શોધખોળ કરો

બિહાર-આસામમાં વરસાદનો કહેર, પુરનું પાણી ગામોમાં ઘૂસતા 150થી વધુ લોકોના મોત, જાણો વિગતે

બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી, શનિવારે સીતામઢીનો પ્રવાસ કર્યો હતો. બિહારમાં અત્યાર સુધી 12 જિલ્લા પ્રભાવિત થયા છે

નવી દિલ્હીઃ પૂર્વોત્તર ભારત અને બિહારમાં શનિવારે પણ વરસાદ અને પુરનો કહેર યથાવત રહ્યો, અહીં વરસાદના કારણે 150થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. રિપોર્ટ પ્રમાણે આસામમાં 59થી વધુ લોકો મોતને ઘાટ ઉતર્યા છે, રાજ્યમાં 24થી વધુ જિલ્લામાં પુરનુ પાણી ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. એટલે કે આસામમાં 3,024 ગામોમાં 44,08,142 લોકો પુરની ઝપેટમાં આવ્યા છે. બિહારમાં પુરની સ્થિતિથી અત્યાર સુધી 97 લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર મધુબનીમાં 18 અને દરભંગા જિલ્લામાં 10 લોકો પુરથી ઝપેટમાં આવતા મોત થયા છે. બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી, શનિવારે સીતામઢીનો પ્રવાસ કર્યો હતો. બિહારમાં અત્યાર સુધી 12 જિલ્લા પ્રભાવિત થયા છે. બિહાર-આસામમાં વરસાદનો કહેર, પુરનું પાણી ગામોમાં ઘૂસતા 150થી વધુ લોકોના મોત, જાણો વિગતે બિહારમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને 6 હજાર રૂપિયાની રકમ તેમના ખાતામાં જ ચૂકવવામાં આવી રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે તેની શરૂઆત કરી હતી. પ્રથમ તબક્કામાં 302329 પરિવારોને 1,81,39,74,000 રૂપિયા તેમના બેંક ખાતામાં મોકલી દેવામાં આવ્યા છે. આ રકમ તેમને 48 કલાકમાં મળી જશે. લાભાર્થિઓના ખાતામાં રકમ મોકલ્યા બાદ તેમને મેસેજ કરી જાણ કરવામાં આવી રહી છે. બાકી રહેલા પૂર પ્રભાવિત પરિવારોના ચકાસણીનું કામ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. જે મુજબ, મુઝફ્ફરપુરમાં 6855, અરરિયામાં 42441, દરભંગામાં 67028, કિશનગંજમાં 3724, મધુબનીમાં 35222, પૂર્વ ચંપારણ 31190, પૂર્ણિયામાં 20738, સહરસામાં 4967, શિવહરમાં 8861, સીતામઢીમાં 77457 અને સુપૌલમાં 3846 પ્રભાવિત પરિવારોની ચકાસણી કરી સહાયતાની રકમ મોકલવામાં આવી હતી. બિહાર-આસામમાં વરસાદનો કહેર, પુરનું પાણી ગામોમાં ઘૂસતા 150થી વધુ લોકોના મોત, જાણો વિગતે રાજ્યના 12 જિલ્લાઓ શિવહર, સીતામઢી, પૂર્વી ચંપારણ, મધુબની, અરરિયા, કિશનગંજ, સુપૌલ, દરભંગા, મુઝફ્ફરપુર, સહરસા, કટિહાર અને પૂર્ણિયામાં પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. શુક્રવાર સવારના 10 વાગ્યા સુધીમાં મળેલી જાણકારી મુજબ 12 જિલ્લાના 97 પ્રખંડોના અંતર્ગત પંચાયતોમાં આશરે 13 લાખ 20 હજાર પરિવાર પૂરથી પ્રભાવિત છે. બિહારમાં અત્યાર સુધીમાં 78 લોકોના મોત થયા છે. સીતામઢીમાં સૌથી વધારે 18, મધુબનીમાં 14, અરરિયામાં 12, શિવહર, દરભંગામાં 9-9 લોકોના મોત થઈ ચૂક્યા છે. બિહારમાં પૂર અને વરસાદના કારણે આશરે 55 લાખ લોકો પ્રભાવિત થયા છે. પૂર પ્રભાવિત બિહારના 12 જિલ્લામાં રાજ્ય સરકારે 1119 રાહત કેંપ લગાવ્યા છે. બિહારમાં રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ 26 ટીમો તૈનાત કરવામાં આવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget