ્યમંત્રીનો ચહેરો હશે. તેના પર તેમણે કહ્યું કે, "મારો અંગત મત છે કે જો આમ થશે તો ગઠબંધન પાર્ટીઓ એકબીજાને હરાવવાના પ્રયાસો શરૂ કરશે. તેઓ વિચારશે કે આ પાર્ટીને વધુ નંબર ન મળવા જોઈએ. હરિયાણામાં પણ આવું જ થયું. કોંગ્રેસના અલગ-અલગ જૂથો એક બીજાને હરાવવામાં લાગી ગયા અને ત્યાં નુકસાન થયું. નંબરના ખેલમાં ફસાઈ ગયા તો નુકસાન થશે.

રાજ ઠાકરેનું કહેવું છે કે બીજેપીનો જ સીએમ બનશે, આના પર તેમણે કહ્યું કે, "એક સીટ તેઓ તેમના પુત્ર માટે માંગી રહ્યા હતા પરંતુ ન આપી. મને નથી લાગતું કે રાજ ઠાકરે ભાજપને સહયોગ કે સમર્થન કરવા જઈ રહ્યા છે.  અલગ-અલગ સમય પર તેઓ અલગ-અલગ સ્ટેન્ડ લેતા રહે છે. હાલ થોડા મત MNS તોડી શકે છે, શિંદે થોડા વોટ લઈ શકે છે, તેના પર પણ રોક લાગી જશે જો ઉદ્ધવ ઠાકરેને ચહેરો બનાવવામાં આવે."

સંજય સિંહે કહ્યું કે, "એકનાથ શિંદેની સરકારે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમામાં પણ કૌભાંડ કર્યું હતું. મહારાષ્ટ્રની બે લાખ કરોડની યોજના છીનવીને બીજા રાજ્યમાં લઈ જવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે આ મુદ્દાઓને જનતાની વચ્ચે સારી રીતે રાખી રહ્યા છે. "

AAP સાંસદે કહ્યું કે લોકો મહાયુતિને હરાવવા અને મહાવિકાસ અઘાડીને જંગી બહુમતીથી જીતાડવા માટે તૈયાર છે. તેમણે દાવો કર્યો હતો કે જે પ્રકારનું વાતાવરણ લોકસભા ચૂંટણીના પરિણામોમાં જોવા મળ્યું હતું તેવું જ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં છે.  તેનું સૌથી મોટું કારણ એ છે કે વિધાનસભાની અંદર જ ગોટાળો થયો હતો. 

Maharashtra Assembly Elections: કોણ હશે મહાયુતિનો મુખ્યમંત્રીનો ચહેરો, અમિત શાહે કર્યો ખુલાસો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
AAP છોડીને ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢાનું વધ્યું કદ, રાજ્યસભામાં મળી આ મોટી જવાબદારી
AAP છોડીને ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢાનું વધ્યું કદ, રાજ્યસભામાં મળી આ મોટી જવાબદારી
'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી
'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી

વિડિઓઝ

Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ, પોલિટિશિયન અને પ્રોહિબિશન
Hun To Bolish : હું તો બોલીશ : ખેતીના દુશ્મન કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો: જાણો ભાજપ અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કેમ છે આટલો મોટો તફાવત?
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો: જાણો ભાજપ અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કેમ છે આટલો મોટો તફાવત?
Fixed Deposit Interest Rates: બેંકો 3 વર્ષની FD પર 8% સુધીનું રિટર્ન આપી રહી છે આ 3 બેંક, જોઈલો લીસ્ટ
Fixed Deposit Interest Rates: બેંકો 3 વર્ષની FD પર 8% સુધીનું રિટર્ન આપી રહી છે આ 3 બેંક, જોઈલો લીસ્ટ
ગુજરાતમાં કમોસમી વરસાદની આફત! આજે 9 જિલ્લામાં પડશે માવઠું? હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં કમોસમી વરસાદની આફત! આજે 9 જિલ્લામાં પડશે માવઠું? હવામાન વિભાગની આગાહી
જામનગર: લાલપુરમાં બહુમતી છતાં AAP સત્તાથી દૂર, ભાજપના દિવ્યાબા બન્યા પ્રમુખ, જાણો શું થયો ખેલ?
જામનગર: લાલપુરમાં બહુમતી છતાં AAP સત્તાથી દૂર, ભાજપના દિવ્યાબા બન્યા પ્રમુખ, જાણો શું થયો ખેલ?
Embed widget