શોધખોળ કરો

ભારતના પૂર્વ વડાપ્રધાનને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો કેવી છે તબિયત?

ભારતના પૂર્વ વડાપ્રધાન અને જનતાદળના (સેક્યુલર)ના પ્રેસિડન્ટ એચ.ડી. દેવગૌડાને કોરોનાનો ચેપ લાગ્યો છે. જોકે, તેમને કોરોનાના કોઈ લક્ષણો નથી અને અત્યારે તેમની તબિયત સ્થિર છે.

નવી દિલ્લીઃ ભારતના પૂર્વ વડાપ્રધાન અને જનતાદળના (સેક્યુલર)ના પ્રેસિડન્ટ એચ.ડી. દેવગૌડાને કોરોનાનો ચેપ લાગ્યો છે. જોકે, તેમને કોરોનાના કોઈ લક્ષણો નથી અને અત્યારે તેમની તબિયત સ્થિર હોવાનું તેમની ઓફિસ તરફથી જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે, દેશમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે અને દૈનિક કેસો ત્રણ લાખને પાર થઈ ગયા છે. ત્યારે અનેક મોટા નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ અનેક નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.  દેશમાં કોરોનાએ અજગર ભરડો લેતા નેતાઓ સાથે સાથે અનેક સેલિબ્રિટી પણ કોરોનાની ચપેટમાં આવી ગઈ છે. 

ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 3,37,704, નવા કેસ નોંધાયા છે અને 488 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,42,676 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે 9550 કેસ ઓછા નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 21,13,365 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 17.22 ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ 10,050 થયા છે. કેટલું ટેસ્ટિંગ થયું દેશમાં 21 જાન્યુઆરીએ 19,60,954 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. કુલ એક્ટિવ કેસઃ 21,13,365 કુલ ડિસ્ચાર્જઃ 3,63,01,482 કુલ મૃત્યુઆંકઃ 4,88,884 કુલ રસીકરણઃ 161,16,60,078 (જેમાંથી ગઈકાલે 67,49,746 ડોઝ આપવામાં આવ્યા હતા.

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21,225 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 9,245  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,95,730 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 87.58 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી ગઈકાલે  16 મોત થયા અને 2,10,600 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજયમા એક્ટિવ કેસ 116843 કેસ છે. જે પૈકી 172 વેન્ટીલેટર પર છે, જ્યારે 116671 નાગરિકો સ્ટેબલ છે. 8,95,730 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,215 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 36 કલાકમાં 17 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ! IMD નું મોટું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 36 કલાકમાં 17 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ! IMD નું મોટું એલર્ટ
કર્ણાટકમાં નહીં બદલાય મુખ્યમંત્રી,  દિલ્હીમાં મીટિંગ બાદ કૉંગ્રેસે તમામ અટકળોને ફગાવી  
કર્ણાટકમાં નહીં બદલાય મુખ્યમંત્રી,  દિલ્હીમાં મીટિંગ બાદ કૉંગ્રેસે તમામ અટકળોને ફગાવી  
₹2,550 ભરીને ₹5,00,000 લઈ જાવ, પીએમના નામે મળી રહી છે લોન? હવે સરકારે કર્યો મોટો ખુલાસો
₹2,550 ભરીને ₹5,00,000 લઈ જાવ, પીએમના નામે મળી રહી છે લોન? હવે સરકારે કર્યો મોટો ખુલાસો
Weather Update: 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ત્રાટકશે વરસાદ,જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather Update: 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ત્રાટકશે વરસાદ,જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Rajkot News: મેડિકેર હોસ્પિટલની ભયાનક અને ઘોર બેદરકારી, તાવની સારવારમાં મહિલાની જિંદગી કરી બરબાદ
Gujarat Corporations Mayor Announcement : કઈ મનપામાં કોણ બન્યું મેયર ?
Babesia virus : ગીરના જંગલમાં એક સપ્તાહમાં પાંચ સિંહના મોતથી વન વિભાગ થયું દોડતું.
Ahmedabad Mayor News : અમદાવાદના નવા મેયર અને ડેપ્યૂટી મેયરની જાહેરાત
CNG Price Hike : પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: આગામી 36 કલાકમાં 17 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ! IMD નું મોટું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 36 કલાકમાં 17 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ! IMD નું મોટું એલર્ટ
કર્ણાટકમાં નહીં બદલાય મુખ્યમંત્રી,  દિલ્હીમાં મીટિંગ બાદ કૉંગ્રેસે તમામ અટકળોને ફગાવી  
કર્ણાટકમાં નહીં બદલાય મુખ્યમંત્રી,  દિલ્હીમાં મીટિંગ બાદ કૉંગ્રેસે તમામ અટકળોને ફગાવી  
ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ તથા શેરડી પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ તથા શેરડી પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાતમાં આ તારીખથી કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતમાં આ તારીખથી કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની મોટી આગાહી
1 જૂનથી સોલાર પેનલના નિયમો બદલાશે: જાણો કિંમત અને PM સૂર્ય ઘર સબસિડી પર શું અસર થશે
1 જૂનથી સોલાર પેનલના નિયમો બદલાશે: જાણો કિંમત અને PM સૂર્ય ઘર સબસિડી પર શું અસર થશે
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને: જાણો કયા રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ ₹100થી સસ્તું છે અને શા માટે?
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને: જાણો કયા રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ ₹100થી સસ્તું છે અને શા માટે?
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
Embed widget